________________
૨૦૨
આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૭ * ‘ધૂ પરિધાનમયા’ ના સ્થાને ‘પૂછાપરમમયા’ એ પાઠ પ્રથમ બત્રીસી શ્લોક-૨૦ના આધારે ભાસે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
* ‘તંત્રિકાના'=આવશ્યકી ક્રિયા છે કારણ જેને એવી નિર્જરા, એ પ્રકારે નિર્જરાનું વિશેષણ બહુવ્રીહિ સમાસથી કરવાનું છે.
* ‘ન ' માં ‘વ’ શબ્દ અવધારણ અર્થે છે.
* પ્રતિજ્ઞા વિનાગણિ' માં ' થી એ કહેવું છે કે, ક્રિયાનાં બીજાં બધાં અંગો પૂર્ણ છે, તેથી પ્રતિજ્ઞા કરી હોત તો ક્રિયા શુદ્ધ થાત, પરંતુ પ્રતિજ્ઞા વગર પણ ક્રિયા શુદ્ધ થતી નથી જ. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, “આવશ્યકી' પ્રયોગ કરીને સંયમમાં અનુપકારક એવી પ્રવૃત્તિ કરવામાં આવે તો પ્રગટ મૃષાવાદની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે “આવશ્યકી” પ્રયોગ કરવાથી મૃષાવાદની પ્રાપ્તિ થાય અને પ્રતિજ્ઞાનો ભંગ થાય એ અત્યંત અહિતનું કારણ છે. તેથી પ્રતિજ્ઞા કર્યા વગર જ સાધુએ અવશ્ય કાર્ય કરવું જોઈએ, જેથી અવશ્ય કાર્ય કરવાથી નિર્જરાની પ્રાપ્તિ થશે; અને કોઈક વખતે અનાવશ્યક કાર્ય કરે તો અવશ્ય કાર્ય કરવાથી થતી નિર્જરાની પ્રાપ્તિ ભલે ન થાય, પરંતુ મૃષાવાદનો તો દોષ પ્રાપ્ત ના થાય. માટે સાધુએ કોઈપણ પ્રવૃત્તિ કરતાં “આવશ્યકી” પ્રયોગ કરવો જોઈએ નહિ, જેથી પ્રતિજ્ઞાના ભંગના દોષની પણ પ્રાપ્તિ થાય નહિ અને અનાવશ્યક કાર્ય કરતી વખતે જે મૃષાવાદનો સંભવ હતો, તે પણ થાય નહિ. તેને ગ્રંથકાર કહે છે –
કોઈ વ્યક્તિ વસ્ત્ર પહેરીશ તો તેમાં “જૂ થઈ જશે અને જૂ મને હેરાન કરશે તે ભયથી જો વસ્ત્રનો પરિહાર કરે તો તે અનુચિત ચેષ્ટિત છે, તેના જેવું જ આ તારું ચેષ્ટિત છે.
કેમ કે “આવશ્યકી” પ્રયોગ કરીશ તો પ્રતિજ્ઞાભંગ થશે, તેથી તેવા ભયથી ‘આવશ્યકી” પ્રયોગ જ ન કરવામાં આવે તો આવશ્યક ક્રિયા કરવા છતાં આવશ્યકી ક્રિયાના ફળથી વંચિત રહેવાનું આવે. તેથી જેમ દેહના રક્ષણ માટે વસ્ત્ર પરિધાન કરવું તે ઉચિત છે, અને જૂ થઈ જાય તો તેને દૂર કરવી તે ઉચિત છે, તેમ અવશ્ય કાર્ય કરવા માટે આવશ્યક પ્રયોગ કરવો ઉચિત છે, જેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય; પરંતુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી અનાવશ્યક કાર્ય કરવાથી મૃષાવાદની પ્રાપ્તિનો ભય છે, માટે “આવશ્યકી” પ્રયોગ ન કરવો જોઈએ તેમ ન કહેવાય, પરંતુ “આવશ્યકી” પ્રયોગ કર્યા પછી અનાવશ્યક કાર્ય કરીને મૃષાવાદની પ્રાપ્તિ ન થાય તેવો યત્ન કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે “આવશ્યકી’ પ્રયોગ ન કરે તો પણ સાધુને સંયમવૃદ્ધિ માટે જે અવશ્ય કર્તવ્ય હતું, તે કાર્ય તો કર્યું જ છે, તેથી તે કાર્ય કરવાને કારણે સાધુને નિર્જરા પ્રાપ્ત થશે. માટે આવશ્યકી' પ્રયોગ ન કરવામાં આવે તો નિર્જરા ફળ મળે નહિ, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
આવશ્યકી” એ પ્રકારના પ્રયોગરૂપ પ્રતિજ્ઞા વિના ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયા શુદ્ધ નથી, માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org