SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૪ ૧૮૭ સર્વ=અશેષ, જિનવચન યુક્તિક્ષમ છે=તર્ક સહ અર્થાત્ તર્કબદ્ધ છે, તે હેતુથી આ=જે એકના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં તથાકાર કરવો અને અન્યના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો એ, વિશેષ= વિભાગ, કયો છે ? કોઈ નથી=ઉચિત નથી, એ પ્રમાણે અર્થ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા પ્રત્યવસ્થાન (વિરોધ) કરાયે છતે ગ્રંથકાર ગાથામાં સમાધાનને કહે છે. કહેવાય છે=અહીં ઉત્તર અપાય છે – આજ્ઞાગ્રાહ્ય અર્થને પ્રીત્ય=આશ્રયીને, આ વિશેષ અર્થાત્ કારણથી (ગીતાર્થના) અયુક્તિક્ષમમાં પણ તથાકાર કરવો એ વિશેષ છે. ‘કૃતિ’ શબ્દ તદ્ અર્થમાં છે. તેથી ‘યં વિશેષઃ’ એ અર્થ પ્રાપ્ત થાય છે. * ‘અયં’ ટીકામાં‘અયં’ શબ્દ છે, તેનો જ અર્થવવેસ્ય . વેતિ સુધી કહેલ છે. ત્યાં‘રૂતિ’ શબ્દફ્તર્ અર્થમાં છે. * ‘ઞયુત્તિક્ષમેઽપિ’ અહીં ‘પિ’ થી યુક્તિક્ષમનો સમુચ્ચય કરવો. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આજ્ઞાગ્રાહ્યને આશ્રયીને આ વિશેષ છે એમ પૂર્વે કહ્યું તો વિચારકને થાય કે, શું પ્રવચનના પદાર્થો યુક્તિગ્રાહ્ય નથી ? તેથી કહે છે – ટીકાર્ય : द्वये खलु विशेषावकाशात् । ખરેખર પ્રવચનમાં બે અર્થો છે : યુક્તિગ્રાહ્ય અને આજ્ઞાગ્રાહ્ય. ત્યાં=પ્રવચનના અર્થમાં, યુક્તિગ્રાહ્ય યુક્તિપૂર્વક જનિરૂપણ કરવા જોઈએ અને આજ્ઞાગ્રાહ્ય અન્યથા જ=યુક્તિથી અન્યથા જ= આજ્ઞાથી જ, નિરૂપણ કરવા જોઈએ. અન્યથા કહેનારને=યુક્તિગ્રાહ્યને આજ્ઞાથી અને આજ્ઞાગ્રાહ્યને યુક્તિથી કહેનારને, અર્થકથનની આશાતના છે. તેમાં ‘ૐ ઘ’ થી પંચવસ્તુ ગ્રંથના ૯૯૪મા શ્લોકની સાક્ષી આપે છે = “આ આજ્ઞાગ્રાહ્ય અર્થ=આગમનો અર્થ, આજ્ઞાથી જ કહેવો જોઈએ, દાર્ણાન્તિક અર્થ દૃષ્ટાંતથી કહેવો જોઈએ. (આ) કથનવિધિ છે, ઈતરથા વિરાધના છે—વિપરીત કહે તો વિરાધના છે.” ‘રૂતિ’ પંચવસ્તુના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘ઉપનક્ષમાં ઘેવું’ અને આ આજ્ઞાગ્રાહ્ય અર્થો આજ્ઞાથી કહેવા જોઈએ એ, ઉપલક્ષણ છે=યુક્તિક્ષમ પદાર્થમાં ક્યારેક આજ્ઞાથી કથન કરવું તેનું ઉપલક્ષણ છે; કેમ કે યુક્તિક્ષમ પદાર્થમાં પણ યુક્તિની અનવતારદશામાં વિશેષનો અવકાશ છે=યુક્તિક્ષમ પદાર્થને પણ તે વખતે આજ્ઞાગ્રાહ્ય બતાવવો તે રૂપ વિશેષનો અવકાશ છે. નોંધ :- પંચવસ્તુના અહીં આપેલ ઉદ્ધરણમાં ‘વિદ્યુતિ ૩’ ના સ્થાને પંચવસ્તુ ગ્રંથ પ્રમાણે ‘વિદંતિય’ શબ્દ છે. તેનો અર્થ ટીકામાં દાáન્તિક કરેલ છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy