SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તથાકાર સામાચારી | ગાથા : ૩પ ૧૯૩ અતિશય થાય છે. તે શ્રદ્ધાના ઉત્કર્ષમાં તેનાથી વિપરીત એવા મિથ્યાત્વનો વિનાશ થાય છે. જેમાં મોટી જ્વાળાઓથી અગ્નિ બળતો હોય અને તેના ઉપર પ્રભૂત જળ=જળનો ધોધ નાખવામાં આવે તો તે જ્વાળાનો પરિક્ષય દેખાય છે, તેમ ભગવાનના વચનની શ્રદ્ધાથી મિથ્યાત્વનાં દળિયાંનો પરિક્ષય થાય છે. (૩) મુગ્ધ શ્રોતાઓની તથાકારમાં પ્રવૃત્તિ : તથાકાર સામાચારીના પ્રયોગથી અન્ય પણ મુગ્ધ શ્રોતાઓને તથાકારમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે ગુરુ જ્યારે ઉપદેશ આપતા હોય ત્યારે કોઈક બુદ્ધિમાન પુરુષને ગુરુના વચનમાં તથાકાર કરતા જોઈને મુગ્ધ શ્રોતાઓને પણ તે ગુરુમાં આપ્તભાવનો નિશ્ચય થાય છે, અને તેના કારણે ગુરુના ઉપદેશમાં પણ તે મુગ્ધ શ્રોતાઓને પ્રામાણ્યનો નિશ્ચય અવશ્ય થાય છે. આ રીતે ગુરુના ઉપદેશમાં પ્રામાણ્યનો નિશ્ચય થવાને કારણે તે મુગ્ધ શ્રોતા પણ ગુરુના ઉપદેશને સાંભળતાં શ્રદ્ધાપૂર્વક તથાકાર પ્રયોગમાં નિષ્કપ પ્રવૃત્તિ કરે છે. આમ, જ્યારે વિચારક વ્યક્તિ ગુરુના ઉપદેશમાં તથાકાર કરે તેનાથી જેમ પોતાને પોતાના ભાવોની વૃદ્ધિરૂપ ફળ મળે છે, તેમ અન્ય જીવોને પણ ‘તથા” પ્રયોગ કરાવવામાં પોતે નિમિત્તભાવ બને છે, તે રૂ૫ ફળ પણ પ્રાપ્ત કરે છે. (૪) વિનયગુરુ વડે કહેવાયેલા અર્થમાં ‘તથા પ્રયોગ કરવાથી વિનય પ્રાપ્ત થાય છે, કેમ કે શ્રોતાને ગુરુ પાસેથી સન્માર્ગ પ્રાપ્ત થતો હોય છે, તેથી તેના હૈયામાં સદા ગુરુ પ્રત્યે ભક્તિ વર્તતી હોય છે, અને તે ભક્તિને અભિવ્યક્ત કરે તેવી આ ‘તથા” શબ્દપ્રયોગની ક્રિયા છે. તેથી તથા ના પ્રયોગરૂપ ક્રિયાવિશેષથી પોતાના હૈયામાં વર્તતી ગુરુની ભક્તિ શબ્દો દ્વારા અભિવ્યક્ત થાય છે, જે વિનયરૂપ ક્રિયા છે. તેથી તથાકાર સામાચારી કરવાથી ગુરુનો વિનય કરવારૂપ ફળની પણ પ્રાપ્તિ થાય છે. (૫) ભગવદ્ આજ્ઞાનું પાલનઃ ગુરુ ઉક્ત અર્થમાં ‘તથા” પ્રયોગ કરવાથી ભગવાનની આજ્ઞાનું સમ્યગુ પાલન થાય છે. આશય એ છે કે, ભગવાનની આજ્ઞા છે કે સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી વિધિ અનુસાર કરવી જોઈએ. તેથી જે સાધુ ઉપદેશાદિ અર્થમાં ઉપયોગપૂર્વક અર્થનું અવધારણ કરે અને તેનો યથાર્થ બોધ કર્યા પછી રુચિપૂર્વક ‘તથા” શબ્દનો પ્રયોગ કરે, તે શ્રુતઅભ્યાસની ક્રિયાનું એક અંગ છે અને તે અંગેનું પાલન થવાથી ભગવાનના ઉપદેશનું પાલન થાય છે. (૯) સુકૃત અનુમોદન : મૂળ ગાથામાં તથાકાર સામાચારીનાં આ પાંચ ફળ બતાવ્યાં. તે સિવાયનાં અન્ય ફળ પણ ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે, તે સુકૃત અનુમોદનાદિ રૂપ છે. અહીં “આદિ' પદથી સુકૃતનું સેવન ગ્રહણ કરવાનું છે. આશય એ છે કે, ગુરુ જ્યારે ભગવાનના વચનનો ઉપદેશ આપે છે ત્યારે તે ઉપદેશ સુકૃત છે, અને શિષ્યને ‘તથા પ્રયોગથી ગુરુના સુકૃતની અનુમોદનાનો પરિણામ થાય છે; કેમ કે હૈયામાં તેમના સુકૃત પ્રત્યે આદરની વૃદ્ધિ થાય છે. જેમ કોઈ વ્યક્તિને સુકૃત કરતા જોઈને “આ કરે છે તે સુંદર છે” - એમ કોઈ બોલે તો તેને સુકૃતની અનુમોદના પ્રાપ્ત થાય છે, તેમ અહીં ગુરુ જે અર્થો કહે છે, તે ‘તથા' છે–તેમ છે, તેમ કહેવાથી આ ઉચિત કથન છે, તેવી બુદ્ધિ થાય છે અને તેથી ગુરુની ઉપદેશદાનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy