SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આવશ્યકી સામાચારી / ગાથા : ૪૦ વિશેષો-પરિણામની વિશુદ્ધિ કરનારા એવા વિશેષ પ્રકારના ગુણો થાય છે. મૂળ ગાથામાં “જ્ઞાામફળા' માં ‘મ'કાર અલાક્ષણિક છે; અને ગુણતા અભિધાનમાં–અગમનમાં ઈયવિશોધિ આદિ ગુણ થાય છે એ પ્રકારના અભિધાનમાં, આત્મવિરાધના-સંયમવિરાધનાદિ દોષો થતા નથી, એ પ્રમાણે સામર્થ્યથી કહેવાયેલું થાય છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે – એ રીતે અગમનમાં ઈર્યાવિશોધિ આદિ ગુણો થાય છે અને આત્મવિરાધના-સંયમવિરાધનાદિ દોષો થતા નથી એ રીતે, અગમન જ શ્રેય છે. તિશબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિમાં છે. આથી ઉત્સર્ગસાપેક્ષ અપવાદને ગાથામાં કહે છે – વળી કારણિક ગમન છે =કાયિકી, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુતિયોગાદિ કારણના ઉપનિપાતમાં સંભવવાળું ગમત છે; કેમ કે ત્યારે પણ=કાયિક, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુવિયોગાદિ ગુરુની આજ્ઞાપાલનાદિ, ઉપનિપાત થાય ત્યારે પણ, અગમતમાં તેના નિમિત્તક=કાયિકી, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુવિયોગાદિ નિમિત્તક, ગુણનો અભાવ છે. (માટે ગમન કરવું જોઈએ.) અહીં શંકા થાય કે, ગમતનિમિત્તક લાભ ભલે ન થાય, પરંતુ અગમતનિમિત્તક ઈર્યાવિશોધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ લાભો થશે એ જ મહત્વના છે. માટે ગમન કરતાં અગમન જશ્રેય છે. આવી શંકાના જવાબ માટે અન્ય હેતુ આપતાં કહે છે કે – અને ત્યારે પણ અગમનમાં આજ્ઞાનો વિપ્લવ=ભંગ, હોવાના કારણે ઊલટું દોષનો પ્રસંગ થશેઅગમવકૃત લાભ તો નહિ થાય, પરંતુ આજ્ઞાભંગકૃત દોષનો પ્રસંગ આવશે. તે પ્રકારે અગમનમાં ઈર્યાવિશોધિ આદિ ગુણો થાય અને કારણિક ગમત છે તે પ્રકારે, આગમ છે. (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૩) આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૩ નો અર્થ આ પ્રમાણે છે – “એકાગ્ર પ્રશાંતને ઈર્યાદિ દોષો થતા નથી, ગુણો–સ્વાધ્યાયાદિ ગુણો થાય છે. કારણમાં અવશ્ય જવું જોઈએ અને જવામાં જતી વખતે) આવશ્યકી થાય છે.” “રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ‘વાવનાદ્રિ માં ‘ગારિ’ થી પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથાનું ગ્રહણ કરવું. * ‘ધર્મધ્યાન' માં ‘ગારિ’ થી શુક્લધ્યાનનું ગ્રહણ કરવું. * “સંયમવિરાધનાવો’ માં આરિ’ થી સ્વાધ્યાયભંગ ઈત્યાદિનું ગ્રહણ કરવું. ગુનિયોરિ’ માં ‘આ’ થી નવકલ્પી વિહારાદિનું ગ્રહણ કરવું. ‘તાની માં ૩પ થી એ કહેવું છે કે, કારણ ન હોય ત્યારે તો ગમન ન કરે તો લાભ થાય, પરંતુ કારણમાં પણ અગમન કરે તો તનિમિત્તક ગુણનો અભાવ થાય. » ‘રિયાદો ઉદ્ધરણના ઈર્યાદિમાં ‘દ્ધિ થી આત્મવિરાધના-સંયમ વિરાધનાનું ગ્રહણ કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy