________________
૨૬.
આવશ્યકી સામાચારી, ગાથા : ૪૦ ઉત્સર્ગઅનુરદ્ધાઉત્સર્ગને અનુસરનારી, વૈષધિકી છે અને અપવાદઅનુરુદ્વા=અપવાદને અનુસરનારી, આવશ્યક છે. ઈતિએ હેતુથી આવશ્યકી અને વૈધિકીનો ભેદ છે.
ગાથા-૩૯ તથા ૪૦નું વેવ થી નિગમન કરતાં કહે છે –
તેથી આવશ્યકી અને તેધિકીનું ભિન્નપણું હોવા છતાં એક અધિકારપણું વ્યવસ્થિત છે. વિસ્તારના ભયથી અધિકની ઉપેક્ષા કરાય છે. ૪૦ ||
* મિત્રત્વેડ’િ અહીં ‘ષિ થી એ કહેવું છે કે, જો આવશ્યકી અને નૈષધિકી ભિન્ન ન હોય તો એકાધિકારપણું છે, પરંતુ ભિન્નત્વમાં પણ એકાધિકારપણું છે. ભાવાર્થ:
ઉપરમાં વર્ણન કર્યું એ રીતે ગમન-અગમનને આશ્રયીને, ઉત્સર્ગ-અપવાદને આશ્રયીને આવશ્યકીઔષધિકીનો ભેદ હોવા છતાં મોક્ષને અનુકૂળ અવશ્ય ક્રિયા કરવારૂપ એક અધિકારપણું આ બંને સામાચારીનું વ્યવસ્થિત છે.
આશય એ છે કે, આવશ્યક સામાચારી અને નૈષધિથી સામાચારીનું પાલન મોક્ષને અનુકૂળ એવી અવશ્ય ક્રિયા માટે સુદઢ યત્ન કરવા અર્થે છે, તેથી બંને સામાચારી એક અધિકારથી પ્રવૃત્ત છે. આમ છતાં ગમન-આગમનને આશ્રયીને કે ઉત્સર્ગ-અપવાદને આશ્રયીને તે બંનેનો ભેદ છે, તેથી તે બંને સામાચારી જુદી પણ છે. અને આ બે રીતે તેની ભિન્નતા બતાવી અને હજુ પણ તેનું અધિક વિભાજન થઈ શકે તેમ છે, તો પણ વિસ્તારના ભયથી અહીં ઉપેક્ષા કરી છે. તેથી વિચારક તેનો પણ વિચાર કરી શકે તે બતાવવા અર્થે અહીં કહ્યું કે, વિસ્તારના ભયથી અધિક અમે કહેતા નથી.
અન્ય રીતે પણ ભેદ આ રીતે વિચારી શકાય : જેમ “આવશ્યકી” પ્રયોગ કરવા પાછળ અવશ્ય કર્તવ્યની પ્રતિજ્ઞા કરીને તેના વિષયમાં નિપુણ યત્નપૂર્વક કાર્ય કરવાનું અને પ્રતિજ્ઞાથી તેના વિષયક વિશેષ વિર્ય ઉલ્લસિત કરવાનું પ્રયોજન છે, તેમ “નૈષધિકી' પ્રયોગ કરવા પાછળ ‘નિસીહિ' પ્રયોગ કરીને દેવ-ગુરુની આશાતનાના પરિવાર માટે દેવગુરુની ભક્તિમાં અનાભોગથી થતી સ્કૂલના આદિના પરિવાર માટે યત્ન કરવાનું પ્રયોજન છે.ll૪૦II | તિચાવિશારવિરચિતે સામાવારીપ્રારકાવીસમાપ્તા(કર્થત:) I૪T.
આ પ્રકારે ચોથી આવશ્યકી (આવરૂહી) સામાચારી ગાથા-૩૭ થી ૪૦ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં આવશ્યકી સામાચારી અર્થથી સમાપ્ત થઈ. lldoll
જ આવશ્યક સામાચારી સમાપ્ત .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org