SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આપૃચ્છા સામાચારી ગાથા : ૪૭-૪૮ ૨૫૯ અહીં વિશેષ એ છે કે, પૂર્વભવમાં ભગવાનના વચનાનુસાર મુનિએ સંયમનું આરાધન કરેલું હોવાથી, તેના બળથી લઘુકર્મવાળા એવા તેને તે પુણ્યપ્રકૃતિના ફળરૂપે ઉત્તમ એવો મનુષ્ય ભવ મળે છે કે જે શારીરિક અને માનસિક આદિ અનેક શક્તિઓથી યુક્ત હોય છે, જે પુણ્યપ્રકૃતિના કાર્યરૂપ છે; અને સંયમનું તેવું આરાધન કરેલ હોવાના કારણે ઉચિત પ્રવૃત્તિમાં પ્રતિબંધક એવા પાપનો ક્ષય થયેલો હોવાથી ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈને શાસ્ત્રઅધ્યયનાદિ ક્રિયાઓ કરે છે, જેથી પૂર્વભવમાં કરાયેલા સંયમના અનુષ્ઠાન કરતાં પણ વિશિષ્ટ પ્રકારના ઉપશમભાવથી યુક્ત એવું સુખસંતાન તેને મળે છે, જે મોહનીયની પ્રકૃતિરૂપ પાપના ક્ષયથી અસુખથી અસંવલિત એવું સુખ છે, જેના અંતિમ ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ટીકા : તવિદ્રમાદ - (પંઘા. ૧૨/૨૭-૨૮) सो विहिणाया तस्साहणम्मि तज्जाणणा सुणायं ति । सन्नाणा पडिवत्ती सुहभावो मङ्गलं तत्थ ।। इट्टपसिद्धऽणुबंधो धण्णो पावखयपुन्नबंधाओ । सुहगइगुरुलाभाओ एवं चिय सव्वसिद्धि त्ति ।।४८।। ટીકાર્ય : તે-પૂર્વ ગાથા-૪૬-૪૭માં ગ્રંથકારે જે કહ્યું કે, આને પંચાશક-૧૨ ગાથા-૨૭,૨૮માં કહે છે – પંચાશક-૧૨, ગાથા-૨૭-૨૮નો અન્વયાર્થ આ પ્રમાણે છે - સો વિટિયા જેને વિધિ પૂછી છે તે ગુરુ, અથવા જેની પાસે વિધિ સમજવા માટે ગુરુએ નિર્દેશ કરેલ છે તે, વિધિના જાણનારા છે. (તેથી) તસદિગ્નિપૂર્વમાં બતાવેલ બંનેમાંથી કોઈ પણથી વિધિનું પ્રતિપાદન કરાયે છતે (આપૃચ્છક) તજ્જાના વિધિનું જ્ઞાન થાય છે. (તેથી) સુર્ય તિ સાપI ‘ગુરુ વડે અથવા જિનેશ્વરો વડે આ સારી રીતે જોવાયું છે' - એ પ્રકારના સ્વજ્ઞાનથી-શિષ્યના પોતાના જ્ઞાનથી, વત્તા “ગુરુ કે જિન જ આપ્ત છે' - એ પ્રકારની રુચિ થાય છે, (અને તે રુચિ) સુરમાવો પ્રશસ્ત અધ્યવસાય છે. (અને તે પ્રશસ્ત અધ્યવસાય) તત્ય આપૃચ્છા કરી તે કાર્યમાં પ્રવર્તમાનને માતં વિધ્વવિઘાતક છે. રક્ષા પપુત્રવંધાણો પાપક્ષય અને પુણ્યના બંધથી રૂપસિદ્ધપુવંધો ઈષ્ટતી સિદ્ધિ છે જેનાથી એવા અનુબંધવાળો (આપૃચ્છક) ધન્ય છે. પર્વ વિય સુદ ફારૂનામાવો આ રીતે જ સુગતિ અને ગુરુના લાભથી સદ્ગસિદ્ધિ સર્વસિદ્ધિ છે. ‘ત્તિ’ શબ્દ ગાથાની સમાપ્તિમાં છે. ૨૮ * આ પંચાશક-૧૨ ગાથા-૨૭માં તત્થ’ પછી ‘પવટ્ટમાસ' શબ્દ અધ્યાહાર છે. १. स विधिज्ञाता तत्साधने तज्ज्ञानं सुज्ञानमिति । स्वज्ञानात् प्रतिपत्तिः शुभभावो मङ्गलं तत्र ।। २. इष्टप्रसिद्धानुबंधो धन्यः पापक्षयपुण्यबंधात् । शुभगतिगुरुलाभादेवमेव सर्वसिद्धिरिति ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy