________________
૨૦
આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ સાથે વ્યભિચાર નથી; પરંતુ વૃક્ષ હોય તે શિંશા પણ હોય અને અન્ય પણ હોય, તેથી વૃક્ષપદ શિંશપા સાથે વ્યભિચારી છે. માટે ઉભય-પદ-વ્યભિચારી એવા ઘટ અને પટની જેમ વૃક્ષ અને શિંશપા ભિન્ન નહિ હોવા છતાં એક પદના વ્યભિચારીરૂપે ભિન્ન અર્થવાળા છે. તેમ આવશ્યક સામાચારી પાલન કરનાર સાધુ હંમેશાં નૈષધિથી સામાચારીવાળો છે; કેમ કે આવશ્યક ક્રિયામાં પ્રવૃત્ત હોય છે ત્યારે આપોઆપ પાપવ્યાપારનો નિષેધ કરીને તે આવશ્યક ક્રિયા કરે છે; અને નૈષધિથી સામાચારી યુક્ત સાધુ આવશ્યક યુક્ત હોય પણ અને ન પણ હોય. તેમ નૈષધિથી કરીને વસતિમાં પ્રવેશેલ સાધુ આવશ્યક સામાચારીયુક્ત નથી; કેમ કે વસતિથી બહારના કાર્યમાં જ આવશ્યક સામાચારી રૂઢ છે. પરંતુ વૈષધિની સામાચારીયુક્ત છે; કેમ કે વસતિમાં અત્યંત ગુપ્ત થઈને રહેવાનું છે તેમાં જ નૈષધિથી સામાચારી રૂઢ છે અને તેમાં યુક્તિ આપે છે કે, “જેમ સમિતિવાળો નિયમા ગુપ્ત હોય છે, પરંતુ ગુપ્તિવાળો સમિતિમાં હોય પણ અને ન પણ હોય.” આ પ્રકારના ચૂર્ણિકારના કથનને લઈને આવશ્યકી અને નૈષધિથી સામાચારી એકાર્થક નથી, એમ કોઈ કહે છે, પરંતુ તે કથન યુક્ત નથી.
તેમાં ગ્રંથકાર યુક્તિ આપે છે કે, સાધુ જ્યારે વસતિમાં પ્રવેશે છે ત્યારે નૈષધિકી કરીને પ્રવેશે છે, અને ત્યારે સાધુનો આત્મા નૈષધિથી પરિણામને અભિમુખ ભાવવાળો થાય છે, અને નૈષધિથી સામાચારીને અભિમુખ ભાવવાળો થઈને તે નૈષેધિક પ્રયોગ કરે છે; અને તે સમયે માત્ર પાપવ્યાપારનો નિષેધ કરતો નથી, પરંતુ ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા શયાસ્થાનાદિમાં બેસીને આવશ્યક ક્રિયાને કરે છે. તેથી નૈષધિથી સામાચારીના પાલનકાળમાં પણ આવશ્યક ક્રિયા છે, માટે આવશ્યકી અને નૈષધિકીનું એકાર્થપણું છે, અર્થાત્ વૃક્ષ અને શિંશપાની જેમ પણ ભિન્નાર્થપણું નથી અને ઘટ અને પટની જેમ પણ ભિન્નાર્થપણું નથી, પરંતુ ઘટ અને કુંભની જેમ એકાર્થપણું છે; કેમ કે આવશ્યક સામાચારીના ક્રિયાકાળમાં પણ=વસતિથી બહાર જઈને કરવાના ક્રિયાકાળમાં પણ, પાપવ્યાપારનો નિષેધ છે અને આવશ્યકક્રિયામાં યત્ન છે અને નૈષધિથી સામાચારીના ક્રિયાકાળમાં પણ=વસતિમાં બેસીને કરવાની ક્રિયાકાળમાં પણ, પાપવ્યાપારનો નિષેધ છે અને આવશ્યક ક્રિયામાં યત્ન છે. તેથી આવશ્યકી અને નૈષધિની એકાર્થ છે.
આવશ્યકી અને નૈષધિકી એકાર્થક છે તેને સામે રાખીને જ ચૂર્ણિકાર સ્વયં જ પક્ષાંતર કહે છે, અને ચૂર્ણિકાર કહે છે કે, આ પણ અર્થ સંભવિત છે – “જે નિષિદ્ધાત્મા છે તે નિયમા આવશ્યકયુક્ત છે.” ચૂર્ણિકારે જે આ પક્ષાંતર કર્યો, તેનાથી આવશ્યકી અને નૈષેલિકીની એકાર્થતા સિદ્ધ થાય છે.
આ રીતે આવશ્યકી અને નૈષેધિકીની એકાર્થતા સ્થાપન કરી. હવે ચૂર્ણિકારના પ્રથમ પક્ષ પ્રમાણે આવશ્યકી અને નૈષેલિકીની ભિન્નાર્થતા સ્વીકારીએ તો શું દોષ આવે છે ? તે બતાવે છે –
વળી આ રીતે ચૂર્ણિકારનો પ્રથમ મત સ્વીકારીએ એ રીતે, વૃક્ષ અને શિશપાની જેમ આવશ્યકી અને નિષેબિકીનો ભિન્નાર્થ સ્વીકારીએ તો આવશ્યક નિર્યુક્તિમાં જે કહ્યું છે કે, “તે બંનેનો અર્થ એક છે” – એ પ્રકારના સૂત્રનું ઉલ્લંઘન થવાથી ચૂર્ણિકારને ઉત્સત્રની પ્રાપ્તિ થશે. અને ભાષ્યકારે પણ એ જ કહ્યું છે કે, બહાર જતાં આવશ્યકી પ્રયોગ થાય છે અને વસતિમાં આવતાં નૈષધિની પ્રયોગ થાય છે, પરંતુ “સમિતિ હોય ત્યાં ગુપ્તિ હોય છે અને ગુપ્તિ હોય ત્યાં સમિતિ હોય પણ અને ન પણ હોય,” એ પ્રમાણે આવશ્યકી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org