SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ તથાકાર સામાચારી | ગાથા: ૩૧ ત’ શબ્દની સાથે યોજન કરીને, તેના ઉત્તરમાંeતથા શબ્દના ઉત્તરમાં, રહેલા પ્રતિશ્રવણાપદને ઉપદેશાદિપદ સંબંધવાળું છે, એ પ્રમાણે અન્ય કહે છે. એ પ્રમાણે ત્યાં જ=ચૂણિમાં જ કહેવાયેલું છે. ભાવાર્થ : આ પ્રકારના ચૂર્ણિના કથનથી એ અર્થ પ્રાપ્ત થાય કે, પૂર્વમાં ‘ત પડયુITU' નો અર્થ કર્યો કે, અમુક કર” એ પ્રકારનું ગુરુઆજ્ઞાનું ગ્રહણ પ્રતિશ્રવણાના પદથી થાય છે. તે કથનને અન્ય આચાર્યો કહે છે કે, “અમુક કર” તે ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, પણ તથાકાર સામાચારીનો વિષય નથી, અને તેમ સ્વીકારીએ તો ડિસુOTIS' શબ્દનું ક્યાં યોજન કરવું ? તેનું સમાધાન કરતાં તેઓ કહે છે કે, પ્રથમ અર્થ પ્રમાણે ‘તથા” શબ્દ “અને'ના અર્થમાં હતો, તેને હવે ગ્રહણ કરવાનો નથી, પરંતુ તથા'નો અન્વય “ઉત’ ની સાથે કરવાનો છે, અને ‘uડસુપાણID' નો અન્વય ઉપદેશની સાથે અને ‘સુન્નત્થUTU' સાથે કરવાનો છે. અને તે રીતે વિચારીએ તો શ્લોકનો અર્થ એ પ્રાપ્ત થાય કે, “વાચના પ્રતિશ્રવણામાં અને ઉપદેશ પ્રતિશ્રવણામાં અને સૂત્રાર્થકથન પ્રતિશ્રવણામાં “આ તે પ્રકારે અવિતથ છે' - એ તથાકાર છે” અને આ કથનમાં ‘વ’ કાર અધ્યાહાર છે. તેથી વાચના પ્રતિશ્રવણા, ઉપદેશ પ્રતિશ્રવણા અને સૂત્રાર્થકથન પ્રતિશ્રવણાનો સમુચ્ચય ‘ચકારથી થાય છે, અને પ્રતિશ્રવણા શબ્દનું યોજન ઉપદેશની સાથે અને સૂત્રાર્થકથનની સાથે થાય છે. પ્રથમ અર્થમાં તદા પડસુIIT માં તથા’ શબ્દનો અર્થ ‘’ કાર કર્યો, અને ડિસુપાWIT' નો અર્થ કર્યો કે “અમુક કર” એ પ્રકારની ગુરુઆજ્ઞા તે પ્રતિશ્રવણા છે, અને તેને તથાકાર સામાચારીનો વિષય ચૂર્ણિકારે સ્વીકાર્યો. ત્યાં બીજા આચાર્યો તેને કહે છે કે, આ ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, તે આ પ્રમાણે – - જ્યારે ગુરુ કોઈક વિધિ શીખવે ત્યારે જો શિષ્ય તે વિધિ શબ્દોથી ગ્રહણ ન કરી શકે ત્યારે ગુરુ તેને કહે કે, “હું કરું છું તે પ્રમાણે અમુક કૃત્ય તું કર જેથી તને તેનો બોધ થશે”, તેવા સમયે શિષ્ય તથા એ પ્રમાણે કહીને ગુરુએ બતાવેલ તે કૃત્ય કરે, તે સ્થાનમાં ચૂર્ણિકાર તથાકાર સામાચારી કહે છે. પરંતુ આ કથન તો અન્યના મત પ્રમાણે ઈચ્છાકાર સામાચારીનો વિષય બને છે; કેમ કે, ગુરુ “અમુક કર” એ પ્રમાણેની આજ્ઞા કરે ત્યારે શિષ્ય “હું ઈચ્છાપૂર્વક તે કરું છું” તેમ કહે, તેથી ત્યાં તથાકાર સામાચારી કહી શકાય નહિ. તેથી તેઓ પ્રતિશ્રવણાને ઉપદેશપદ સાથે અને સૂત્રાર્થકથન સાથે જોડીને “અમુક કર” એ પ્રકારના પ્રયોગને ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, પણ તથાકાર સામાચારીનો વિષય નથી એમ કહીને તથાકાર સામાચારીને કહેનારી આવશ્યકનિયુક્તિની ગાથાનો અર્થ કરતાં ‘ઘડિયુID' નો અર્થ ‘અમુક કર’ એમ કરી શકાય નહીં, એ પ્રમાણે કહે છે. ઉત્થાન : આ રીતે ચૂર્ણિના બે અર્થો બતાવ્યા. પછી પોતે તદુ' થી પૂર્વે તથાકારના વિષયભૂત સૂત્રદાનલક્ષણ વાચનાદિ ચાર વસ્તુ બતાવેલ, ત્યાં પ્રતિપૃચ્છાના ઉત્તરકાલે ગુરુભણિત કથનમાં તથાકાર થાય એમ કહેલ, એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy