SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૯ પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ અર્થને ગ્રહણ કરીને પોતાનો આશય જણાવતાં કહે છે કે, જીવે પ્રથમ પાપ કરવું જોઈએ અને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ, તેથી સમ્યગુ પ્રતિક્રમણ થાય અને તે સમ્યગૂ પ્રતિક્રમણથી પાપ પણ નાશ થાય અને પ્રતિક્રમણ કરવાના ગુણોની પણ પ્રાપ્તિ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે કે – આ પ્રમાણે ન કહેવું, વાસ્તવિક રીતે પ્રતિક્રમણ કરવાથી થતા ગુણો પૂર્વમાં કરાયેલા દુષ્કતમાત્રના જ ક્ષયને કરનારા છે. આશય એ છે કે, જીવ પાપ કરે અને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરે તો તેનામાં માર્દવાદિ ગુણો પ્રગટ થાય છે અને તે ગુણો પ્રતિક્રમણ કરતાં પૂર્વે કરાયેલા પાપમાત્રને જ નાશ કરે છે. તેથી કાદવમાં હાથ નાખ્યા પછી સ્વચ્છ કરવા જેવી તે ચેષ્ટા છે. તેથી કાદવમાં હાથ નાખીને ધોવા જેમ ઈષ્ટ નથી, પરંતુ કાદવમાં હાથ ન નાખવો ઉચિત છે, તેમ પ્રથમ પાપ કરીને પછી તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવું તે ઉચિત નથી, પરંતુ પાપ ન કરવું તે ઉચિત છે. અહીં પૂર્વપક્ષી કહે કે, પ્રતિક્રમણથી જેમ પાપ નાશ થાય છે, તેમ ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિરાની પણ પ્રાપ્તિ થાય છે. તેથી નિર્જરા અર્થે પ્રતિક્રમણ કરવું આવશ્યક છે, અને તે પ્રતિક્રમણ સમ્યગુ તો જ બને કે જો પાપ કરીને પછી પ્રતિક્રમણ કરવામાં આવે. માટે પ્રથમ પાપ કરીને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ કે જેથી થયેલું પાપ પણ નાશ પામી જાય અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ પણ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે, કોઈ વ્યક્તિ કાદવમાં હાથ ન નાખે અને સ્વચ્છ રહે તો તેને હાથ ધોવાની જરૂર નથી. તેમ કોઈ વ્યક્તિએ પાપ ન કર્યું હોય તો પાપની શુદ્ધિ માટે પ્રતિક્રમણ આવશ્યક થતું નથી. પરંતુ ભગવાને પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલ છે, અને તેથી ભગવાનનું વિધાન હોવાના કારણે કોઈ વ્યક્તિએ પાપ ન કર્યું હોય તે છતાં પ્રતિક્રમણ કરે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પાપનાશથી અન્ય એવું નિર્જરાનું ફળ પ્રાપ્ત કરવા માટે પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ તેમ કહેવાની જરૂર નથી, પરંતુ પાપ કર્યા વિના પણ પ્રતિક્રમણ કરવાથી તે ફળ મળી શકે તેમ છે, માટે ઉત્સર્ગથી પાપ કર્યા વગર સાધુઓએ પ્રતિક્રમણમાં યત્ન કરવો જોઈએ; કેમ કે પ્રતિક્રમણ વિહિત છે શાસ્ત્રમાં વર્તમાનના સાધુઓને પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલ છે. અહીં વિશેષ એ છે કે, પાપથી પાછા ફરવું તેનો અર્થ એ નથી કે, પાપ કરવું અને પછી પાપથી પાછા ફરવું. પરંતુ સાધુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે, “હવે પછી હું પાપ કરીશ નહીં” અને તે પ્રતિજ્ઞા અનુસાર અપ્રમાદભાવ કરતા હોય તો દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ સાધુ પાપથી પાછા ફરેલા છે, છતાં પાપથી નિવર્તનની પોતાની ક્રિયાને અતિશયિત કરવા અર્થે વૃદ્ધિ પામતો અપ્રમાદભાવ આવશ્યક છે, અને તે અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે પાપ નહીં સેવનાર સાધુને પણ ભગવાને પ્રતિક્રમણ કરવાની વિધિ કહેલી છે, જેથી તે પ્રતિક્રમણની ક્રિયાથી પાપ પ્રત્યેનો જુગુપ્સાભાવ અતિશયિત થાય છે અને દીક્ષા ગ્રહણ કરતી વખતે જે પાપથી પાછા ફરવાની ક્રિયા થયેલ છે, તે રૂપ પાપમુકરણનો નિયમ ધીરે-ધીરે પ્રકર્ષને પામે છે. અને જો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy