________________
તથાકાર સામાચારી / ગાથા : ૩૪ गतिरास्तामित्याशङ्क्य समाधत्ते -
અવતરણિકાર્ય :
‘નનુ’ થી શંકા કરે છે કે, કયો આ વિભાગ છે ? જે કારણથી સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં તથાકાર કરવો જોઈએ ? અને વળી ઈતરના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો ? આ વિભાગ બરાબર નથી. તેમાં યુક્તિ બતાવે છે કે, જે કારણથી ગીતાર્થસંવિગ્ન પણ જિનપ્રવચનને જ બોલશે, અને તે સકલ=ગીતાર્થસંવિગ્ન જે જિનપ્રવચન બોલે છે તે સકલ, યુક્તિક્ષમ જ છે, એથી કરીને એક જ ગતિ હો=જે યુક્તિક્ષમ છે ત્યાં જ તથાકાર કરવો, એ એક જ ગતિ હો. એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે -
* ‘ગીતાર્થવિજ્ઞોઽવિ’ અહીં ‘વિ’ થી અસંવિગ્નગીતાર્થ, સંવિગ્નઅગીતાર્થ અને અસંવિગ્નઅગીતાર્થ તે ત્રણના કથનમાં જ્યાં તમે તથાકાર કરો છો, તે પણ જિનપ્રવચન કહે છે, તેનો સમુચ્ચય કરવો.
ભાવાર્થ:
‘નનુ’ એ શબ્દ પ્રત્યવસ્થાનમાં છે અર્થાત્ પૂર્વમાં જે વિભાગ બતાવ્યો તે સંગત નથી અને તે કઈ રીતે સંગત નથી, તે બતાવતાં કહે છે કે, કયો આ વિભાગ છે ? જે કારણથી સંવિગ્નગીતાર્થમાં યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો જોઈએ અને ઈતરના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો જોઈએ ? અર્થાત્ આ પ્રકારનો વિભાગ સંગત નથી. તેમાં હેતુ આપે છે : જે કારણથી ગીતાર્થસંવિગ્ન પણ જિનપ્રવચન બોલે છે અને તે બધું યુક્તિક્ષમ છે, તેથી કરીને તથાકારના વિષયમાં એક જ ગતિ હો અર્થાત્ જ્યાં જ્યાં યુક્તિસંગતિ હોય ત્યાં ત્યાં તથાકાર કરવો, એ પ્રકારનો એક જ માર્ગ હો. એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે.
૧૮૫
આશય એ છે કે અસંવિગ્નાદિ પણ જે ભગવાનનું વચન કહે છે, ત્યાં તથાકાર કરવાનો છે; અને સંવિગ્ન અને ગીતાર્થ પણ જે કહે છે તે ભગવાનનું વચન કહે છે અને સંવિગ્ન અને ગીતાર્થ હોવાને કારણે તેનું સર્વ વચન યુક્તિક્ષમ હોય છે. તેથી એમ કહેવામાં આવે કે જે જે યુક્તિક્ષમ પદાર્થ છે, તે તે પદાર્થના સ્થાનમાં અવિકલ્પથી તથાકાર કરવો અને તેમ કહેવાથી સંવિગ્નગીતાર્થના બધા વચનમાં પણ તથાકાર થશે. અગીતાર્થ જેટલું ભગવાનનું વચન યથાર્થ કહે છે ત્યાં તથાકાર થશે, અન્યત્ર નહિ. માટે સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં સર્વત્ર તથાકાર કરવો જોઈએ તેમ કહેવું ઉચિત નથી. આ પ્રકારની શંકા કરીને સમાધાન કરે છે –
511211 :
Jain Education International
सव्वंजिवणं जुत्तिखमं तेण को विसेसोऽयं । भन्नइ आणागेज्झे पडुच्च अत्थे विसेसोऽयं । । ३४।।
For Personal & Private Use Only
www.jainelibrary.org