________________
સામાચારી પ્રકરણ / ગાથા: ૨ * ભગવાનને સંબોધીને ગ્રંથકાર કહે છે. ગાથાર્થ :
તારા શાસ્ત્રમાં સાવધયોગથી વિરત, ત્રણ ગતિવાળો, સુસંયત, સમ્યફ આચરણા કરતો અને ઉપયુક્ત (ઉપયોગવાળો) આત્મા સામાચારી છે. રામ ટીકા :
सावज्ज त्ति । तव समये सिद्धान्ते, आत्मा सामाचारी, न त्वनात्मा तद्व्यतिरिक्तो गुणः । इदं च संग्रहनयमतं, आत्मनि विशेष्ये सकलसामाचारी संग्रहणात् । ટીકાર્ય :
“સાવઝ્મ રિ’ | એ ગાથાનું પ્રતિક છે.
તમારા સમયમાં=સિદ્ધાંતમાં, આત્મા સામાચારી છે, પરંતુ આત્માથી વ્યતિરિક્ત અનાત્મરૂપ ગુણ સામાચારી નથી; અને આ સંગ્રહાયનો મત છે, કેમ કે વિશેષ્ય એવા આત્મામાં સકલ સામાચારીનો સંગ્રહ કરેલ છે.
ભાવાર્થ :
સંગ્રહનયના મતે વિશેષ્ય એવા આત્મામાં સકલ સામાચારીનો સંગ્રહ કરવામાં આવે છે.
આશય એ છે કે, સંગ્રહનયના મતે નિગોદના આત્મામાં પણ સામાચારી શક્તિરૂપે છે અને તે સિવાયના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોમાં અને કેટલાક મનુષ્યોમાં (જેમાં વ્યક્તિરૂપે સામાચારી નથી તેવા મનુષ્યોમાં) જે શક્તિરૂપે સામાચારી છે, તેને સંગ્રહનય સામાચારીરૂપે સ્વીકારે છે; અને જે લોકો દશવિધ સામાચારીનું સેવન કરે છે, તેનાથી પ્રગટ થયેલ સામાચારીનો પણ તે નય સંગ્રહ કરે છે, અને સામાચારીનું ફળ સિદ્ધ અવસ્થામાં છે તેનો પણ તે નય સંગ્રહ કરે છે.
તેથી - (૧) શક્તિરૂપ સામાચારી - નિગોદ, પ્રત્યેક વનસ્પતિકાય, અન્ય એકેન્દ્રિય, અને બેઈદ્રિયથી માંડી
પંચેન્દ્રિય પર્વતના જીવોમાં કે જેમાં વ્યક્તિરૂપે સામાચારી નથી તેવા મનુષ્યોમાં છે, (૨) વ્યક્તિરૂ૫ સામાચારી - દશવિધ સામાચારીનું સેવન કરનાર આત્માઓમાં છે, (૩) ફળરૂપ સામાચારી - સિદ્ધોમાં છે.
એ ત્રણે સામાચારીનો સંગ્રહ કરીને બધા આત્માઓને તે નય સામાચારી કહે છે અને આ સામાચારી આત્મારૂપ જ છે, પણ આત્માથી વ્યતિરિક્ત કોઈ ગુણસ્વરૂપ નથી; કેમ કે આત્માથી વ્યતિરિક્ત કોઈ ગુણરૂપે જો સામાચારીને સ્વીકારીએ તો તે સામાચારી અનાત્મારૂપ બને; અને અનાત્મા સામાચારી નથી, પરંતુ આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org