________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૨ અવતરણિકા :
___अथादौ प्रतिज्ञातनिरूपणां सामाचारीमर्थतो नयविभागेन विवेचयन् विशेषण-विशेष्यभावस्वरूपेण निरूपयति - અવતરણિકાર્ય :
હવે, આદિમાં અર્થથી વયવિભાગ દ્વારા વિવેચન કરતાં, વિશેષણ-વિશેષભાવસ્વરૂપે પ્રતિજ્ઞાતને નિરૂપણ કરનારી એવી=જેની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા કરી છે એવી, સામાચારીનું નિરૂપણ કરે છે - ભાવાર્થ
દરેક વિશેષણના અર્થ તે તે નયમાં પર્યવસાન પામે તે રીતે આ વિવેચન કરેલું છે, તે બતાવવા માટે અર્થથી નવિભાગ દ્વારા વિવેચન કરતાં એ પ્રમાણે કહેલ છે.
અહીં ‘પ્રતિજ્ઞાત સામાચારી' એમ ન કહેતાં ‘પ્રતિજ્ઞાત નિરૂપણા સામાચારી' - એ પ્રમાણે એટલા માટે કહેલ છે કે, જે પ્રકારે સામાચારીને સેવીને ભગવાન મોક્ષને પામ્યા, તે પ્રકારે ભગવાનની સ્તુતિ કરવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલી છે, તેથી ‘પ્રતિજ્ઞાત એવી ભગવાનની સ્તુતિને નિરૂપણ કરનારી આ સામાચારી છે,' તે બતાવવા માટે આવો ‘પ્રતિજ્ઞાત નિરૂપણા” શબ્દનો પ્રયોગ કરેલ છે.
અહીં વિશેષણ-વિશેષ્યભાવસ્વરૂપે પ્રતિજ્ઞાત નિરૂપણા સામાચારીને કહે છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે, જે જે નયને અભિમત જે જે સામાચારીનું સ્વરૂપ છે તેને વિશેષણરૂપે ગ્રહણ કરવામાં આવશે, અને આત્માને વિશેષ્યરૂપે ગ્રહણ કરવામાં આવશે. જેમ કે સંગ્રહનયથી “આત્મા સામાચારી છે” – અહીં આત્મા વિશેષ્યરૂપે છે અને સામાચારી વિશેષણરૂપે છે. એવા સ્વરૂપે સામાચારીનું વર્ણન ગ્રંથકાર શ્લોકના નિરૂપણમાં કરે છે.
ગાથા :
सावज्जजोगविरओ तुज्झ तिगुत्तो सुसंजओ समए । आया सामाचारी समायरन्तो अ उवउत्तो ।।२।।
છાયા :
सावद्ययोगविरतस्तव त्रिगुप्तः सुसंयतः समये । आत्मा सामाचारी समाचरंश्चोपयुक्तः ।।२।। અન્વયાર્થ:
તુ સમgeતારા સિદ્ધાંતમાં સાવMનો વિરો સાવઘયોગથી વિરત, નિત્તો==ણ ગુપ્તિવાળો, સુસંગો સુસંયત, સમાયરન્તો અને સમ્યફ આચરણા કરતો વીત્તો ઉપયુક્ત સયા આત્મા સામાવારીક સામાચારી છે. રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org