SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ આવશ્યકી સામાચારી, ગાથા : ૩૮ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાના પરિણામવાળા છે, તેથી તેમની આવનાવાળી ક્રિયા પણ કંઈક અંશથી સામાચારી બને છે; પરંતુ જે સાધુ આવશ્યક સામાચારીના અંગોમાં યત્ન કરતા નથી અને માત્ર “આવશ્યકી પ્રયોગ કરે છે, તે આવશ્યક સામાચારીનું પાલન કરતા નથી. અહીં સામાચારીના લક્ષણમાં ‘વિચિત્ર કર્મક્ષયજનક પરિણામવિશેષ' કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય છે, સાધુમાં જે સામાચારીના પાલનનો પરિણામ છે, તે પરિણામ પણ ઉત્કર્ષ-અપકર્ષની અપેક્ષાએ વિચિત્ર પ્રકારના=અનેક પ્રકારના, કર્મક્ષયનો જનક છે; અને આથી આવશ્યક સામાચારીના પાલનમાં કોઈનો ઉત્કટ અધ્યવસાય થાય તો તે સામાચારીના પાલનથી સંપૂર્ણ મોહનીયકર્મનો ક્ષય પણ થઈ શકે છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. અહીં સ્થાપન કર્યું કે, ઘણા દોષો હોય અને આવશ્યકી” એટલો પ્રયોગમાત્ર કરે, તેનાથી આવશ્યકી સામાચારી બનતી નથી, માટે પૂર્વમાં કહેલ સંપૂર્ણ જ લક્ષણ શ્રેય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, સંપૂર્ણ લક્ષણવાળી ક્રિયા શુદ્ધ સામાચારી છે, તે સંપૂર્ણ લક્ષણમાં કંઈક ત્રુટિ હોય તો તે અશુદ્ધ સામાચારી છે અને જો ક્રિયાના દરેક અંગોથી વિકલ માત્ર “આવશ્યકી' પ્રયોગ કરવા રૂપ સામાચારીનું પાલન હોય, તો તે સામાચારીનું પાલન નથી; કેમ કે નિર્જરાફળની પ્રાપ્તિ થતી નથી. ટીકા : अथावश्यकीजन्यकर्मक्षये इच्छाकारादिकमपि सहकारीति न तद्व्यतिरेके फलोदय इति किमर्थं तद्गर्भ लक्षणम् ? इति चेत् ? न, तावत्सहकारिकल्पनापेक्षया विशिष्ट एव आवश्यकीत्वकल्पनौचित्यादिति दिग् । न चेदं स्वमनीषिकामात्रविजृम्भितमित्याह-इदं-प्रागुतं 'वयमेत्तं णिव्विसयं' इत्यादिना स्वतन्त्रेण स्वागमेन, सिद्धं प्रतिष्ठितम् । तच्चेदं तन्त्रं हारिभद्रोपज्ञम् - (पंचाशक १२/२०-२१) 'वयमेत्तं णिव्विसयं दोसाय मुसत्ति एव विण्णेयं । कुसलेहिं वयणाओ वइरेगेणं जओ भणियं ।। ___ आवस्सियाओ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स । एयस्स एस उचिओ इयरस्स ण चेव णत्थित्ति ।। ટીકાર્ચ - ‘સથ' થી પૂર્વપક્ષી “આવશ્યકી' શબ્દપ્રયોગ જ આવશ્યક સામાચારી છે તેવું સ્થાપન કરવા માટે યુક્તિ બતાવે છે – આવશ્યકીજવ્ય કર્મક્ષયમાં ઈચ્છાકારાદિ પણ ઈચ્છાકાર સામાચારીનું પાલન આદિ પણ, સહકારી છે. એથી કરીને તેનાઈચ્છાકાર સામાચારીના પાલનના, અભાવમાં ફળનો ઉદય=નિર્જરારૂપ ફળનો ઉદય, નથી. એથી કરીને તગર્ભ=અન્ય સામાચારીગર્ભ, લક્ષણ શા માટે ? અર્થાત્ તેવું લક્ષણ १. वचामात्र निर्विषयं दोपाय मृति एवं विज्ञेयम् । कुशलैः वचनाद व्यतिरेकेण यतो भणितम ।। २. आवश्यकी आवश्यकैः सर्वैः युक्तयोगिनः । एतस्य एप उचित इतरस्य न चैव नास्तीति ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy