________________
૧૬૪
તથાકાર સામાચારી / ગાથા : ૩૦ તથાકાર સામાચારીનું લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને, ‘યત્’ શબ્દથી તથાકાર સામાચારીનો ઉલ્લેખ કરીને તત્ શબ્દથી તથાકાર સામાચારીનું લક્ષણ બતાવવું જોઈએ. તેથી તે પ્રમાણે ઉદ્દેશ્ય-વિધેયભાવ ફેરવી શકાય છે, એ પ્રકારનું તાત્પર્ય છે.
‘વ્યસ્થિત ચેવ’ અને આ=લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર છે એ, સ્યાદ્વાદ રત્નાકરમાં વ્યવસ્થિત છે અર્થાત્ લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર હોવાથી=‘હ્રામનયા પતિ’ અર્થાત્ ઈચ્છા જે પ્રમાણે થાય તે પ્રમાણે વૈકલ્પિક હોવાથી, જે વખતે જેનું પ્રયોજન હોય તે પ્રમાણે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરવું જોઈએ, એ વાત સ્યાદ્વાદ રત્નાકરમાં કહેલ છે.
ભાવાર્થ:
જ્યારે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરાય છે, ત્યાં લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર છે, તેમ કહ્યું તેનો આશય આ પ્રમાણે છે
કોઈક સાધુ સાધુસામાચારી પાળતા હોય તો તે ગુરુઉપદિષ્ટ અર્થમાં રુચિપૂર્વક ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ કરતા પણ હોય, પરંતુ તે સાધુને આવા પ્રકારનો ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ તે તથાકાર સામાચારી છે, તેવું જ્ઞાન ન પણ હોય, પરંતુ તે સાધુ જ્યારે ગુરુ પાસે દવિધ સામાચારી ભણવા બેસે, ત્યારે ગુરુ તેને કહે કે, “ગુરુઉપદિષ્ટ અર્થમાં આ પ્રકારે રુચિપૂર્વક ‘તથા’ એ પ્રમાણે વચનપ્રયોગ તે તથાકાર સામાચારી છે,” તેથી તે સાધુને આશ્રયીને તથાકાર સામાચારી પ્રસિદ્ધ હતી, પરંતુ તથાકાર સામાચારીનું લક્ષણ પ્રસિદ્ધ ન હતું, તેથી આવું વિધાન કરવાથી તેને જ્ઞાન થાય કે, આપણે ગુરુનો ઉપદેશ સાંભળીને જે ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ કરીએ છીએ, તે તથાકાર સામાચારીનું લક્ષણ છે.
હવે કોઈ સાધુને દર્શાવધ સામાચારી છે તેમાં એક તથાકાર સામાચારી છે અને તેનું લક્ષણ આ છે એવું જ્ઞાન હોય, પરંતુ તથાકાર સામાચારી શું છે, તેવી જિજ્ઞાસા તેને થાય ત્યારે, ‘યત્' શબ્દથી તથાકાર સામાચારીના લક્ષણનો ઉલ્લેખ કરીને ‘તત્’ શબ્દ દ્વારા તથાકાર સામાચારી બતાવવામાં આવે છે, ત્યારે તે સાધુને બોધ થાય છે કે તથાકાર સામાચારી આવા સ્વરૂપવાળી છે. તેથી તેવા સાધુને આશ્રયીને તથાકાર સામાચારીનું લક્ષણ પ્રસિદ્ધ કહેવાય અને તથાકાર સામાચારી અપ્રસિદ્ધ કહેવાય. તેથી પ્રસિદ્ધનો ઉદ્દેશ કરીને અપ્રસિદ્ધનું વિધાન ક૨વામાં આવે છે.
સ્યાદ્વાદ્ રત્નાકરમાં પ્રસિદ્ધ કે, લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર–વૈકલ્પિક, હોવાથી, જે વખતે જેનું પ્રયોજન હોય તે પ્રમાણે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરવું જોઈએ. ટીકા ઃ
तदिदमाशया (तदिदमाशयमभिप्रेत्य) चूर्णिकृतोक्तम् - “तहत्ति पओगो णाम जं एवमेतं अवितहमेयं जहेयं तु वह इच्चेस्स अट्ठस्स संपच्चयद्वं सविसए तहत्ति सद्दं पउंजंति" ।। ३० ।।
નોંધ :- ‘વિવનાશયા’ ના સ્થાને ‘વિનાશયમિત્રેત્વ' હોય તેવું ભાસે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org