________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૧ પદનું પ્રકરણના મહિમા વડે વિશેષમાં પર્યવસાયીપણું છે.
યથા’=જે પ્રકારે મુનિસમાચારÍ=ઈચ્છાકારાદિ મુનિસામાચારીને સંસેચ=ઉપયુક્તપણા વડે આરાધન કરીને વંeતમે પરમ નિવૃતિને સકલ સાંસારિક સુખથી અતિશયિત મોક્ષસુખને, પામ્યા, મૂળ ગાથામાં ‘ત્વ' એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ‘મિતિ ' એ પ્રમાણે ટીકામાં કહેલ છે. તે વર્ધમાનસ્વામી ! તથા–તે પ્રકારે, તમારી સ્તુતિ વડે=ઈચ્છાકારાદિ ભેદઉપદર્શક તમારી સ્તવના વડે, હું કૃતાર્થ થાઉં છું. આ જ=જે ઈચ્છાકારાદિ ભેદઉપદર્શક આપનું સ્તવન છે એ જ ખરેખર સ્તુતિકલ્પલતાનું ફળ છે, જે ભગવાનના ગુણના વર્ણનરૂપ છે. “રૂતિ’ શબ્દ હેતુઅર્થક છે અર્થાત્ એ હેતુથી હું કૃતાર્થ થાઉં છું.
* ‘ચ્છીછારતિ’ અહીં રાતિ થી મિથ્થાકાર, તથાકાર આદિ ૧૦નું ગ્રહણ કરવું.
* ‘ક્રિયાવિશbસ્થાપિ' અહીં ‘પ થી એ કહેવું છે કે, ઈચ્છાકાર આદિમાં તો સામાચારીપદ શક્તિવાળું છે, પરંતુ ઓઘ અને પદવિભાગ સામાચારીમાં પણ સામાચારીપદ શક્તિવાળું છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે હજુ પોતાને ભગવાનની સ્તુતિ કરવાથી કંઈ ફળ પ્રાપ્ત થયું નથી, તો હું કૃતાર્થ થાઉં છું, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – ટીકાર્ચ -
મશ્રિદ્ધી ..... સિદ્ધર પાછાભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત–ઉત્પન્ન થયેલ, આનાથી= અંતરંગ ગુણરૂપ સ્તવનાથી, શીધ્ર જ અજરામરપણાની સિદ્ધિ છે. [૧] ભાવાર્થ :
અહીં મુનિસામાચારીનો અર્થ સાધુસંબંધી ઈચ્છાકારાદિ ક્રિયાકલાપ (ક્રિયાનો સમુદાય) કર્યો. તેથી મુનિસામાચારીથી ઈચ્છાકારાદિ દશ પ્રકારની સામાચારી ગ્રહણ કરવાની છે. ત્યાં પ્રશ્ન થાય કે -
શાસ્ત્રમાં સાધુસંબંધી સામાચારી ત્રણ પ્રસિદ્ધ છે: (૧) ઓઘ સામાચારી, (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ સામાચારી. તેથી “સામાચારીપદની શક્તિ આ ત્રણે સામાચારીમાં રહેલી છે. તેથી સાધુસામાચારી શબ્દથી ત્રણેની ઉપસ્થિતિ હોવા છતાં ઈચ્છાકારાદિ દશવિધ સામાચારી જ કેમ ગ્રહણ કરી ?
તેથી ગ્રંથકાર સ્પષ્ટીકરણ કરતાં કહે છેઃ ઓઘ સામાચારી વગેરે ત્રણ સામાચારીમાં સમર્થ પણ સામાચારીપદનું, પ્રકરણના મહિમાને કારણે વિશેષમાં પર્યવસાયીપણું છે.
જેમ “સેંધવ' શબ્દ મીઠું (લવણ) અને અશ્વ (ઘોડા) બંને અર્થનો વાચક છે, તો પણ જમવાના પ્રસંગે કોઈ કહે કે, જૈધવમાનવ' તો ત્યાં સૈધવ' શબ્દ જમવાના પ્રકરણના કારણે લવણમાં ગ્રહણ થાય છે અને એ જ શબ્દપ્રયોગ યુદ્ધના પ્રકરણમાં અશ્વના અર્થમાં ગ્રહણ થાય છે, તેમ શાસ્ત્રમાં સાધુસામાચારી ત્રણ પ્રકારની હોવા છતાં ગ્રંથકારે આ ગ્રંથમાં દશવિધ સામાચારીને કહેવાનો પ્રારંભ કરેલ છે, તે રૂ૫ પ્રકરણના મહિમાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org