SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૬ मापृच्छेति भणिता, इति: लक्षणकथनपरिसमाप्तौ । तेन गुरुभिन्नं प्रति, तं प्रत्यपि विनयं विना वा स्वहितकार्यप्रतिज्ञानिवेदने, गुरुं प्रति विनयपूर्वं परहितस्य स्वाऽहितस्य वा प्रतिज्ञानिवेदने, स्वहितकृतत्वादिनिवेदने वा, उक्तनिवेदनविरहितक्रियामात्रे वा नाऽऽपृच्छाव्यवहारः । तत्पूर्वकम् उक्तलक्षणलक्षिताऽऽप्रच्छनापूर्वकं, कर्म-कार्यं श्रेया वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्वं वाक्यं सावधारणमितिन्यायादाप्रच्छनापूर्वमेव कर्म श्रेयो नान्यथा, आज्ञाविराधनादिति भावः ।।४६।। ટીકાર્ય : ‘શિવ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ગુરુ=ધર્માચાર્ય પ્રતિ વિનયપૂર્વકનગુરુભક્તિને અભિમુખ મનના પરિણામપૂર્વક, નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા સામાચારી કહેવાઈ છે. મૂળ ગાથામાં ત્તિતિ તે આપૃચ્છા સામાચારીના લક્ષણના કથનની પરિસમાપ્તિમાં છે. તેથી=આપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુથી ભિન્ન (વ્યક્તિ) પ્રતિ, અથવા ગુરુ પ્રતિ પણ વિનય વિના, સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાના નિવેદનમાં અથવા ગુરુ પ્રતિ વિનયપૂર્વક પરહિતની અથવા સ્વઅહિતની પ્રતિજ્ઞાના નિવેદનમાં, અથવા સ્વહિત માટે કરાયેલા કાર્યના કૃતત્વ આદિના નિવેદનમાં અથવા ઉક્ત નિવેદનવિરહિત=નિજ હિતકાર્યની પ્રતિજ્ઞારૂપ ઉક્ત નિવેદનવિરહિત, ક્રિયામાત્રમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. તપૂર્વક=કહેવાયેલા લક્ષણથી લક્ષિત આપૃચ્છાપૂર્વક, કર્મકકાર્ય, શ્રેય છે=વસ્થમાણ રીતથી યતિને હિતકર છે. સર્વ વાક્ય સાવધારણ= અવધારણ સહિત, હોય એ પ્રમાણે ચાય હોવાથી આપૃચ્છાપૂર્વક જ કાર્ય શ્રેય છે=થતિને હિતકારી છે. અન્યથા આપૃચ્છા વિના કરવું તે, શ્રેય નથી; કેમ કે આપૃચ્છા વિના કાર્ય કરવામાં આજ્ઞાની વિરાધના છે, એ પ્રમાણે ભાવ છે. ૪૬ * ‘દિતઋતત્વાદ્રિ” માં આદિથી સ્વહિતનું કાર્ય હું કરી રહ્યો છું કે હું કરીશ એ બેનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ધર્માચાર્ય પ્રત્યે વિનયપૂર્વક નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન તે આપૃચ્છા સામાચારી છે, એમ કહ્યું, તેનો અર્થ એ છે કે, ગુરુ પ્રત્યે ભક્તિને અભિમુખ મનના પરિણામપૂર્વક= ગુરુને મારું હિતકાર્ય પૂછી અને ગુરુ જે રીતે કહેશે તે રીતે વિધિપૂર્વક હું તેનું સમ્યકુ પાલન કરીશ,’ એ પ્રકારની ગુરુ પ્રત્યેની ભક્તિને અભિમુખ એવા મનના પરિણામપૂર્વક, ધર્માચાર્યને પોતાના સંયમની વૃદ્ધિનું કારણ હોય તેવી, નિજ હિતકાર્યને કરવા માટે પોતાને જે પ્રતિજ્ઞા કરવાની છે, તે પ્રતિજ્ઞા કરતાં પૂર્વે ગુરુને તેનું નિવેદન કરે તે આપૃચ્છા સામાચારી છે. જેમ કોઈ સાધુને કોઈ સંયોગવિશેષથી એમ જણાય છે કે “વસ્ત્ર ધોવાની ક્રિયા મારા માટે સંયમવૃદ્ધિનું કારણ છે તેથી મારે તે કાર્ય કરવું જોઈએ, આ પ્રકારનો પોતે કરેલો સંકલ્પ ગુરુને નિવેદન કરે, અને ગુરુ હા પાડે પછી તે કરવાની પ્રતિજ્ઞા કરે, તો તે આપૃચ્છા સામાચારી બને. અને આ રીતે ગુરુને પૂછવાથી ગુરુ પણ તે વસ્ત્ર ધોવનાદિ કાર્ય તેના માટે નિર્જરાનું કારણ હોય તો અનુજ્ઞા આપે, અને જે વિધિથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy