SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ દુષ્કૃતના ક્ષયમાત્રને કરવાપણું છે. તેથી ઉક્ત વ્યાયનો અવતાર છે ‘પ્રક્ષાનાદ્ધિ પંચે.’ એ પ્રકારના ત્યાયનો અવતાર છેઃપ્રાપ્તિ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, પ્રતિક્રમણથી થતા ગુણો જેમ પૂર્વના કરાયેલા પાપનો નાશ કરે છે, તેમ ત્રીજા ઔષધના દૃષ્ટાંતથી સંયમની પુષ્ટિ પણ કરે છે, અને તેથી તેની પ્રાપ્તિ અર્થે સમ્યગુ પ્રતિક્રમણ કરવું હોય તો પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ, જેથી પ્રતિક્રમણ સમ્યગુ બને. તેથી કહે છે – ટીકાર્ય : હનાન્તરા .... પવિતો તિ અને પ્રતિક્રમણનું વિહિતપણું હોવાના કારણે પાપના અકરણમાં પણ (વિહિત એવા પ્રતિક્રમણરૂપ અનુષ્ઠાનના સેવનથી) ફલાંતરઅર્જતનું થયેલા પાપથી અન્ય એવી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું, અપાયપણું છે. ચૂર્ણિકાર કહે છે – “આ પ્રમાણે મતિ થાય આ પ્રમાણે શંકા થાય – પ્રતિક્રમણ સંબંધી ગુણો નહીં થાય-પાપ કરીને પ્રતિક્રમણ કરવાથી પ્રતિક્રમણનો અર્થ સંગત થવાના કારણે પ્રતિક્રમણ સંબંધી ગુણો થાય, પરંતુ પાપ કર્યા વગર પ્રતિક્રમણ કરવામાં આવે તો પ્રતિક્રમણ સંબંધી ગુણો નહીં થાય. ઉત્તર અપાય છે – “જો તેને જ પાપને જ, ન કરે તો ઉત્સર્ગપદથી પ્રતિક્રાંત છે.” (તેથી પ્રતિક્રમણના ગુણો તેને થવાના જ). ‘ત્તિ ચૂણિકારના ઉદ્ધરણમાં ‘ત્તિ શબ્દ શંકાની સમાપ્તિમાં છે. ત્તિ ચૂણિકારના ઉદ્ધરણ પછીનો ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ“ચતત્ ... પવિતો” રૂત્તિ | સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે - પૂર્વમાં સ્થાપન કર્યું કે પાપ કરીને પ્રતિક્રમણ કરવું તેના કરતાં પાપ જ ન કરવું તે ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ છે. ત્યાં “ચાવેત” થી કોઈ શંકા કરે છે અને કહે છે – પ્રતિક્રમણ શબ્દનો અર્થ પાપથી પાછા ફરવું તેવો થાય છે, તેથી પાપ કર્યા પછી પાપથી પાછા ફરવામાં આવે તો પ્રતિક્રમણ શબ્દનો અર્થ સંગત થાય છે; અને પાપ કર્યા વગર પ્રતિક્રમણ કરવામાં આવે તો તે શબ્દ બોલવાની ક્રિયારૂપ થઈ શકે, પરંતુ પાપથી પાછા ફરવાની ક્રિયારૂપ બને નહિ, માટે સમ્ય પ્રતિક્રમણ કરવા અર્થે પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ; અને પાપ પણ ન કરે અને પ્રતિક્રમણ પણ ન કરે તો પ્રતિક્રમણની ક્રિયા વગર પ્રતિક્રમણની ક્રિયા કરવાથી થતા ગુણો પ્રાપ્ત થાય નહિ. માટે શંકાકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy