________________
૨૨૪
આવશ્યકી સામાચારી/ ગાથા: ૪૦ ભાવાર્થ:
ઉત્સર્ગથી સાધુ વસતિને છોડીને બહાર જતા નથી અને વસતિમાં રહે તેથી ઈર્યાની વિશોધિ થાય છે; કેમ કે, સાધુ વસતિમાં સંવૃતગાત્રવાળા થઈને આવશ્યક ક્રિયામાં રહેલા હોય છે, તેથી ઈર્યાનિમિત્તક કર્મબંધ થતો નથી.
આશય એ છે કે, ગમનક્રિયા તે કાયિકી ક્રિયા છે, જે યોગસ્વરૂપ છે અને યોગથી કર્મબંધ થાય છે. તેથી જ્યારે સાધુ વસતિથી બહાર જતા હોય ત્યારે કાયયોગકૃત કર્મબંધ થાય છે, આમ છતાં સંયમની યતના હોય તો તે પરિણામકૃત નિર્જરા પણ થાય છે. પરંતુ જ્યારે સાધુ વસતિમાં હોય ત્યારે પણ સંયમના પરિણામકૃત નિર્જરા તો થાય છે અને ગમનનિમિત્તક કાયવ્યાપારવૃત કર્મબંધ થતો નથી.
. વળી સાધુ વસતિમાં રહીને પણ વાચનાદિ સ્વાધ્યાયમાં યત્નવાળા હોય કે ધર્મધ્યાનાદિમાં યત્નવાળા હોય, તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિ દ્વારા જીવના પરિણામના વિશોધિરૂપ ગુણો પણ પ્રગટે છે અર્થાત્ જેમ જેમ સાધુ સ્વાધ્યાય-ધ્યાનાદિ કરે છે, તેમ તેમ સમતાના પરિણામની વિશુદ્ધિ થાય છે, તે રૂ૫ ગુણો થાય છે.
વળી જેમ સાધુને અગમનથી ગુણો થાય છે, તેમ દોષોનો અભાવ પણ સામર્થ્યથી પ્રાપ્ત થાય છે; કેમ કે સાધુ બહાર ન જાય તો આત્મવિરાધના કે સંયમવિરાધનાદિ દોષોનો સંભવ રહેતો નથી.
જેમ કે સાધુ ભિક્ષાદિ માટે બહાર જતા હોય ત્યારે વાહનાદિ સાથે ટકરાય કે પડી જાય ઈત્યાદિ વિપરીત સંયોગોમાં આવે તો આત્મવિરાધના થાય અને ઉપયોગની ખામી રહે તો સંયમવિરાધનાનો પ્રસંગ આવે અથવા તો ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ અનાભોગથી કોઈક સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો સંભવ રહે. તેથી સંયમવિરાધનાદિ દોષોની પ્રાપ્તિ ગમનમાં સંભવે, પરંતુ અગમનમાં તે દોષો પ્રાપ્ત થાય નહિ.
પૂર્વમાં અગમનના ગુણો બતાવ્યા, તેથી કોઈને શંકા થાય છે, તો પછી સાધુને અગમન શ્રેય છે. માટે ઉત્સર્ગસાપેક્ષ અપવાદને કહે છે –
આશય એ છે કે, ઉત્સર્ગથી સાધુએ વસતિમાં રહીને શક્તિના પ્રકર્ષથી ધ્યાન-અધ્યયનમાં યત્ન કરવાનો છે અને તે ઉત્સર્ગમાર્ગની પુષ્ટિ ત્યારે થઈ શકે કે પ્રસંગે માત્રુ, અંડિલ, ભક્તપાનાદિ ઉચિત પ્રવૃત્તિઓ કરવામાં આવે. જો તે ન કરવામાં આવે તો સ્વાધ્યાય-ધ્યાનાદિની પ્રવૃત્તિ પણ અવરૂદ્ધ થાય, જેથી અગમનરૂપ ઉત્સર્ગમાર્ગનો વિનાશ થાય. તેથી સાધુએ અગમનથી જે લાભ થતા હતા, તે લાભની વૃદ્ધિનું કારણ એવો જે અપવાદ તે ઉત્સર્ગસાપેક્ષ અપવાદ છે. એવા અપવાદને કહે છે –
સાધુને કારણે ગમન છે અને તે કારણો બતાવે છે – કાયિકી ક્રિયા કરવા માટે, ઉચ્ચાર ક્રિયા કરવા માટે કે ગોચરી આદિ લાવવા માટે કે ગુરુના નિયોગાદિ માટે ગુરુના આજ્ઞાપાલનાદિ માટે, સાધુને બહાર જવું તે અપવાદથી કર્તવ્ય છે.
આશય એ છે કે, જો કાયિકાદિ કારણ વિદ્યમાન હોય છતાં પણ સાધુ ગમન ન કરે તો તનિમિત્તક ગુણ થાય નહિ અર્થાત્ કાયિકી ક્રિયા કરવાથી શરીરની સ્વસ્થતા થાય છે અને તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org