SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૯ કરવું” તે બંનેમાં “પાપ ન કરવું” તે સુતરા... શ્રેષ્ઠ છે. તેથી પ્રસ્તુતમાં ‘પદ’ શબ્દથી ઉત્સર્ગપદ ગ્રહણ કરેલ છે. અહીં પદ શબ્દ સ્થાનવાચી છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિક્રમણનું જે સ્થાન હોય તે પદ કહેવાય અને પ્રતિક્રમણનાં સ્થાન બે છેઃ (૧) પાપ સર્વથા ન કરવું, અને (૨) કદાચ કોઈક રીતે પાપ થઈ ગયું તો તેનું શોધન કરવું. આ બે સ્થાનોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રથમ છે અર્થાતુ પાપ સર્વથા ન કરવું તે શ્રેષ્ઠ છે, અને પાપ કરીને શોધન કરવું તે શ્રેષ્ઠ હોવા છતાં પ્રથમ જેવું શ્રેષ્ઠ નથી. આથી પદનો અર્થ પ્રથમ એવું ઉત્સર્ગપદ સુતરામુ છે, એમ ચૂર્ણિકારે કહ્યું છે અને “પદ' શબ્દથી ઉત્સર્ગપદ જ ગ્રહણ કરવું ઉચિત છે, તેની પુષ્ટિ કરવા માટે આવશ્યકનિર્યુક્તિકારની સાક્ષી પણ આપેલ છે. અહીં સામાન્યથી પ્રશ્ન થાય કે, પ્રતિક્રમણનો અર્થ ‘પાપથી પાછા ફરવું' તેવો થાય છે, પણ જેણે પાપ કર્યું નથી, તે પાપથી પાછો ફર્યો છે તેમ કઈ રીતે કહી શકાય ? અને ઉત્સર્ગપદથી પાપ નહીં કરનાર પાછો ફરતો નથી, તો પ્રતિક્રમણ કેમ કહેવાય ? તેનું સમાધાન એ છે કે, જીવ જ્યારે સંયમ ગ્રહણ કરે છે ત્યારે પૂર્વના પાપના ભાવોથી પાછો તો ફરે છે, અને પાછો ફર્યા પછી તે ફરી પાપ ન કરે તો તે પાછો ફરેલો જ છે; અને ક્વચિત્ પાપથી પાછા ફર્યા પછી પણ સંયમજીવનમાં ફરી પાપ થઈ જાય તો મિથ્યાદુષ્કત આપીને અપવાદથી પાછો ફરે છે. તેથી પ્રતિક્રમણ શબ્દનો અર્થ ઉત્સર્ગમાં અને અપવાદમાં પણ સંગત છે, અને આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ પાપથી પાછા ફરેલા હોય છે. અને જેઓ નિરતિચાર ચારિત્ર પણ પાળે છે, તેઓ પાપથી પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણની ક્રિયાથી ઉત્તરોત્તર અતિશય કરીને પાપના અકરણનિયમની નિષ્ઠાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમયોગમાં દૃઢ યત્ન કરે છે, જે પાપથી પાછા ફરવાની ક્રિયાને અતિશય કરવાની ક્રિયાસ્વરૂપ છે, અને જ્યારે જીવ વીતરાગ બને છે ત્યારે સદા માટે પાપથી પાછો ફરેલો બને છે. ઉત્થાન : - અહીં મિથ્યાકાર સામાચારીનું વર્ણન ચાલે છે ત્યાં ઉત્સર્ગથી અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું. ત્યાં શંકા થાય કે, પ્રતિક્રમણની વાત નથી, મિથ્યાદુષ્કતની વાત ચાલે છે, ત્યાં પ્રતિક્રમણનું કથન કેમ કર્યું ? અર્થાત્ આકાંક્ષિત મિથ્યાકાર સામાચારી છે, પ્રતિક્રમણ અનાકાંક્ષિત છે, તો તેનું પ્રતિપાદન કેમ કર્યું ? તેનો ખુલાસો કરતાં કહે છે - ટીકા : प्रतिक्रमणपदार्थो मिथ्यादुष्कृतप्रयोगस्तेन नानाकाङ्किताभिधानम् । उक्तं च चूर्णिकृता – “मिच्छादुक्कडप्प મિયથૈ” ત્તિ ! લોકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy