SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૯ પ્રકર્ષને પામીને નિષ્ઠાને પામે તો આ સંસારમાં જીવ ક્યારેય ફરી પાપ ન કરે તેવી ભૂમિકા જીવમાં પ્રગટ થાય; અને જો પાપઅકરણનો નિયમ નિષ્ઠાને પામેલો ન હોય તો, અત્યારે સાધુ પાપ ન કરતા હોય તો પણ તથાવિધ નિમિત્તને પામીને પાપ થવાની સંભાવના રહે છે; અને કદાચ આ ભવમાં પ્રતિજ્ઞામાં દૃઢ યત્ન હોય તો પાપ ન પણ થાય તો પણ જન્માંતરમાં ફરી તે પાપ પ્રગટ થવાનો સંભવ રહે છે. તેથી પાપકરણના નિયમનો પ્રકર્ષ કરવા અર્થે પાપમાત્ર પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય તે માટે પાપ નહીં કરનારા સાધુને પણ પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહેલ છે. પૂર્વમાં ‘ચાવેતત્ .... મનપાયાધ્વ' સુધી જે કથન કર્યું, તેની સાક્ષી બતાવવા માટે ચૂર્ણિકાર કહે છે - ચૂર્ણિકારે પ્રથમ શંકા કરી કે, પાપ કર્યા વગર પાપનું પ્રતિક્રમણ થઈ શકે નહિ, તેથી પ્રતિક્રમણ સંબંધી ગુણોની પ્રાપ્તિ અર્થે પ્રથમ પાપ કરવું જોઈએ અને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ કે જેથી પ્રતિક્રમણના ગુણો થાય. તેને ઉત્તર આપતાં ચૂર્ણિકાર કહે છે કે, પાપ કરીને પ્રતિક્રમણ કરવું તેના બદલે તેને જ ન કરે= પાપને જ ન કરે, તો તે ઉત્કૃષ્ટ પદથી પ્રતિક્રમણ છે. આ ચૂર્ણિકારના કથનથી એ ફલિત થાય છે, જે જીવ પાપ કરતો નથી, તે ઉત્સર્ગથી પાપથી પ્રતિક્રાંત જ છે, માટે પાપના નાશ અર્થે તેને પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. તો પણ ભગવાનની આજ્ઞા પ્રતિક્રમણ કરવાની છે, તેથી વિહિત અનુષ્ઠાનના સેવનથી થતી નિર્જરા માટે પ્રતિક્રમણ કરવાનું છે, અને જે જીવ પાપ કરે છે, તે જીવને થયેલા પાપની શુદ્ધિ અર્થે પણ પ્રતિક્રમણ કરવાનું છે. ઉત્થાન - ગાથાના પૂર્વાર્ધનું કથન પૂરું કરીને ગાથાના ઉત્તરાર્ધમાં વ્યતિરેક મુખથી વિધિશુદ્ધ અપવાદ બતાવેલ છે, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાઃ उपत्यकरणे सकृदपि ज्ञात्वा करणे, असकृत्-पौनःपुन्येन करणे च, प्रतिक्रमणं न भवति । एवं च यथावत्प्रयतमानस्यैवानाभोगात्पुनरासेवने पापान्तराचरणे च पुनः पुनः प्रतिक्रमणमपवादतोऽपि व्यवस्थितं, न ह्यनाभोगादुपत्यकरणं, व्याघातात्, नाप्यसकृत्करणं, तत्रानाभोगस्याऽप्रयोजकत्वात्, अभिनिवेशादेवासकृत्करणसंभवात्, अनाभोगस्य तु कादाचित्कत्वात् । तदिदमभिप्रेत्योक्तमावश्यकवृत्तौ - “संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्यकरणगोचरायां नाप्यसकृत्करणगोचरायाम्” इति ।।२९ ।। ટીકાર્ચ - ઉપેયકરણમાં એકવાર પણ જાણીને કરવામાં, અને અસકૃત્ત્વવારંવાર, કરવામાં, પ્રતિક્રમણ થતું નથી. અને આ રીતે એકવાર પણ જાણીને પાપ કરવામાં કે વારંવાર પાપ કરવામાં પ્રતિક્રમણ થતું નથી એ રીતે, યથાવત્ પ્રયતમાનને જ=જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે તે જ પ્રમાણે પ્રયત્ન કરતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy