________________
૨૦૮
આવશ્યકી સામાચારી | ગાથા : ૩૮ કરવું જરૂરી નથી. એમ જો તું=પૂર્વપક્ષી કહેતો હોય તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી; કેમ કે તેટલા સહકારીની કલ્પનાની અપેક્ષાએ વિશિષ્ટમાં જ=ઉપરોક્ત ગુણથી વિશિષ્ટ એવી વ્યક્તિના ‘આવશ્યકી’ શબ્દપ્રયોગમાં જ, આવશ્યકીપણાની કલ્પના ઉચિત છે. એ પ્રમાણે દિશાસૂચન છે.
અને આ=ઉપરમાં કહ્યું કે વાણીમાત્રથી કર્મક્ષયનો સંભવ નથી એ, પોતાની બુદ્ધિથી વિજ઼ભિત નથી. એથી કરીને કહે છે
આ=પૂર્વમાં કહ્યું કે આવશ્યકી વચનપ્રયોગમાત્ર સામાચારી નથી, પરંતુ ગાથા-૩૬માં બતાવેલ સંપૂર્ણ લક્ષણવાળી જઆવશ્યક સામાચારી છે એ, ‘વચનમાત્ર નિર્વિષયક (અનર્થક) છે’ ઈત્યાદિ દ્વારા સ્વ તંત્રથી=સ્વ આગમથી, સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે. અને તે=પૂર્વમાં કહ્યું કે, સ્વઆગમથી પ્રતિષ્ઠિત છે તે, આ=ઉ૫૨માં કહેવાયું એ, તંત્ર=આગમ, હરિભદ્રસૂરિ વડે રચાયેલું છે.
=
હરિભદ્રસૂરિ મહારાજ વડે રચાયેલ પંચાશક ગ્રંથમાં ૧૨મા પંચાશકની ગાથા-૨૦, ૨૧નો અર્થ આ પ્રમાણે છે
1
“વચનમાત્ર=કેવળ વચન જ, નિર્વિષય છે, મૃષા છે, એથી કરીને દોષ માટે છે. કુશલો વડે આગમથી આ પ્રમાણે=‘પંચાશક' ગ્રંથમાં આવશ્યકી સામાચારીનું લક્ષણ ઉપરમાં કહ્યું એ પ્રમાણે, જાણવું; જે કારણથી વ્યતિરેકથી જે કહેવાયું છે.”
“સર્વ આવશ્યકો વડે યુક્ત યોગવાળાની આવશ્યકી (શુદ્ધ) થાય છે. આનો=આવશ્યક યોગયુક્તનો, આ=‘આવશ્યકી' પ્રયોગ, ઉચિત છે, અને ઈતરને=અનાવશ્યક એવી ક્રિયા કરનારને (આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત) નથી જ.
કેમ ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી ? તેથી કહે છે – ‘નસ્થિત્તિ’=નથી એથી કરીને=આવશ્યકી' પ્રયોગનો જે અર્થ છે તેવો અર્થ તેની ક્રિયામાં નથી એથી કરીને, ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી.
* ફછાળારાવિર્ભાપ અહીં વેિ થી ઈર્યાસમિતિનું પાલન, આવશ્યકકર્મ કરવું તેનું ગ્રહણ ક૨વું અને ‘પિ’ થી એ કહેવું છે કે, ‘આવશ્યકી' પ્રયોગ તો ફળની પ્રાપ્તિમાં કારણ છે, પરંતુ ઈચ્છાકારાદિ પણ સહકારી કારણ છે.
* ‘વિના’ અહીં‘વિ’ થી પંચાશક-૩૨ ગાથા-૨૦નો ‘વયમેત્ત’ પછીનો અવશિષ્ટ શ્લોક ગ્રહણ કરવો. * ‘F’ પંચાશકના સાક્ષીપાઠમાં ‘વ્’ શબ્દમાં મૈં છંદને કારણે અધ્યાહાર છે.
म्
* ‘વયમેત્ત શિવિસયં’ માં ‘માત્ર’ શબ્દ અવધારણ અર્થે છે. આવશ્યકી સામાચારીને ઉચિત ક્રિયા વગરનો કેવળ વચનપ્રયોગ અનર્થરૂપ છે.
ભાવાર્થ:
Jain Education International
પૂર્વમાં સ્થાપન કર્યું કે ઘણા દોષો હોય અને કેવળ ‘આવશ્યકી’ એટલા વચનમાત્રથી કર્મક્ષય થતો નથી, માટે આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ જે ગાથા-૩૬માં બતાવ્યું, એ સંપૂર્ણ લક્ષણ જાણવું, અન્ય નહિ. ત્યાં ‘થ’ થી પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે, ‘આવશ્યકી’ એ પ્રયોગ આવશ્યકી સામાચારી છે અને
For Personal & Private Use Only
www.jainelibrary.org