________________
તથાકાર સામાચારી/ ગાથા : રૂપ
૧૯૪ ક્રિયામાં અનુમોદનાનો પરિણામ થાય છે.
(૭) સુકૃત સેવન વળી આ ‘તથા'નો પ્રયોગ સુકૃતના સેવનરૂપ પણ છે. ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિ કરવી તે સુકૃતનું સેવન છે. તેથી શાસ્ત્ર ભણતી વખતે તે શાસ્ત્રના અર્થનો બોધ થાય ત્યારે ‘તથા પ્રયોગથી
આ તેમ છે તે પ્રકારના ભાવને અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરવી તે ઉચિત પ્રવૃત્તિના સેવનરૂપ છે. તેથી ‘તથા’નો પ્રયોગ સુકૃતના સેવનરૂપ પણ છે. ‘તથા'ના પ્રયોગથી સુકૃત અનુમોદના અને સુકૃતનું સેવન થાય છે તેમાં ચૂર્ણિની સાક્ષી આપેલ છે.
અહીં તથા' શબ્દનો પ્રયોગ ગુરુનો વિનય છે, તીર્થકરની આજ્ઞાનું પાલન છે, સુકૃતની અનુમોદના છે અને સુકૃતનું સેવન પણ છે. આમ છતાં ભિન્ન-ભિન્ન અવચ્છેદકથી એક જ ‘તથા'નો પ્રયોગ ચાર પરિણામને બતાવે છે. ગુરુની ભક્તિના પરિણામમાંથી ઉસ્થિત થયેલો હોવાથી તે તથાકાર વિનય છે, ભગવાનની આજ્ઞાના સ્મરણથી ઉત્થિત થયેલો હોવાથી તે તથાકાર તીર્થંકરની આજ્ઞારૂપ છે, ગુરુના સુકૃત પ્રત્યે અનુમોદનાના પરિણામમાંથી ઉસ્થિત થયેલ હોવાથી તે તથાકાર સુતઅનુમોદનારૂપ છે અને સામાચારીના પાલનના અધ્યવસાયમાંથી ઉસ્થિત થયેલ હોવાથી તે તથાકાર સુકૃતના સેવનરૂપ છે.
સંક્ષેપમાં તથાકાર સામાચારીથી પ્રાપ્ત ફલસમૂહ આ પ્રમાણે છે : સમ્યક્ પ્રકારના ‘તથા” શબ્દના પ્રયોગથી : (૧) તીવ્ર શ્રદ્ધા, (૨) મિથ્યાત્વમોહનીયનાં સત્તામાં રહેલાં દળિયાંનો નાશ, (૩) ગુરુના ઉપદેશમાં બીજાઓને પણ ગુરુ પ્રત્યે આપ્તભાવનો નિશ્ચય, તેનાથી બીજાઓને ગુરુના
વચનમાં પ્રામાણ્યનો નિશ્ચય અને તેનાથી બીજાઓને તથા” એ પ્રકારનો પ્રયોગ કરવારૂપ
ઉચિત પ્રવૃત્તિ કરાવવામાં પોતાનો નિમિત્તભાવ, (૪) ગુરુનો વિનય, (૫) ભગવાનની આજ્ઞાનું પાલન, (૯) ગુરુના ઉપદેશરૂપ સુકૃતની અનુમોદના અને
(૭) સામાચારીના પાલનથી સુકૃતનું સેવન : આ ફલસમૂહ પ્રાપ્ત થાય છે. ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे तथाकारः समाप्तोऽर्थतः ।।३।।
આ પ્રકારે ત્રીજી તથાકાર સામાચારી ગાથા-૩૦ થી ૩૫ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં તથાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ.
જ તથાકાર સામાચારી સમાપ્ત ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org