________________
૨૧૬
આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯ અનાભોગાદિ નિમિત્તક પ્રત્યપાયના પરિહાર માટે જ ઈચ્છાય છે=કરાય છે, અને ગમનની પૂર્વે સંવૃતગાત્રપણે સ્થિત સાધુને પ્રત્યપાય થતો નથી કે જેના પરિહાર માટે વૈષધિકી પ્રયોગ કરે.
આ રીતે=આવશ્યકીના સ્થાને વૈષધિકી પ્રયોગ ન થઈ શકે એ રીતે, વૈષધિકી પ્રયોગના સમયે આવશ્યકી પ્રયોગ પણ કરી શકાય નહિ; કેમ કે ત્યારે=જ્યારે નૈષધિકી પ્રયોગ કરે છે ત્યારે, આવશ્યક ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=નૈષધિકી પ્રયોગના ઉત્તરકાળમાં, વ્યાપારના પરિત્યાગના અભિપ્રાયથી જ વૈષેધિકીનો પ્રયોગ કર્યો હોવાથી, અન્યથી=આવશ્યકી પ્રયોગથી, તેનો=વ્યાપારત્યાગતો, નિર્વાહ થતો નથી.
તે=ટીકાના પ્રારંભથી અહીં સુધી વર્ણન કરાયું તે, આને=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત પદાર્થને, અભિપ્રેત કરીને, મલયગિરિજી મહારાજ વડે કહેવાયું છે - ‘આહ'થી પૂર્વપક્ષી શંકા કરે છે જો આમ છે—નૈષધિકી અને આવશ્યકી એકાર્થવાચી છે, તેમ તમે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે છે, તો ભેદથી ઉપન્યાસ=આવશ્યકી અને નૈષધિકી એ બે સામાચારીનું ભેદથી કથન, કેમ કર્યું ? કહેવાય છે ઉત્તર અપાય છે
-
=
“ગમન અને સ્થિતિક્રિયાના ભેદથી"=ગમનને આશ્રયીને આવશ્યકી સામાચારી કહેવાઈ છે અને સ્વસ્થાનમાં સ્થિર રહેવાની ક્રિયાને આશ્રયીને વૈષધિકી કહેવાઈ છે.” ‘રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
‘અનામોલિ’ માં આદિથી સહસાત્કારનું ગ્રહણ કરવું.
‘આવશ્યઝીપ્રયોગોડવિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, આવશ્યકીના સ્થાનમાં નૈષધિકી પ્રયોગ તો ન કરાય, પણ નૈષધિકીના સ્થાનમાં પણ આવશ્યકી પ્રયોગ ન કરાય.
‘આવશ્યવિાવ્યાપારેડપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, ઉત્તરકાળમાં વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી તો નૈષધિકીનો પ્રયોગ થાય, પરંતુ ત્યારે=નિસીહિ' બોલીને પ્રવૃત્તિ કરાય છે ત્યારે, આવશ્યકી ક્રિયાવ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=‘નિસીહિ’ પ્રયોગના ઉત્તરકાળમાં, વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી નૈષધિકી પ્રયોગ થાય છે.
ભાવાર્થ:
ગોચરી આદિ બાહ્ય અવશ્ય પ્રવૃત્તિ કરીને સાધુ જ્યારે વસતિમાં આવે છે, ત્યારે નૈષધિકી પ્રયોગ કરે છે. આ નૈષધિકી પ્રયોગ કરવા પાછળનો આશય એ છે કે, સાધુ ગોચરી માટે ગયેલ હોય ત્યારે ગમનાદિની પ્રવૃત્તિ હોવાને કારણે અનાભોગ, સહસાત્કારથી સંયમના ઉપખંભકથી અધિક કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય તો તે પ્રવૃત્તિથી પણ કંઈક કર્મબંધ થાય; આમ છતાં તે વખતે ઉચિત પ્રવૃત્તિ કરવાની હોવાથી સંવૃત ગાત્રથી બેસવું ઉચિત નથી, તેથી તેવા સમયે શક્ય યતના કરી શકાય. પરંતુ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી સંવૃત ગાત્રથી બેસવાનું છે અને અનાભોગાદિથી સંયમને અનુપકા૨ી કોઈ પ્રવૃત્તિ ન થાય તે રીતે ધ્યાન-અધ્યયનાદિ માટે યત્ન કરવાનો છે, તેથી તે અર્થે નૈષધિકી પ્રયોગ કરાય છે.
વળી સાધુ જ્યારે આહારપ્રાપ્તિ અર્થે ગોચરીએ નીકળે તે પૂર્વે તો તે ઉપાશ્રયમાં બેસેલા હોય છે અને ત્યારે પણ વસતિમાં સંવૃત ગાત્ર કરીને બેસે છે, તેથી સંવૃત ગાત્રવાળા સાધુને અનાભોગાદિ નિમિત્તક પ્રત્યપાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org