________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૧ सम्यक्सामाचारीरूपानुकूलपवनप्रेरितमेव त्वरितं तन्निस्ताराय प्रभवतीति द्विगुणफलार्थितया भगवद्वर्धमानस्वामिस्तुतिव्याजेन तत्स्वरूपं प्रतिपिपादयिषुः प्रतिजानीते - અવતરણિકાર્ય :
હજારો દુઃખોનાં મોજાંઓથી ભયંકર એવા આ જ ભવરૂપી સમુદ્રમાં ભવ્ય પ્રાણીઓને આધાર ચારિત્ર જ યાનપાત્ર છે=જહાજ છે, અને તે ચારિત્રરૂપી યાનપાત્ર, સમ્યફ સામાચારીરૂપ અનુકૂળ પવનથી પ્રેરિત જ શીધ્ર તેના=ભવસમુદ્રતા, વિસ્તાર માટે સમર્થ બને છે. એ હેતુથી દ્વિગુણ ક્વાર્થીપણાથી ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિના આશયથી તેના સ્વરૂપને-સામાચારીના સ્વરૂપને, પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે.
* ‘પ્રેમવતીતિ’ અહીં તિ’ નો અર્થ “એ હેતુથી' છે અર્થાત્ સામાચારીની સહાયથી ચારિત્ર શીધ્ર સંસારસાગરને તારવા માટે સમર્થ થાય છે, તે કારણથી સામાચારીના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે.
* ‘દ્વિગુણિત્તર્થિતયા' આ સામાચારીને વર્ધમાનસ્વામીની સ્તુતિના આશયથી પ્રતિપાદન કરી છે, તેનું કારણ એ છે કે ગ્રંથકાર બે ફળના અર્થી છે. તે બે ફળ આ પ્રમાણે જણાવે છે –
(૧) ચારિત્રમાં ઉપકારક એવી સામાચારીનો ભવ્ય જીવોને બોધ કરાવવો. (૨) સાથે સાથે ભગવાનની સ્તુતિ દ્વારા પણ સ્તુતિના ફળને પ્રાપ્ત કરવું.
આ બે ફળના અર્થી હોવાના કારણે ગ્રંથકાર સ્તુતિના આશયથી સામાચારીના સ્વરૂપને કહે છે. ભાવાર્થ -
અવતરણિકામાં ચારિત્રને યાનપાત્ર=જહાજ, કહેલ છે અને સમ્યક સામાચારીને અનુકૂળ પવન કહેલ છે. પરંતુ આ સામાચારી ચારિત્રરૂપ જ છે, તેથી તે બંનેની=ચારિત્રની અને સામાચારીની, ભિન્નતા કઈ રીતે સંગત થાય ?
તેનું તાત્પર્ય એ છે કે, ચારિત્ર જેમ મૂળગુણ અને ઉત્તરગુણરૂપ છે, તેમ અપેક્ષાએ મૂળગુણરૂપ પણ છે અને ઉત્તરગુણની પ્રાપ્તિ મૂળગુણની અતિશયતાનું કારણ બને છે. તેથી ઉત્તરગુણરૂપ સામાચારી મૂળગુણરૂપ ચારિત્રને અતિશયિત કરવામાં કારણ બને છે, એ દૃષ્ટિને સામે રાખીને સામાચારીને પવનસ્થાનીય કહેલ છે.
જેમ દાનનો પરિણામ હોય અને દાનક્રિયા કરવામાં આવે ત્યારે તે ઉદારતાના પરિણામમાં અતિશયતા આવે છે, તેમ યથાયોગ્ય દશવિધ સામાચારીના આચરણથી નિશ્ચયનયને અભિમત સમભાવના પરિણામરૂપ આત્માના ચારિત્રના પરિણામમાં પણ અતિશયતા થાય છે. આથી કરીને પણ સામાચારીને અનુકૂળ પવનસ્થાનીય કહેલ છે. IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org