________________
તથાકાર સામાચારી/ ગાથા : ૩૨ તો સંવિગ્નપાક્ષિક કે અસંવિગ્ન સાધુ પાસે પણ ભણવાનો પ્રસંગ આવે તો ત્યારે તથાકાર કરવા અંગે શું વિકલ્પ છે ? તે બતાવવા માટે કહ્યું કે, ત્યાં વિભાષા છે=ભુજના છે. અને તે વિભાષામાં પણ વિશેષતા બતાવી કે જેમ સંવિગ્નગીતાર્થ સુસાધુના ધર્મને યથાર્થ પ્રરૂપે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ સુસાધુના ધર્મને યથાર્થ કહે છે. તેથી સંવિગ્નપાક્ષિકમાં પણ અવિકલ્પથી તથાકાર કરવો અને અન્યમાં વિકલ્પથી કરવો, એ પ્રકારે વિભાષા છે.
‘યં વાપવારૂચેઝ, તિવિધ્યન્તરવેચે” એમ જે કહ્યું, તેનો આશય એ છે કે, સાધુઓએ સંવિગ્નગીતાર્થને છોડીને સંવિગ્નપાક્ષિક પાસે ભણવું એ અપવાદ છે, એમ કેટલાક આચાર્યો કહે છે. અને તેમના મત પ્રમાણે એ અર્થ પ્રાપ્ત થાય છે, ઉત્સર્ગથી તો સંવિગ્નગીતાર્થ પાસે ભણવાનું છે, પરંતુ તેવાની અપ્રાપ્તિમાં અપવાદથી સંવિગ્નપાક્ષિક પાસે ભણવાનું છે. જ્યારે બીજા કહે છે કે, સાધુઓએ સંવિગ્નગીતાર્થ સુસાધુ પાસે ભણવું જોઈએ એ પ્રકારનું જે વિધિવાક્ય છે, તે વિધિવાક્યથી ફલિત થયેલ આ વિધ્યન્તર છે. આનાથી એ કહેવું છે કે, સાધુઓને સુસાધુ પાસે અભ્યાસ કરવાની વિધિ શાસ્ત્રમાં કહેલ છે. એ વિધિવાક્યથી નવીન વિધિ ફલિત થાય છે કે, જ્યારે તેવા સંયોગ ન હોય તો જેમ સુસાધુ ભગવાનના વચનને યથાર્થ કહે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ ભગવાનના વચનને યથાર્થ કહે છે, તેથી તેની પાસે પણ અભ્યાસ કરવો તે પણ ફલિત થયેલી વિધિઅંતર છે=બીજી વિધિ છે.
સંવિગ્નગીતાર્થ અને સંવિગ્નપાક્ષિક સિવાય અન્યમાં યુક્તિક્ષમ પાર્થમાં તથાકાર કરવો અને યુક્તિરહિતમાં અતથાકાર કરવો, એમ કહ્યું ત્યાં અન્યથી ત્રણ વ્યક્તિ જણાવ્યા છે.
(૧) અસંવિગ્નગીતાર્થ :- જેઓ શાસ્ત્રના અર્થો સારી રીતે ભણેલા છે, છતાં સંવેગ નહિ હોવાના કારણે પોતાની હીનતા ન દેખાય તે માટે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરે તેવા છે, તે અસંવિગ્નગીતાર્થ છે. આવા અસંવિગ્નગીતાર્થ પાસે પણ કારણે ભણવાની વિધિ છે.
(૨) સંવિગ્નાગીતાર્થ :- કેટલાક સાધુઓ સંસારથી ભય પામેલા છે અને તેથી ભગવાનના વચનાનુસાર પ્રરૂપણા કરવાના અભિલાષવાળા છે, આમ છતાં શાસ્ત્રોના પરમાર્થને યથાસ્થાને જોડી શકે તેવી બુદ્ધિ સંપન્ન થઈ નથી, તેથી અગીતાર્થ છે. આવા સાધુઓ પાપભીરુ હોવાથી ઉત્સુત્ર ભાષણ કરે નહિ, પરંતુ અગીતાર્થ હોવાથી ભગવાનના વચનનો વિપરીત બોધ પણ તેમને હોય છે, અને તેથી તેમની પ્રરૂપણા ભગવાનના વચનથી વિપરીત પણ સંભવે. માટે કારણે તેવા સાધુ પાસે પણ ભણવાનું આવે ત્યારે યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર થઈ શકે, પણ સર્વત્ર ન કરી શકાય.
(૩) અસંવિગ્નઅગીતાર્થ :- વળી કેટલાક સાધુઓ અસંવિગ્ન પણ હોય અને અગીતાર્થ પણ હોય. આથી અસંવેગને કારણે પણ તેઓ ભગવાનના વચનથી વિપરીત બોલે અને અગીતાર્થ હોવાના કારણે પણ શાસ્ત્રોના અર્થો ખોટા કરે તેમ છે. આમ છતાં તેઓ કેટલાંક શાસ્ત્રો ભણેલા છે, અને અન્ય ઉપાય નહિ હોવાથી તેવા સાધુ પાસે પણ કારણે ભણવાનું થાય તો યુક્તિક્ષમમાં તથાકાર કરવાનો વિધિ છે.
અહીં જિજ્ઞાસા થાય કે, સંવિગ્ન અને સંવિગ્નપાક્ષિક વચ્ચે શું ભેદ છે ? તેનું તાત્પર્ય આ પ્રમાણે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org