SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૧ ૧૭૩ તે ક્રિયા છે માટે) અશ્રુત એવી તે ક્રિયાને (આચાર્ય) રેહિ=કરે. તં પઙિયુળિ=તેને સાંભળીને (“તું કર” એમ કહી જે ક્રિયાને બતાવી, તેનો શ્રુતજ્ઞાનથી બોધ કરીને) તત્તિ વ્યાપĪ=તત્તિ કરીને તહેવ ઝીરફત્તિતે જ રીતે કરે છે. ચૂર્ણિના પાઠનો ભાવાર્થ ,, જ્યારે કોઈ શિષ્યને શાસ્ત્ર દ્વારા કોઈક ક્રિયાની વિધિ ગુરુ સમજાવતા હોય ત્યારે, તેમના વચનથી તે ક્રિયાનો યથાર્થ બોધ શિષ્યને ન થતો હોય તો, ગુરુ તેને બોધ કરાવવા માટે કહે કે, “તું અમુક ક્રિયા કર, જે પ્રમાણે હું કરું છું”–“તું મુહપત્તિ પડિલેહણાદિ ક્રિયા હું જે પ્રમાણે કરું છું તેમ કર,” એમ કહીને શબ્દોના ઉચ્ચારણ વગર તે ક્રિયા સાક્ષાત્ કરીને સ્વયં બતાવે છે. ત્યારે ગુરુની ક્રિયાથી સાક્ષાત્ પ્રવૃત્તિ જોઈને, શિષ્ય પૂર્વમાં ગુરુએ વર્ણન કર્યું ત્યારે જે શબ્દો સાંભળ્યા હતા, તે શબ્દોનો યથાર્થ બોધ શિષ્યને થયો તે ક્રિયા શબ્દોથી સમજાવી ત્યારે જેવો બોધ નહોતો થયો, પરંતુ ગુરુએ કરીને બતાવેલી ક્રિયા કરવાથી તે શબ્દોનો યથાર્થ બોધ થતાં, ‘તદ્ઘત્તિ’ એ પ્રકારનો પ્રયોગ કરે છે અને સ્વયં તે પ્રમાણે ક્રિયા કરે છે. તેથી ક્રિયાવિષયક યથાર્થ બોધપૂર્વકનો ‘તદ્ઘત્તિ’ શબ્દપ્રયોગ હોવાથી ચૂર્ણિકાર તેને તથાકાર સામાચારી કહે છે. આ પ્રકારનો અર્થ પ્રસ્તુત ગાથાનો જણાય છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે. અને આ રીતે ‘તદ્ઘત્તિ’ કહીને તે પ્રમાણે જ શિષ્ય તે ક્રિયા કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે, યથાર્થ બોધ કર્યા પછી જે ક્રિયા જે રીતે ક૨વાની છે તે રીતે તે કરે છે, અને તે ક્રિયા કરતાં પૂર્વે તે ‘તથા’ એ પ્રકારનો જે પ્રયોગ કરે છે, તે તથાકાર સામાચારી છે; અને આને ચૂર્ણિમાં બતાવેલ અન્ય આચાર્યો ઈચ્છાકાર સામાચારી કહે છે. અને તેનું કારણ તેઓ કહે છે કે, ગુરુ જ્યારે કહે છે કે, “તું અમુક કર” અને તે કહ્યા પછી તેની ઉચિત વિધિ બતાવે છે, તેનો બોધ કરીને “હું ઈચ્છાપૂર્વક આ કરું છું” તેવા પ્રકારના આશયવાળી આ સાધ્વાચારની ક્રિયા છે, તેથી તે ઈચ્છાકારનો વિષય છે પણ તથાકાર સામાચારીનો નથી. માટે આવશ્યકનિર્યુક્તિ ગાથા-૬૮૯માં ‘તહાઽડમુળાÇ' શબ્દ છે તેનો અર્થ ‘અમુક કર’ તેમ થાય નહીં, પરંતુ તેનો અર્થ ઉપરમાં બતાવ્યો તેમ બીજી રીતે તે આચાર્યો કરે છે. ટીકા ઃ पञ्चाशके पुनरत्र चतुर्थपादस्यादौ 'अविगप्पेणं' इति परावृत्त्या लिखितमिति द्रष्टव्यम् ।।३१ ।। ટીકાર્યઃ : પંચાશક ગ્રંથમાં ૧૨મા પંચાશકની ૧૫મી ગાથામાં વળી, અહીં=આવશ્યક નિર્યુક્તિની ૬૮૯મી ગાથા ‘વાયા દિમુળનાÇ' છે તે ગાથા જ સ્વયં ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કરી છે એમાં, ચતુર્થ પદની આદિમાં=‘હિમુળાણુ તહેવારો' એ ચતુર્થ પાદમાં ‘હિમુળળા’ના સ્થાને ‘વિપેળ’=અવિકલ્પથી અર્થાત્ ભજના વગર, એ પ્રમાણે પરાવર્તન કરીને લખેલ છે=આવશ્યક નિર્યુક્તિની ગાથા-૬ ૮૯ના કથનમાં પરાવર્તન કરીને લખેલ છે, એ પ્રમાણે જાણવું. ।।૩૧।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy