SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૦ આપૃચ્છા સામાચારી / ગાથા: ૪૬ વસ્ત્રધોવનાદિ ક્રિયા નિર્જરાનું કારણ થાય, તે વિધિથી કરવાનું કહે, જેથી તે સાધુ આપૃચ્છા કરીને તે કાર્ય તે રીતે કરીને નિર્જરાનો ભાગી બને. આપૃચ્છા સામાચારીનું આ ઉપર્યુક્ત લક્ષણ કર્યું, તેનાથી નીચેનાં સ્થાનોમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર થઈ શકશે નહિ. તેને બતાવે છે – (૧) કોઈ સાધુ ગુરુથી કોઈ ભિન્ન વ્યક્તિને પૂછીને પોતાના હિતનું કાર્ય વિધિપૂર્વક કરે તો પણ આ આપૃચ્છા સામાચારી છે, તેવો વ્યવહાર ન થાય. (૨) કોઈ સાધુ ગુરુ પ્રત્યે વિનય વિના સ્વહિતના કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરી તે કાર્ય કરે તોપણ તે આપૃચ્છા સામાચારી નથી. આશય એ છે કે, વસ્ત્ર ધોવનાદિ કાર્ય સંયમની વૃદ્ધિનું કારણ પોતાને જણાતું હોય અને કોઈ સાધુ ગુરુને પૂછે કે, “વસ્ત્ર ધોઉં ?' આમ છતાં ગુરુ તેને જે વિધિથી વસ્ત્ર ધોવાની અનુજ્ઞા આપે તે વિધિથી કરવાને અભિમુખ તેના મનના પરિણામ નથી, પરંતુ સ્વમતિ પ્રમાણે તે કૃત્ય કરવાનો મનનો પરિણામ છે, તેવા સાધુની ગુરુને નિવેદનની ક્રિયા આપૃચ્છા સામાચારી થઈ શકે નહિ. (૩) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક પરહિતની પ્રતિજ્ઞાનું નિવેદન કરે તો ત્યાં પણ આપૃચ્છા સામાચારીનો વ્યવહાર ન થાય. આશય એ છે કે, કોઈ સાધુને ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ હોય અને ગુરુવચનાનુસાર દરેક કૃત્ય કરવાનો મનઃપરિણામ વર્તતો હોય અને તે સાધુ અન્ય કોઈ સાધુને કહે કે, “તમે મારા હિતની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુને કરો, અને જો ગુરુ તે કાર્ય કરવાની મને હા પાડશે તો હું તે કાર્ય કરીશ” - આવા સમયે તે અન્ય સાધુ પણ તે સાધુના હિતની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુ પ્રત્યે વિનયપૂર્વક કરે તો પણ તે નિવેદન કરનાર અન્ય સાધુની તે આપૃચ્છા સામાચારી બને નહિ; કેમ કે નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન તે આપૃચ્છા સામાચારી છે, પરંતુ પરહિત નિવેદનરૂપ આપૃચ્છા સામાચારી નથી. (૪) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વઅહિતની પ્રતિજ્ઞાના નિવેદનમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી આશય એ છે કે, પોતાની રત્નત્રયીની વૃદ્ધિનું પ્રામાણિક કારણ ન હોય એવી ભિક્ષા લાવવાની ક્રિયા કે વસ્ત્રોવનની ક્રિયા કરવાની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુને કરે તે સ્વઅહિતની પ્રતિજ્ઞાનું નિવેદન છે. તેથી કોઈ સાધુ ગુરુ પ્રત્યે વિનયપૂર્વક તેવા કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરીને ગુરુએ બતાવેલી વિધિપૂર્વક તે કૃત્ય કરે તો પણ તે સ્વહિતના નિવેદનરૂપ ન હોવાથી તે કૃત્યમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર કરી શકાય નહિ. (૫) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વહિતકૃતત્વાદિના નિવેદનમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. આશય એ છે કે, કોઈ સાધુએ ગુરુને પૂછીને પોતાના હિતને ઉચિત કાર્ય વિધિપૂર્વક પૂર્વમાં કરી લીધેલું હોય, ત્યાર પછી ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વહિતવાળું તે કાર્ય કરાઈ ગયું છે, એમ નિવેદન કરે, તે ઉચિત કૃત્યરૂપ હોવા છતાં આપૃચ્છા સામાચારીરૂપ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy