________________
તથાકાર સામાચારી | ગાથા : ૩૫
૧૯૧ त्वात् । तदुक्तम् - 'तब्भावेण कया पुण किरिया तब्भाववुड्ढिकरी ।' इति । तया तीव्रया श्रद्धयाऽसद्ग्रहैकजीवनस्य मिथ्यात्वमोहकर्मणः क्षयः प्रदेशपरिहानिर्भवति । न ह्येकप्रतिपक्षोत्कर्षेऽपरस्य न विनाशः, जलप्राग्भारेण ज्वालाजालजटिलस्यापि ज्वलनस्य परिक्षयदर्शनात् । तथाऽन्येषामपि श्रोतॄणां मुग्धानामपि प्रवृत्तिर्भवति, निश्चिताप्तभावेन तथाक्रियमाणे उपदेशे प्रामाण्यनिश्चयस्यावश्यकत्वेन श्रद्धापूर्वकनिष्कम्पप्रवृत्तेरनपायात् । तथा विनयो-गुरुभक्तिव्यञ्जकक्रियाविशेषः । तीर्थकराज्ञा-भगवदुपदेशश्चेति । इदमुपलक्षणं-सुकृतानुमोदनाद्यपि यथौचित्येन द्रष्टव्यम् । उक्तं च चूर्णी - ‘तह त्ति सुकताणुमोदणादि' इति ।।३५ ।। ટીકાર્ય :
પત્તો ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે.
આનાથી–ગુરુ ઉક્ત અર્થમાં તથાકારથી, શ્રદ્ધા તીવ્ર થાય છે, કેમ કે તે ભાવ વડે=ભગવાનના વચન પ્રત્યે જે પોતાની રુચિ હોય છે તે ભાવ વડે, કરાયેલી ક્રિયા તથાકાર ક્રિયા, તે ભાવને રુચિરૂપ ભાવને, વૃદ્ધિ કરનારી છે. તે તદ્ભાવથી કરાયેલી ક્રિયા તર્ભાવવૃદ્ધિ કરનારી છે તે, કહેવાયું છે –
“તે ભાવ વડે કરાયેલી ક્રિયા વળી તે ભાવની વૃદ્ધિ કરનારી છે” “તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
તેના વડે તીવ્ર શ્રદ્ધા વડે, અસગ્રહ એક જીવન છે જેને એવા મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય પ્રદેશ હાનિ, થાય છે; જે કારણથી એક પ્રતિપક્ષના વિરોધીના, ઉત્કર્ષમાં અપરનોકબીજાનો, વિનાશ નથી એમ નહીં. તેમાં મુક્તિ આપી તે વાત પુષ્ટ કરતાં કહે છે કે, (અગ્નિના પ્રતિપક્ષ એવા) જલના જથ્થા વડે વાળાસમૂહથી પ્રદીપ્ત પણ અગ્નિનો પરિક્ષય દેખાય છે અને બીજાઓની પણ= મુગ્ધ શ્રોતાઓની પણ, તથાકાર બોલવામાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે બુદ્ધિમાન પુરુષના “તથા’ એ પ્રકારના પ્રયોગના બળથી ગુરુના વચનમાં મુગ્ધ શ્રોતાઓને નિશ્ચિત આપ્તભાવ થાય છે અર્થાત્ “આ ગુરુ આપ્ત છે' એવો નિશ્ચય થાય છેકેમ કે નિર્મીત આપ્તભાવથી તે પ્રકારે કરાતા ઉપદેશમાં પ્રામાણ્યનિશ્ચયનું આવશ્યકપણું હોવાના કારણે=પ્રમાણનો નિશ્ચય અવશ્ય થતો હોવાના કારણે, શ્રદ્ધાપૂર્વકની લિન્કંપ પ્રવૃત્તિનો અપાય છે અર્થાત્ મુગ્ધ શ્રોતાઓની ‘તથા’ એ પ્રકારના પ્રયોગમાં શ્રદ્ધાપૂર્વક નિષ્પકંપ પ્રવૃત્તિ થાય છે, અને વિજય તથાકાર બોલવારૂપ ગુરુની ભક્તિની વ્યંજકક્રિયા વિશેષરૂપ વિનય, અને તીર્થકરની આજ્ઞાનું =ભગવદ્ ઉપદેશનું, પાલત થાય છે. “ત્તિ’ ફળસમૂહની સમાપ્તિ અર્થે છે.
આ=પૂર્વોક્ત સર્વ કથન (તથાકારનાં જે ફળ બતાવ્યાં તે) ઉપલક્ષણ છે. કોનું ઉપલક્ષણ છે તે બતાવે છે – યથાઔચિત્યથી સુકૃતઅનુમોદનાદિ પણ જાણવાં. અને ચૂણિમાં પણ કહ્યું છે – ‘તથા એ પ્રમાણેના પ્રયોગથી સુકૃતઅનુમોદનાદિ થાય છે. “તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. li૩પા
* ‘ગ્નાનીનાનનટનસ્થાપિ' અહીં ‘સર’ થી દીવો કે થોડા અગ્નિની જ્વાળા આદિનો સમુચ્ચય થાય છે. * ‘પાપ' અહીં ‘રિ’ થી પોતાની તથાકારમાં પ્રવૃત્તિ થાય છે, તેનો સમુચ્ચય કરવો.
१. तद्भावेन कृता पुनः क्रिया तदभाववृद्धिकरी ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org