SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૭ ૧૯૯ વળી જે કાર્ય ભગવાને વિહિત કર્યું છે, તદર્થે પ્રવૃત્તિ કરનાર સાધુ પણ ક્યારેક નિમિત્તોને પામીને અલના પામે તો રત્નત્રયીની વૃદ્ધિનું કારણ ન પણ બને. જેમ છે કારણોમાંથી કોઈક કારણ ઉપસ્થિત થયે છતે સાધુ ભિક્ષા માટે જતા હોય, આમ છતાં ક્યારેક તે આહારગ્રહણની ક્રિયા સંયમના ઉપખંભકને બદલે શાતાના પરિણામને ઉપખંભક પણ બની જાય, તોપણ જે સાધુ તે થયેલા પ્રમાદના પરિણામને દૂર કરવા વારંવાર ભગવાને કહેલા આલોચનાદિ કાર્યમાં ઉસ્થિત થઈ પ્રયત્ન કરતા હોય, તેની આવશ્યક સામાચારી તે અંશથી અશુદ્ધ હોવા છતાં કંઈક શુદ્ધિને સન્મુખ છે, તેથી સર્વથા સામાચારીનો અભાવ નથી. વળી સર્વ કાર્યો ગુરુના ઉપદેશથી કરવાનાં હોવા છતાં કોઈક વખતે ઉચિત કૃત્યમાં પણ ગુરુની અનુજ્ઞા ન હોય, અને ગીતાર્થ સાધુ ગુરુની અનુજ્ઞા વગર પણ તે કાર્ય કરે, તો પણ તેની આવશ્યક સામાચારી શુદ્ધ છે. જેમ દર્શનશાસ્ત્રના ગ્રંથો ભણવા માટે સમર્થ સાધુ અન્ય પાસે ભણવા જવા માટે ગુરુ પાસે અનુજ્ઞા માગે, પરંતુ કોઈક પ્રતિબંધને કારણે ગુરુ અનુજ્ઞા ન આપે, તે વખતે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને, દ્રવ્યથી ગુરુની અનુજ્ઞાની અપ્રાપ્તિમાં પણ, અન્યત્ર ભણવા જાય ત્યારે “આવશ્યકી' પ્રયોગ કરે તો તેની આવશ્યકી સામાચારી શુદ્ધ પણ થઈ શકે છે. Ilasin અવતરણિકા : अथानावश्यककार्यकरणे कुतो नैतत्सामाचारीपरिपालनम् ? इति स्पष्टयितुमाह - અવતરણિતાર્થ : હવે અનાવશ્યક કાર્ય કરવામાં આ આવશ્યકી સામાચારીનું પરિપાલન કેમ નથી ? એને સ્પષ્ટ કરવા માટે કહે છે – * અવતરણિકામાં ‘રૂતિ’ શબ્દ ‘ત અર્થમાં છે. ગાથા : सा य पइण्णा तीसे भंगे किर पायडो मुसावाओ । જ ય તં વિવિ િિરયા સુદ્ધાળાં પદાનું તિ પારૂછા છાયા :___ सा च प्रतिज्ञा तस्या भङ्गे किल प्रकटो मृषावादः । न च तां विनापि क्रिया शुद्धाऽनङ्गं प्रधानमिति ।।३७।। અન્વયાર્થ : સા ય રૂUTI વળી તે=આવશ્યકી પ્રયોગ, પ્રતિજ્ઞા છે. તીતે ભરી તેના=પ્રતિજ્ઞાના ભંગમાં વિર પાયો–ખરેખર પ્રગટ મુસવાલો મૃષાવાદ છે 17 પદા તિઅલંગ એવું પ્રધાન છે એ હેતુથી તં વિના વિ=તેના વગર પણ=આવર્સીહીએ પ્રકારની પ્રતિજ્ઞા વગર પણિિરયા=ક્રિયાસુદ્દીન શુદ્ધ નથી જ. li૩શા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy