________________
૧૬૩
તથાકાર સામાચારી / ગાથા : ૩૦.
(૨) હવે કોઈ સાધુએ પૂર્વે શાસ્ત્રના પદાર્થો કોઈને કહ્યા હોય અને તે જ વચનોને પ્રગટ કરનાર અન્ય શાસ્ત્રવચનો મળે ત્યારે કહે કે, “પૂર્વે જે મેં કહ્યું હતું તે તેમ જ છે” - તેવા સમયે જે “તથા પ્રયોગ કરાય છે, તે રુચિપૂર્વક સત્યત્વનું પ્રતિપાદન કરવા અર્થે છે, તોપણ ગુરુ ઉપદિષ્ટ અર્થમાં તે ‘તથા” પ્રયોગ નથી, પરંતુ પૂર્વે પોતાનાથી કહેવાયેલા પદાર્થમાં ‘તથા” નો પ્રયોગ છે, તેથી તથાકાર સામાચારી નથી. અહીં સામાચારીના લક્ષણમાં “ગુરુ ઉપદિષ્ટ અર્થમાં” એવું વિશેષણ મૂકેલ હોવાથી, સ્વભણિત અર્થમાં તથાનો પ્રયોગ કરાય તો પણ તથાકાર સામાચારીનું લક્ષણ ત્યાં જતું નથી અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
(૩) વળી કોઈ આગળમાં કહેવાશે તેવા અગુરુકુગુરુ, જ્યારે અર્થોને કહેતા હોય ત્યારે, તેમના વચનમાં રુચિપૂર્વક “તથા' પ્રયોગ કરે તો પણ ત્યાં તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી, અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી; કેમ કે લક્ષણમાં સુપરિન્ટેડથૈ' વિશેષણ તરીકે કહેલ છે, પણ ‘ગુરૂવિષ્ટડÊ' વિશેષણ તરીકે કહેલ નથી.
(૪) વળી કોઈ વ્યક્તિ ગુરુ ઉપદિષ્ટ અર્થમાં રુચિ વગર ‘તથા નો પ્રયોગ કરે, ત્યાં પણ તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી, કેમ કે તથાકાર સામાચારીના લક્ષણમાં વિપૂર્વ વિશેષણ હોવાથી ગુરુઉપદિષ્ટ અર્થમાં રુચિ વિનાનો ‘તથા” પ્રયોગ તથાકાર સામાચારી નથી.
ટીકામાં ‘ત્યતિ' શબ્દના દિપદથી એ ગ્રહણ કરવું છે કે કોઈ સાધક, સુગુરુ પાસે શાસ્ત્ર ભણતો હોય અને ગુરુના વચનમાં રુચિપૂર્વક તથા’ નો પ્રયોગ કરતો હોય, પરંતુ ગુરુના કથનનું તાત્પર્ય પોતે સ્પષ્ટ સમજ્યો નથી, આમ છતાં ગુરુ જે કહે છે તે તેમ જ છે એવા આશયપૂર્વક ‘તથા નો પ્રયોગ કરે ત્યાં પણ તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી; કેમ કે ગુરુના વચનના તાત્પર્યનો નિર્ણય કરી તેમ જ છે' એ પ્રકારની રુચિને અતિશય કરવા અર્થે તથાકાર સામાચારી' છે, અને અનિર્ણાત પદાર્થમાં તે તેમ જ છે' તેમ રુચિપૂર્વક બોલવા છતાં બોધ વગરના સ્થાનમાં ‘તથા' નો પ્રયોગ હોવાથી તે તથાકાર સામાચારી બને નહીં.
अत्र 'यदा प्रसिद्धमनूद्य तदाऽप्रसिद्धविधानं लक्ष्यलक्षणयोरुद्देश्यविधेयभावस्य कामचाराद् द्रष्टव्यम् । व्यवस्थितं चेदं स्याद्वादरत्नाकरे । ટીકાર્ય :
અહીં તથાકાર સામાચારીના લક્ષણમાં, ‘ય’ શબ્દથી પ્રસિદ્ધને ઉદ્દેશીને તત્ શબ્દથી અપ્રસિદ્ધનું વિધાન જાણવું.
અહીં પ્રશ્ન થાય કે, આવો અર્થ કરીશું તો તથાકાર સામાચારીનું લક્ષણ યત્ શબ્દથી ઉલ્લેખ કરેલ હોવાથી, લક્ષણ પ્રસિદ્ધ છે અને તથાકાર અપ્રસિદ્ધ છે, તેમ માનવું પડે. તેથી કહે છે -
લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ-વિધેયભાવનું કામચારપણું હોવાથી વૈકલ્પિક હોવાથી, પ્રસ્તુતમાં જેમ યત્ શબ્દથી લક્ષણનો ઉલ્લેખ કર્યો, તેમ જે વ્યક્તિને તથાકાર સામાચારી પ્રસિદ્ધ હોય અને
૬. ‘ય’ ત્યનેન શન | ૬. ‘ત’ રૂત્યુનેન શર્લૅન |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org