SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ આ પ્રકારે યુક્તિથી સ્થાપન કરીને પૂર્વપક્ષીએ પોતાની વાતની પુષ્ટિ માટે નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારની સાક્ષી આપી છે. જેનો અર્થ આ પ્રમાણે છે – કોઈ સાધુ વસતિથી બહાર જતા હોય ત્યારે “આવશ્યકી' પ્રયોગ કરે છે અને વસતિમાં પ્રવેશ કરતા હોય ત્યારે નૈષધિકી' પ્રયોગ કરે છે. આ રીતે આવશ્યકી અને નૈષધિની પ્રયોગ બે પ્રકારે અભિવ્યક્ત કરાય છે, તો પણ તે બંનેનો અર્થ એક છે. આ પ્રકારના નિર્યુક્તિકારના વચનથી નક્કી થાય છે કે, આવશ્યકીનો જે , અર્થ છે તે નૈષેધિકીનો અર્થ છે, માટે તે એકાર્યવાચી છે. વળી ચૂર્ણિકારે કહ્યું છે તેનો ભાવ આ પ્રમાણે છે – આવશ્યકી” એટલે અવશ્ય કર્તવ્ય ક્રિયા અથવા પાપકર્મના નિષેધની ક્રિયા અથવા અવશ્ય કર્મ અથવા તો અવશ્ય ક્રિયા - આ ચારે શબ્દો આવશ્યકીના એકાર્યવાચી શબ્દો છે. આનાથી પણ નક્કી થાય કે, અવશ્ય કરવા યોગ્ય ક્રિયા કે પાપકર્મના નિષેધની ક્રિયા તે બંને આવશ્યકી શબ્દના અર્થો છે. માટે આવશ્યકી અને નૈષધિની એકાÁવાચી છે. આટલું યુક્તિથી અને શાસ્ત્રવચનથી સ્થાપન કરીને હવે પૂર્વપક્ષી કહે છે કે, જ્યારે બંને એકાર્ણવાચી છે, તો વસતિથી બહાર જતી વખતે જેમ “આવશ્યકી” પ્રયોગ થાય છે, તેમ તે સ્થાને “વૈષધિકી'નો પ્રયોગ પણ કેમ ન થઈ શકે ? અર્થાત્ થવો જોઈએ. પૂર્વપક્ષીનો આશય એ છે કે, શાસ્ત્રકારો વસતિથી બહાર નીકળતી વખતે “આવશ્યકી' પ્રયોગ કરવાનું કહે છે અને વસતિમાં પ્રવેશતાં “ઔષધિકી' કરવા કહે છે, તો પણ જ્યારે બંને શબ્દો એકાર્ણવાચી હોય તો આવશ્યકીના સ્થાને “નષેધિકી' પ્રયોગ કેમ ન થઈ શકે ? અર્થાત્ થવો જોઈએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, બંને શબ્દો એકાર્યવાચી હોવા છતાં ગમન પ્રયોજનથી આવશ્યકી પ્રયોગ થાય છે, અને અગમન પ્રયોજનથી “નૈષધિકી'નો પ્રયોગ થાય છે, એ પ્રકારનો વિભાગ છે. આવા પ્રકારના વિભાગ પાછળનો શું આશયવિશેષ છે, તે ગ્રંથકાર સ્વયં આગળ સ્પષ્ટ કરે છે – ટીકા : अयं भावः-नैषेधिकीप्रयोगः खलु स्वप्राग्भाव्यनाभोगादिनिमित्तकप्रत्यवायपरिहारार्थमेवेष्यते । न च गमनात्प्राक् संवृतगात्रतया स्थितस्य साधोः प्रत्यवायो भवति यत्परिहारार्थं नैषेधिकीं प्रयुञ्जीत । एवं नैषेधिकीप्रयोगकाले आवश्यकीप्रयोगोऽपि नापादनीयः, तदानीमावश्यकक्रियाव्यापारेऽप्युत्तरकालं व्यापारपरित्यागाभिप्रायेणैव तत्प्रयोगादन्यतस्तदनिर्वाहात् । तदिदमभिप्रेत्योक्तं मलयगिरिचरणैः ‘आह यद्येवं, भेदेनोपन्यासः किमर्थः ? उच्यते-गमनस्थितिक्रियाभेदादिति ।' ટીકાર્ય : ઉપર્યુક્ત કથનનો આ ભાવ છે – વૈષધિની ખરેખર સ્વતી નૈધિક પ્રયોગની પહેલાં થનારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy