________________
૧૭૭
તથાકાર સામાચારી / ગાથા : ૩૨ છે, એમ કેટલાક આચાર્ય કહે છે; ફલિત વિધ્યતર જ છે એ પ્રમાણે અવ્ય કહે છે. અન્યત્ર=અસંવિગ્નગીતાર્થ સંગ્નિઅગીતાર્થ અને અસંવિગ્નઅગીતાર્થ વક્તા હોતે છતે યુક્તિક્ષમમાં યુક્તિને સહન કરે તેવામાંe યુક્તિયુક્ત પદાર્થમાં, તથાકાર કરવો જોઈએ.
અહીં ગાથામાં વરિ સતિ’ એ શબ્દ અધ્યાહાર છે અને મૂળ ગાથાના ત્રણ સ્થાનમાં ‘તથાકાર એ પ્રમાણેનો શબ્દ ગાથા નં. ૩૧માંથી અનુષંગ છે અનુવૃત્તિ છે. ઉત્થાન :
સંપૂર્ણ ગાથા-૩૨માં જે વાત કરી, તેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની સાક્ષી આપતાં કહે છે - ટીકાર્ય :
તથા વાદ .... સુરેન આરૂરી તે પ્રકારે જે પ્રકારે પ્રસ્તુત ગાથામાં તથાકાર કરવાનાં સ્થાનો બતાવ્યાં તે પ્રકારે, જિનવચેતના પારને જોનારા હરિભદ્રસૂરિ પંચાશક-૧૨ શ્લોક-૧૬માં કહે છે –
“ઈતરમાં સંવિગ્નગીતાર્થથી અત્યમાં, વિકલ્પથી તથાકાર કરવો. વિકલ્પથી તથાકાર સ્પષ્ટ કરે છે. જે યુક્તિક્ષમ છે તેમાં તથાકાર કરવો, શેષમાં નહિ, અથવા ઈતરથી=અપવાદથી સંગ્નિપાક્ષિકએવાગીતાર્થઉપદેશક હોતે છતે સર્વત્ર યુક્તિક્ષમ અને યુક્તિઅક્ષમ વચનમાં તથાકાર કરવો.”
પંચાશક-૧૨, ગાથા-૧૬ના ઉત્તરાર્ધમાં ‘તરેT’ શબ્દ છે તેમાંથી રૂતરે અને “ર” ને છૂટું પાડીને બીજી રીતે અર્થ કર્યો કે રૂતરે ગીતાર્થથી ઈતર અગીતાર્થમાં સર્વત્ર તેના વડે કહેવાતી યુક્તિક્ષમ કે અયુક્તિક્ષમ વસ્તુમાં ન= નૈવ તથાકાર ન જ કરવો." li૩૨ાા ભાવાર્થ:
કલ્યાકલ્પને જાણનારા, મૂળઉત્તરગુણવાળા અને ઉપયોગવાળા સાધુમાં અર્થાત્ ઉપયોગવાળા ગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ, એમ ગાથા-૩૧માં બતાવ્યું. તેનાથી ઈતરમાંeગીતાર્થથી ઈતર સાધુમાં, વિકલ્પથી તથાકાર કરવો જોઈએ. તે વાતમાં યુક્તિ બતાવે છે કે, કોઈ એકમાં જ્યારે વિશેષ વિધિ કરવામાં આવે ત્યારે, જેમાં વિધિ કરી છે તેનાથી ઈતરમાં વિશેષ નિષેધ પ્રાપ્ત થાય છે. જેમ પ્રસ્તુતમાં ઉપદેશને આપનાર સંવિગ્નગીતાર્થમાં વિધિ કરી કે, “અવિકલ્પ તથાકાર કરવો.” અર્થાતુ માત્ર તથાકાર કરવો તેમ ન કહ્યું, પણ અવિકલ્પરૂપ વિશેષણથી વિશિષ્ટ તથાકાર કરવો, એ પ્રમાણે વિધિ કહી. આથી તેનાથી ઈતર એવા અન્ય સાધુઓમાં વિશેષ નિષેધની પ્રાપ્તિ થઈ અર્થાત્ જે ગીતાર્થ અને સંવિગ્ન નથી તેવા સાધુઓમાં તથાકારનો સર્વથા નિષેધ પ્રાપ્ત થયો નહિ, પરંતુ અવિકલ્પરૂપ વિશેષણથી વિશિષ્ટ તથાકારનો નિષેધ પ્રાપ્ત થયો; કેમ કે સુસાધુમાં અવિકલ્પથી તથાકારની વિધિ કહી છે, તેથી સુસાધુથી અન્યમાં અવિકલ્પથી તથાકારનો નિષેધ પ્રાપ્ત થાય છે, પરંતુ તથાકારમાત્રનો નિષેધ પ્રાપ્ત થતો નથી; અને કારણ ઉપસ્થિત થયે છતે સંવિગ્નગીતાર્થ સિવાયના અન્યની પાસે પણ અધ્યયન કરવાનું આવે ત્યારે તેવા સ્થાનમાં પણ તથાકાર કરવાનો વિષય પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં વિશેષણભાવ ગ્રહણ કરીને તથાકાર પર્યવસાન પામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org