SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૪૦ ૨૨૫ સુદૃઢ યત્ન થાય છે, તે રૂપ કાયિકી ક્રિયાકૃત જે ગુણ થાય છે, તે ન થાય. તે જ રીતે વડીનીતિ આદિ ક્રિયાકૃત શરીરની સ્વસ્થતા અને તેનાથી સ્વાધ્યાયની જે વૃદ્ધિ થાય છે તે રૂપ ગુણ થાય છે તે પણ થાય નહિ. તેમ સાધુને છ કારણોમાંથી કોઈ પણ કારણ ઉપસ્થિત થાય તો ભિક્ષા લાવવાની વિધિ છે, છતાં ભિક્ષા ન લાવવામાં આવે તો ભિક્ષા દ્વારા સંયમવૃદ્ધિરૂપ ગુણ થાય છે, તે થાય નહિ. વળી, ગુરુની આજ્ઞાપાલન અર્થે બહાર જવાનું કારણ વિદ્યમાન હોય અને આજ્ઞાપાલન ન કરવામાં આવે તો તે આજ્ઞાપાલનથી જે લાવિશેષ થવાનો હોય તે થાય નહિ. માટે જેમ ઉત્સર્ગથી અગમન શ્રેય છે, તેમ કારણે ગમન પણ શ્રેય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે, કારણે ગમન ન કરીએ તો તન્નિમિત્તક ગુણ ન થાય, તો પણ અગમનમાં દૃઢ યત્ન કરીએ તો અગમન નિમિત્તક ગુણો તો થશે જ. તેથી બીજો હેતુ કહે છે કારણ પ્રાપ્ત થયું હોય છતાં ગમન ન કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાનો ભંગ થવાના કારણે અગમનકૃત લાભ થવાને બદલે આજ્ઞાભંગરૂપ દોષની પ્રાપ્તિ થશે. માટે પ્રામાણિક કારણ વિદ્યમાન હોય તો સાધુએ ગમનમાં પણ યત્ન કરવો જોઈએ. પૂર્વના સંપૂર્ણ કથનમાં આવશ્યક નિર્યુક્તિનો સાક્ષીપાઠ આપે છે, તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - “જે સાધુ વસતિમાં રહેતા હોય અને એકાગ્રતાપૂર્વક ધ્યાન-સ્વાધ્યાયમાં રક્ત હોય અને ચિત્ત પ્રશાંત હોય, ત્યારે ઈર્યાદિ દોષો થતા નથી=ગમનક્રિયા નિમિત્તક કર્મબંધ થતો નથી, આત્મવિરાધના-સંયમવિરાધના થતી નથી અને સ્વાધ્યાય કરવાથી કે ધર્મધ્યાનાદિ કરવાથી જે વિશેષ પ્રકારના પરિણામો થાય છે, તત્કૃત નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને તેના કારણે આત્મામાં વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થાય છે.” ઉદ્ધરણના આટલા અંશથી સાધુને અગમન શ્રેય છે, એ પ્રકારનું કથન થાય છે. અને ત્યાર પછી કા૨ણે અવશ્ય જવું જોઈએ અને ત્યારે આવશ્યકી પ્રયોગ થાય છે, એ કથનથી અપવાદે ગમન પણ શ્રેય છે, એ પ્રકારનું કથન થાય છે. ટીકાઃ तेनापि=गमनागमनयोरुत्सर्गापवादक्रोडीकृतत्वेनापि, अपिः पूर्वोक्तहेतुसमुच्चये, अनयोः - आवश्यकीनैषेधिक्योर्भवेत् भेद-विशेषः, उत्सर्गानुरुद्धा हि नैषेधिकी अपवादानुरुद्धा चावश्यकीति । तदेवं भिन्नत्वेऽप्यनयोरेकाधिकारत्वमिति व्यवस्थितम् अधिकं विस्तरभियोपेक्ष्यते ।। ४० ।। ટીકાર્ય : તેથી પણ=ગમત અને અગમનનું ઉત્સર્ગ-અપવાદથી આક્રાંતપણું હોવાને કારણે પણ, આનો= આવશ્યકી અને નૈષધિકીનો, ભેદ=વિશેષ, છે અર્થાત્ બંને સામાચારી જુદી છે. ‘પિ’ પૂર્વોક્ત હેતુના સમુચ્ચયમાં છે=પૂર્વ ગાથામાં કહ્યું કે, ગમન અને અગમનના પ્રયોજનથી આવશ્યકી અને નૈષધિકીનો ભેદ છે, એ હેતુના સમુચ્ચયમાં છે. આવશ્યકી અને નૈષધિકીનો શું ભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy