________________
૨૦૧
આવશ્યક સામાચારી / ગાથા : ૩૭ થાય; કેમ કે આવશ્યકી શબ્દપ્રયોગ દ્વારા તેણે પ્રતિજ્ઞા કરેલ છે કે, “સંયમવૃદ્ધિ માટે અવશ્ય ઉપકારી એવા કાર્યને હું કરું છું” અને પછી તેણે સંયમને અનુપકારી એવું કાર્ય કર્યું, માટે મૃષાવાદ દોષ પ્રાપ્ત થાય છે.
ટીકામાં ‘સી’ શબ્દનો “આવશ્યકી પ્રયોગ' એ અર્થ કર્યો અને પ્રયોગ શબ્દ પુલ્લિંગ હોવાથી ‘સ' ને બદલે ‘T' હોવું જોઈએ. આમ છતાં ‘સી’ નો પ્રયોગ કેમ કર્યો? તે બતાવવા માટે ટીકાકારે ખુલાસો કર્યો કે, વિધેયનું લિંગ હોવાથી સ્ત્રીત્વનો નિર્દેશ છે.
આશય એ છે કે, પ્રતિજ્ઞા વિધેય છે અને આવશ્યકી' પ્રયોગ ઉદ્દેશ્ય છે, અને “આવશ્યકી” પ્રયોગને સા શબ્દથી ઉદ્દેશ્ય કરીને વિધેય એવી પ્રતિજ્ઞાને સામે રાખીને વિઘેય એવી પ્રતિજ્ઞાનું સ્ત્રીલિંગ ઉદ્દેશ્યમાં પણ ગ્રહણ કરેલ છે, જેથી વિધેયની પ્રધાનતા ઘોતિત થાય છે.
‘મ્ સદં ૩વશ્ય કરમ માં અવશ્ય શબ્દ “á' નું વિશેષણ છે, પરંતુ શરમ' ક્રિયાપદનું ક્રિયાવિશેષણ નથી, તેથી “અવશ્ય એવું આ કાર્ય હું કરું છું.” એવો અર્થ થાય; પરંતુ “આ કાર્ય હું અવશ્ય કરું છું” તેવો અર્થ થાય નહિ. અને તેમ કરીએ તો આ કાર્ય જે કદાચ અનાવશ્યક પણ હોય તે પણ હું અવશ્ય કરું છું એવો અર્થ થાય જે અનુચિત છે. ટીકા :
___नन्वेवं प्रतिज्ञातिक्रमस्य दुरन्ताहितावहत्वात्तां विनवावश्यकं कर्म क्रियताम्, तत्करणे हि तन्निदाना निर्जराऽभ्युदयेत्, अकरणे तु न मृषावाददोषाधिक्यम् इति चेत् ? नूनमिदं यूकापरिधान(परिभव)भिया वसनपरिहारचेष्टितमायुष्मत इत्याह-न च-नैव, चः अवधारणे, तां-प्रतिज्ञां विनाऽपि क्रिया आवश्यकी शुद्धा-फलाऽव्यभिचारिणी, अनङ्ग अङ्गविकलं प्रधानमिति हेतोः । ટીકાર્ય :
પૂર્વપક્ષી નગુ' થી શંકા કરતાં કહે છે કે, આ રીતે આવશ્યકી બોલીને અનાવશ્યક કર્મ કરવાથી પ્રતિજ્ઞાભંગ થાય છે એ રીતે, પ્રતિજ્ઞાના અતિક્રમનું દુરંત અહિતાવહપણું હોવાથીeખરાબ અંતવાળા અહિત કરનાર હોવાથી, તેના વિના રુપ્રતિજ્ઞા વગર જ, આવશ્યક ક્રિયા કરવી જોઈએ. જે કારણથી તેના કરણમાં–આવશ્યક કર્મના કરણમાં, તબિંદાના નિર્જરા=આવશ્યક કર્મ છે કારણ જેને તેવી નિર્જરા, પ્રાપ્ત થશે. વળી અકરણમાં= અનાવશ્યક કાર્ય કરવારૂપ આવશ્યકતા અકરણમાં, મૃષાવાદ દોષનું આધિક્ય પ્રાપ્ત થશે નહિ. એ પ્રમાણે પૂર્વપક્ષી શંકા કરે તો ગ્રંથકાર કહે છે –
ખરેખર ‘જૂ ના પરિભવના ભયથી જૂ ના હેરાન કરવાના ભયથી, વસ્ત્રના પરિવારનું આયુષ્માન એવા તારું ચેષ્ટિત છે. એને કહે છે – અને અનંગ એવું પ્રધાન છે=અંગવિકલ એવું અર્થાત્ સામાચારીના આવશ્યકી પ્રયોગરૂપ અંગથી રહિત એવું પ્રધાન છે, એ હેતુથી="આવશ્યકી પ્રયોગરૂપ અંગ વગર આવશ્યકી ક્રિયાના આચરણરૂપ પ્રધાન છે એ હેતુથી, પ્રતિજ્ઞા વિના પણ આવશ્યકી ક્રિયા શુદ્ધ નથી જ ફળ અવ્યભિચારી નથી જsફળ વ્યભિચારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org