________________
આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯
૧૯
“અર્થ વળી તે જ છે”= આવશ્યકી અને નૈષધિકીનો અર્થ એક જ છે, એ પ્રકારના (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૨) સૂત્રનું ઉલ્લંઘન થતું હોવાથી ઉત્સૂત્રની આપત્તિ છે=ચૂર્ણિકારને ઉત્સૂત્રની આપત્તિ છે. (ભાષ્ય-૬૨૦) “અને આવશ્યકમાં નીકળતો" ઈત્યાદિ ભાષ્યકારના અભિપ્રાયનો પરિત્યાગ છે અર્થાત્ ચૂર્ણિકારના પ્રથમ પક્ષના સ્વીકારમાં સૂત્રના ઉલ્લંઘનના કારણે ચૂર્ણિકારને ઉત્સૂત્રની આપત્તિ છે અને ભાષ્યના અભિપ્રાયનો પરિત્યાગ છે. એથી કરીને અતિપીડન વડે કરીને શું ? અર્થાત્ કોઈક રીતે ચૂર્ણિકારના પ્રથમ પક્ષને અવલંબીને આવશ્યકી અને નૈષધિકીની એકાર્થતા સ્થાપન કરવા માટેના આયાસથી શું ? અર્થાત્ તે પ્રયત્ન નિરર્થક છે. ।।૩૯।।
* ‘શય્યાસ્થાનવિ’ અહીં ‘વિ’ થી ગુરુથી અનુજ્ઞાત સ્વાધ્યાયાદિનું ગ્રહણ કરવું.
* ‘તાપિ’ અહીં પ્રથમ પક્ષ તો છે જ પણ બીજો પક્ષ પણ સંભવિત છે, એમ ‘પિ’ થી સમુચ્ચય છે. * ‘રૂચારિમાવ્યારાભિપ્રાય’ અહીં ‘આવિ’ થી ભાષ્ય ગાથા-૬૨૦નો ‘આસિયં હૈં ચિંતો’ પછીનો અવશેષ ભાગ ગ્રહણ કરવો.
નોંધ (૧) જે વળી આવશ્યકી-નૈષધિકીની એકાર્થતા નથી એ પ્રમાણે કહે છે, તે અસત્ છે, એમ અન્વય છે.
:
(૨) ‘ä વા વ્યાવ્યા’ થી આવશ્યક ચૂર્ણિનું કથન પ્રારંભ થાય છે, પરંતુ ‘નો આવસર્જન્મ નુત્તો' થી પ્રારંભ થતું નથી, અને પક્ષાંતરમાં પણ ‘તપ સંભાવ્યતે’ થી ચૂર્ણિકારના કથનનો પ્રારંભ છે, પરંતુ ‘નન્હા નો િિસદ્ધપ્પા’ થી પ્રારંભ થતો નથી.
(૩) ભાષ્ય ગાથા ‘આસિયં ચ નિંતો’ પછી ફાવે છે તે ગાથાના અવશેષ ભાગનો પરામર્શક છે. (૪) ‘વં વા વ્યારબા’ માં વા શબ્દ ચૂર્ણિમાં આ કથન પૂર્વે આવશ્યકી-નૈષધિકીની એકાર્થતા બતાવી છે, તેનાથી પક્ષાંતરને બતાવવા છે.
ભાવાર્થ:
આવશ્યક નિર્યુક્તિ ઉપર આવશ્યક ચૂર્ણિ છે અને આવશ્યક નિર્યુક્તિમાં આવશ્યકી અને નૈષધિકી સામાચારી છે. તેની એકાર્થતા વિષે વિચારણા કરતાં ચૂર્ણિકાર બતાવે છે કે, આ રીતે વ્યાખ્યા કરવી, અને તે વ્યાખ્યામાં બતાવ્યું કે, ‘આવશ્યકમાં યુક્ત જે સાધુ હોય તે હંમેશાં નિષિદ્ધ જ હોય અને જે નિષિદ્ધ સાધુ હોય તે આવશ્યકયુક્ત હોય પણ અને ન પણ હોય.' અને તેમાં યુક્તિ બતાવે છે કે, ‘જે સમિત હોય (સમિતિમાં હોય) તે સાધુ નિયમા ગુપ્ત હોય અને જે ગુપ્ત હોય તે સમિતિમાં હોય પણ અને ન પણ હોય.’
આ પ્રકારના આવશ્યક ચૂર્ણિના કથનને લઈને કોઈક વળી સ્થાપન કરે છે કે આવશ્યક ચૂર્ણિના વચનથી આવશ્યકી અને નૈષેધિકીની એકાર્થતા નથી, તે સિદ્ધ થાય છે. જેમ વૃક્ષ અને શિંશપામાં એક પદનો વ્યભિચાર છે, એથી વૃક્ષ અને શિંશપા ભિન્નાર્થક છે, તેમ આવશ્યકી અને નૈષેધિકીમાં એક પદનો વ્યભિચાર છે, માટે ભિન્નાર્થપણું છે.
આશય એ છે કે, શિંશપા હોય તે નિયમા વૃક્ષ હોય તેવી નિયત વ્યાપ્તિ હોય છે, તેથી શિશપાનો વૃક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org