________________
૧૬૮
તથાકાર સામાચારી / ગાથા: ૩૧ ઉત્સર્ગથી કયા સંયોગોમાં ક્યા આચારો સેવવા અને અપવાદથી કયા આચારો સેવવા, તેના વિષયમાં, દરેક વ્રતના જેટલા ભાંગાઓ છે તેના જ્ઞાનપૂર્વક આચરણીય વિકલ્પોને જાણતો હોય; અને અકલ્પનો અર્થ કર્યો : ઉત્સર્ગથી જે આચરણીય છે તે કયા સંયોગોમાં અનાચરણીય છે, અને જે અપવાદથી આચરણીય છે તેને ક્યારે નહિ આચરવામાં લાભ છે, ઈત્યાદિ જાણતો હોય.
(૨) બીજા અર્થ પ્રમાણે: કલ્પથી જિનકલ્પિક વિર-કલ્પિકાદિનું સ્વરૂપ સમ્યગુ જાણતો હોય તેનું ગ્રહણ કરેલ છે. અહીં “આદિ' પદથી યથાલંદિક અને પરિહારવિશુદ્ધિનું ગ્રહણ કરવું. અહીં યદ્યપિ ક્રમ પ્રમાણે જિનકલ્પિક પછી યથાલદિક અને પરિહારવિશુદ્ધિની પ્રાપ્તિ છે, છતાં જિનકલ્પિક પછી સ્થવિરકલ્પિકનું ગ્રહણ કર્યું અને યથાસંદિક અને પરિહારવિશુદ્ધિનું આદિથી ગ્રહણ કર્યું, તેનું કારણ એ છે કે, જિનકલ્પ અને
વિરકલ્પ એ બંને પ્રસિદ્ધ પ્રધાન આચાર છે, તે જણાવવા માટે તે બંનેનું સાક્ષાત્ શબ્દથી ગ્રહણ કર્યું અને યથાલંદિક અને પરિહારવિશુદ્ધિનું આદિથી ગ્રહણ કર્યું, અને અકલ્પ શબ્દથી ચરકપરિવ્રાજકાદિનું ગ્રહણ કરેલ છે. ગુરુને સ્વપરના આચારના જ્ઞાનનું પ્રયોજન એ છે કે, ચરકપરિવ્રાજકાદિના આચાર કરતાં પોતાના આચારોની કઈ દૃષ્ટિએ મહત્તા છે, તે જાણવા માટે તેમના આચારોનું સમ્યગુ જ્ઞાન પણ આવશ્યક છે. તેથી પૂછપે નો અર્થ આ રીતે પણ કરેલ છે.
આનાથી એ ફલિત થાય કે, જિનકલ્પ અને સ્થવિરકલ્પનો યથાર્થ બોધ હોય તેવા ગીતાર્થ સાધુઓને, જિનકલ્પ અને સ્થવિરકલ્પ નિર્લેપદશાનું યથાર્થ કારણ કઈ ભૂમિકામાં અને કઈ રીતે બને છે, તેનો યથાર્થ બોધ હોય છે; અને ચરકપરિવ્રાજ કાદિના આચારો આપણા આચારો કરતાં પરાયા (પારકા) છે, માટે અકલ્પ છે, એટલું જ માત્ર તે જાણતો નથી, પરંતુ જેમ જિનકલ્પ-સ્થવિરકલ્પ નિર્લેપદશાનું કારણ બને છે તેમ ચરકપરિવ્રાજકાદિના આચારો નિર્લેપદશાનું કારણ કેમ બની શકતા નથી, તે પણ તે જાણી શકે છે. તેથી આ સ્વદર્શનના આચારો છે અને આ પરદર્શનના આચારો છે, એટલો માત્ર બોધ હોતો નથી, પરંતુ સ્વદર્શનના આચારો એકાંત સાનુબંધ છે અને પરદર્શનના આચારો તેવા વિવેકવાળા નહીં હોવાથી એકાંત સાનુબંધ નથી, તેનો પરમાર્થ પણ ગીતાર્થ જાણે છે; અને આથી વિરકલ્પ અને જિનકલ્પને ઉચિત સ્થાને યોજન કરીને મોક્ષનું કારણ બને તે રીતે જોઈ શકે છે, અને તે રીતે આચરણા કરીને હિત પણ સાધી શકે છે. પરંતુ જે સાધુને તેવો બોધ નથી, તે જિનકલ્પ અને સ્થવિરકલ્પના પરમાર્થને જાણતા નથી, તેથી તે આચારોને પાળવા છતાં પણ તે આચારો કઈ રીતે સર્વકલ્યાણનું કારણ છે, તે ઉચિત રીતે જોડી શકતા નથી, માટે તેમનો બોધ પારમાર્થિક બોધ નથી.
(૩) ત્રીજા અર્થ પ્રમાણે કથ્ય અને અકથ્યને ગ્રહણ કરેલ છે અર્થાત્ સાધુને કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં કેવો આહાર, કેવી વસતિ આદિ ગ્રાહ્ય છે અને કઈ અગ્રાહ્ય છે, તેનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાતા ગ્રહણ કરેલ છે.
અથવા’ : ટીકામાં અથવા શબ્દ દ્વારા ત્રણ વિકલ્પોનો નિર્દેશ કરવાથી વાંચનારને એમ લાગે કે, આ ઉપર્યુક્ત ત્રણમાંથી કોઈ એકનો જ્ઞાતા તે જ ગીતાર્થ છે, પરંતુ - પ્રથમ અર્થ પ્રમાણે આચારનું ગ્રહણ કર્યું, બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org