________________
૧૬૭
તથાકાર સામાચારી/ ગાથા : ૩૧ સ્થિતને, સંયમ-તપથી આત્યની=સંયમતપરૂપ ઉત્તરગુણોથી યુક્તની" એટલા અંશનું વ્યાખ્યાન કરાયું.
હવે ગાથાના ‘ડવોને’ શબ્દનો અર્થ કરે છે –
ઉપયોગ આભોગ હોતે છતે=શ્રુતનો ઉપયોગ હોતે છતે, કલ્પાકલ્પમાં સ્થિત, સર્વગુણવાળા યતિની વાચતાદિમાં અવિકલ્પથી તથા’ શબ્દપ્રયોગ કરવો, એ પ્રમાણે અવય છે. આવા ગુણવાળા પણ=કલ્પાકલ્પમાં સ્થિત અને મૂલોત્તરગુણવાળા પણ, અનુપયોગના કારણે અતથા બોલે, એથી કરીને ગાથામાં ‘ઉપયોગ' ગ્રહણ છે, અને આaઉપયોગ, નિર્યુક્તિની ગાથામાં રહેલ તુ' શબ્દનો અર્થ
છે.
અને ચૂર્ણિકાર વડે પણ કહેવાયું –
“તુ' શબ્દથી આ પણ બોલનાર ગુરુ પણ, જો ઉપયુક્ત હોય અને આત્મા વડે=શ્રોતા વડે, “આ બોલનાર ઉપયુક્ત છે,' એમ અવધારણ કરેલ હોય તો તેને અવિકલ્પથી ‘તથા’ શબ્દપ્રયોગ કરવો.” “ત્તિ' શબ્દ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
વળી પંચાશક વૃત્તિમાં ‘તુ' શબ્દ એવકાર અર્થમાં છે, એ પ્રમાણે વ્યાખ્યાન કરાયું, ત્યાં પણ=પંચાલક વૃત્તિમાં પણ, આ ઉપયોગ શબ્દ, ઉપલક્ષણથી જાણવો=પંચાશકની વૃત્તિમાં ઉપયોગ શબ્દ લખ્યો નથી, પણ ‘Mખે રિપિટ્ટિયમ્સ ટાસુ વહુ ટિચસ્પ સંમતવદ્ધસ' આટલા કથન દ્વારા ઉપલક્ષણથી ઉપયોગનું પણ શ્લોકના અર્થમાં ગ્રહણ કરવું. તેની ઉપયોગ હોતે છતે કલ્પાકલ્પમાં સ્થિત મૂળઉત્તરગુણવાળા યતિની, સૂત્રદાનલક્ષણ વાચનામાં અને આદિ શબ્દથી ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં, અને અર્થવ્યાખ્યાનવિધિમાં=પ્રતિપૃચ્છાતા ઉત્તરકાલે ગુરુભણિત(કહેલા)માં, અવિકલ્પથીનિશ્ચયથી, તથાકાર આવશ્યક થાય ભજનારૂપ વિકલ્પ વગર સર્વત્ર તથા’ એ પ્રકારનો શબ્દપ્રયોગ આવશ્યક થાય.
અહીં ગાથામાં ‘આવશ્યક એ પ્રમાણે અધ્યાહાર છે અને વાયનાભિ' માં “નકાર અલાક્ષણિક છે. * ‘ઘરપરિવ્રા નરિ’ અહીં ‘સર’ થી અન્યદર્શનવાળા સંન્યાસીઓનું ગ્રહણ કરવું.
* ‘ણતશાપોડરિ' કલ્પાકલ્પમાં સ્થિત ન હોય અને મૂળઉત્તરગુણવાળા ન હોય તો તો મૃષાવાદ બોલે, તેનો ‘વ’ થી સમુચ્ચય છે.
* ‘તત્રાવીમુપત્નક્ષUT' અહીં ‘ગરિ' થી એ કહેવું છે કે, ચૂર્ણિકારના વચનમાં તો ‘તુ' શબ્દ ઉપયોગ અર્થમાં છે, પરંતુ પંચાશકની વૃત્તિમાં ‘તુ' શબ્દ ઉપયોગ અર્થમાં નથી, ત્યાં પણ ઉપલક્ષણથી લેવાનો છે, તેનું ગ્રહણ છે. ભાવાર્થ:
ટીકામાં કલ્પાકલ્પના નીચે મુજબ ત્રણ અર્થ કર્યા – (૧) કલ્પનો પ્રથમ અર્થ કર્યો વિધિ એટલે આચાર અર્થાતુ પોતાના પાંચ મહાવ્રતોના આચારવિષયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org