________________
તથાકાર સામાચારી/ ગાથા: ૩૧
૧૬૯ અર્થ પ્રમાણે આચારવાનનું ગ્રહણ કર્યું અને ત્રીજા અર્થ પ્રમાણે આચારના વિષયનું ગ્રહણ કર્યું, આથી કોઈ એકનું પણ જ્ઞાન અન્ય બેની અપેક્ષા રાખે છે. તેથી કલ્યાકલ્પથી ગમે તે એક ગ્રહણ કરીએ તો પણ તદ્અંતર્નિહિતપણા વડે અન્ય બેનું જ્ઞાન પણ અવશ્ય જોઈએ. આથી આ ત્રણનો જ્ઞાતા ગીતાર્થ છે એ ફલિત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, જે સાધુને જૈન સાધુના વિધિ-નિષેધરૂપ આચારોનો યથાર્થ બોધ હોય, અને જૈન સાધુને કઈ ભિક્ષા, વસ્ત્ર-પાત્રાદિ કથ્ય છે અને કઈ વસ્તુ અકથ્ય છે, તેનો પણ ઉત્સર્ગ-અપવાદ-સાપેક્ષ યથાર્થ બોધ હોય; અને જિનકલ્પ, સ્થવિરકલ્પ અને ચરકપરિવ્રાજકના આચારોમાં કઈ રીતે ભેદ છે કે જેના કારણે સ્થવિરકલ્પના આચારો સાક્ષાત્ મોક્ષના કારણ છે અને ચરકપરિવ્રાજ કાદિના આચારો તેવા નથી, તે જાણે છે, તે સાધુ સાધ્વાચારની દરેક ક્રિયાઓ અને કચ્યાકલ્પને પણ તે રીતે યથાસ્થાને જોડે છે અર્થાત્ કઈ રીતે સેવન કરવાથી તે સંયમના પ્રકર્ષનું કારણ બને છે અને કઈ રીતે સેવન કરવાથી તે સંયમના અપકર્ષનું કારણ બને છે, તે યથાસ્થાને જોડી શકે છે. અને આ રીતે દરેક સાધ્વાચારની પ્રવૃત્તિઓ કઈ રીતે નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે, તે જાણતા હોવાથી ભગવાનના વચનના પરમાર્થને જાણનાર ગીતાર્થ છે, એ ફલિત થાય છે.
‘ત્પત્વેિ નિષ્ઠિતી’ આ કથન દ્વારા સાધુ ગીતાર્થ છે, તેમ બતાવ્યું. ત્યાર પછી ‘સર્વગુણવતઃ' એમ કહીને સાધુ મૂળઉત્તરગુણથી પરિપૂર્ણ હોય તેમ કહ્યું. તેના દ્વારા આવશ્યકનિર્યુક્તિમાં બતાવાયેલ “પાંચ મહાવ્રતરૂપ સ્થાનમાં રહેલા અને તપ-સંયમમાં વર્તતા” એ કથનનું વ્યાખ્યાન કરાયું. આનાથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ ગીતાર્થ છે અને સંયમમાં અત્યંત અપ્રમાદવાળા છે, તેવા સાધુના વચનમાં અવિકલ્પથી ‘તથા' શબ્દનો પ્રયોગ કરવાનો છે, અન્યના વચનમાં નહિ.
વળી, આવા ગીતાર્થ અને અપ્રમાદી સાધુ પણ ક્યારેક વાચનામાં મૃતના સંદર્ભના પ્રતિસંધાનપૂર્વક કથન ન કરતા હોય તો તેમના વચનમાં પણ અવિકલ્પથી ‘તથા’ શબ્દનો પ્રયોગ કરવાનો નથી. પરંતુ જે સાધુ જે કંઈ વચન બોલે છે, તેમાં શ્રતનું આધારસ્થાન આપીને તેના બળથી શિષ્યને તેના અર્થનો બોધ કરાવતા હોય, ત્યારે તે શિષ્ય જાણી શકે કે આ ગુરુ શ્રુતમાં ઉપયુક્ત થઈને મને આ અર્થ બતાવે છે, માટે નક્કી તેમનું આ વચન સર્વજ્ઞના વચન અનુસાર છે; ત્યારે તેમની સૂત્રદાન-લક્ષણ-વાચનામાં, ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં, અર્થ-વ્યાખ્યાન-વિધિમાં અને પ્રતિપૃચ્છાના ઉત્તરકાલે ગુરુભણિત કથનમાં શિષ્ય અવિકલ્પથી–નિશ્ચયથી, ‘તથા’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. તે બતાવવા માટે ઉપયોગપૂર્વક બોલતા હોય ત્યારે અવિકલ્પથી તથાકાર કરવો એમ કહેલ છે. ટીકા -
तदुक्तम् - 'वायणपडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयं ति तहा पडिसुणणाए तहक्कारो ।। इति । अत्र ‘तहा पडिसुणणाए' इत्यत्र प्रतिश्रवणा 'अमुकं कुरु' इति गुर्वाज्ञाग्रहणं चूर्णो दृश्यते ।
१. वाचनाप्रतिश्रवणायामुपदेशे सूत्रार्थकथानायाम् । अवितथमेतदिति तथा प्रतिश्रवणायां तथाकार ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org