SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૭ ૨૦૦ ગાથાર્થ : વળી તે=‘આવશ્યકી' પ્રયોગ, પ્રતિજ્ઞા છે. તેના ભંગમાં ખરેખર પ્રગટ મૃષાવાદ છે અનંગ એવું પ્રધાન છે એ હેતુથી તેના વગર પણ ક્રિયા શુદ્ધ નથી જ. II39II ટીકા ઃ सायत्ति । चः पुनरर्थे सा= आवश्यकीतिप्रयोगो, विधेयलिङ्गत्वात्स्त्रीत्वनिर्देश: प्रतिज्ञा = 'इदमहमवश्यं करोमि' इत्यभिधानम् । तस्याः प्रतिज्ञायाः, भङ्गे - अनावश्यके कर्मणि तत्करण इत्यर्थः, किल इति सत्ये पायडो इति प्रकटो मृषावाद :- अनृतभाषणम् । ટીકાર્ય : ‘સા ય ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. 7 શબ્દ પુનઃ અર્થમાં છે અને ‘સા’ શબ્દ ‘આવશ્યકી’ એ પ્રકારના પ્રયોગરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે, ‘આવશ્યકી’ એ પ્રયોગ પુલિંગ છે, તો ‘સા’ શબ્દપ્રયોગ કેમ કર્યો ? તેથી કહે છે પ્રતિજ્ઞારૂપ વિધેયનું લિંગ હોવાથી ‘સા’ શબ્દમાં સ્ત્રીત્વનો નિર્દેશ છે. ‘આવશ્યકી’ પ્રયોગ એ પ્રતિજ્ઞા છે. તે પ્રતિજ્ઞાનો આકાર બતાવે છે – “અવશ્ય એવું આ હું કરું છું,” એ પ્રકારનું અભિધાન તે પ્રતિજ્ઞાનો આકાર છે. તેના=પ્રતિજ્ઞાના, ભંગમાં=અનાવશ્યક કર્મવિષયક પ્રતિજ્ઞાના કરણમાં, ખરેખર પ્રગટ મૃષાવાદ છે=અમૃત ભાષણ છે. ‘વિત્ત’ શબ્દ સત્ય અર્થમાં છે. ‘યો’ શબ્દ પ્રગટ અર્થમાં છે. ભાવાર્થઃ અવતરણિકામાં શંકા કરેલ કે કોઈપણ વ્યક્તિ અનાવશ્યક કાર્ય કરેસંયમને માટે ઉપયોગી ન હોય તેવું કાર્ય કરે, આમ છતાં ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સમિતિઆદિપૂર્વક તે કાર્ય કરે તો તે આવશ્યકી સામાચારીનું પાલન કેમ નથી ? તેને સ્પષ્ટ કરતાં કહે છે ‘આવશ્યકી’ પ્રયોગ તે પ્રતિજ્ઞા છે, અર્થાત્ “અવશ્ય એવું આ કાર્ય હું કરીશ.” એ પ્રકારની પ્રતિજ્ઞા છે. તેથી અવશ્ય એવા કાર્યને કરવાની પ્રતિજ્ઞા કરીને જો અવશ્ય ન હોય એવું કાર્ય કરવામાં આવે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેથી અનાવશ્યક કાર્ય કરનાર વ્યક્તિ ‘આવશ્યકી’ પ્રયોગ કરે તો તે પ્રગટ મૃષાવાદ છે. આશય એ છે કે સાધુઓ નિર્જરાના અર્થી હોય છે અને નિર્જરા માટે જે અવશ્ય કર્તવ્ય છે, તે સાધુને કરવાનું હોય છે. તેથી તેવું આવશ્યક કાર્ય કરવા અર્થે ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સાધુ ઉપાશ્રયાદિથી બહા૨ જાય છે. હવે જે કાર્ય સંયમવૃદ્ધિનું કારણ ન હોય તેવું કાર્ય નિર્જરાનું પણ કારણ ન હોઈ શકે. માટે સાધુ માટે તે કર્તવ્ય નથી. આમ છતાં ‘આવશ્યકી’ (આવસહી) પ્રયોગ કરીને તે કાર્ય કરવા માટે જાય અને ગમનાદિ ક્રિયા પણ સમિતિ આદિ પૂર્વક કરે તોપણ તે કાર્ય અવશ્ય કર્તવ્ય નહીં હોવાથી સાધુને મૃષાવાદ દોષ પ્રાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy