SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ તિ આ.નિ. ની ગાથા પછીનું તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નોંધ:- ગાથામાં અકરણતા છે તે જ અકરણ છે=ાકરણ અર્થમાં છે, અને ગાથામાં “ગુ' શબ્દ વિતર્કમાં છે, અને વિતર્ક પ્રતિક્રમણ વિષે નિશ્ચયનયના પર્યાલોચનરૂપ છે. * “પ્રક્ષાનનાદ્ધિ' એ ન્યાયમાં રહેલો હિ' શબ્દ ‘સ્મા' અર્થમાં છે અને આ શ્લોક અષ્ટક પ્રકરણમાંથી ઉદ્ધત છે, તેના પૂર્વના કથન સાથે જોડાયેલ છે. ‘ન ’ આ.નિ. ના ઉદ્ધરણમાં ‘ન’ પછી ‘વ’==' નું પૂર્વના શ્લોક સાથે જોડાણ છે. ભાવાર્થ : ઉક્ત દોષોના ભયને કારણે નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક ઊઠે છે, તે આ રીતે – ગાથા-૨૭માં કહેલ કે પાપ કર્યા પછી ફરી આભોગથી પાપ થાય તો: (૧) મૃષાવાદ (૨) માયા અને (૩) મિથ્યાત્વની પ્રાપ્તિ છે. આ પ્રકારનું કથન સાંભળીને કોઈને ભય પેદા થાય છે, તો ખરેખર પરમાર્થથી મારે શું કરવું જોઈએ ? અર્થાત્ નિશ્ચયનયની દૃષ્ટિથી મારે શું કરવું જોઈએ કે જેથી મને અનર્થ ન પ્રાપ્ત થાય ? એ પ્રકારના પર્યાલોચનથી વિચારીએ તો ઉત્સર્ગપદથી ભગવાન વડે પાપનું અકરણ જ પ્રતિક્રમણ કહેવાયું છે. અહીં વિશેષ એ છે કે, જેમ કોઈ ખરાબ દુર્ગધવાળા પદાર્થમાં હાથ નાંખી પછીથી હાથ ધોવામાં આવે, છતાં જો તે પદાર્થની થોડી પણ દુર્ગધ હાથમાં રહી જાય તો તેનાથી અનર્થ પેદા થાય, તેવું કોઈને જ્ઞાન થાય, તો તેને “પરમાર્થથી મારે શું કરવું જોઈએ ?” એવો વિતર્ક ઊઠે, તો નિર્ણય થાય કે ખરેખર તો મારે તે પદાર્થમાં હાથ જ ન નાંખવો જોઈએ; કેમ કે હાથ બગાડીને ધોવા તે કરતાં તો હાથ ન બગાડવા તે જ શ્રેષ્ઠ છે. તે દૃષ્ટિને સામે રાખીને ઉત્સર્ગથી પાપ નહીં કરવાને જ પ્રતિક્રમણ કહેલ છે; અને કદાચ કોઈક ભૂલથી તે પદાર્થમાં હાથ નંખાઈ ગયો હોય તો હાથ તે રીતે સાફ કરવા જોઈએ કે જેથી તેની સહેજ પણ અસર ન રહે. તેમ પાપ નહીં કરવાના દૃઢ સંકલ્પવાળા મુનિથી પણ કોઈક નિમિત્તને પામીને પાપ થઈ ગયું તો ફરી પાપ ન થાય તેવા દઢ પ્રયત્નપૂર્વક મિચ્છા મિ દુક્કડ આપવું જોઈએ, કે જેથી ચિત્તમાં તે પાપના અલ્પ પણ સંસ્કારો રહી ન જાય કે જેથી તે પાપની અસરની સંભાવના રહે. તે વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ છે. ટીકામાં ‘પદ' શબ્દથી પ્રથમ ઉત્સર્ગપદ સુતરાય્ છે, એમ ચૂર્ણિકાર કહે છે, કેમ કે પાપ કરીને પાપથી પાછા ફરવા કરતાં પાપ ન જ કરવું એ જ ન્યાપ્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, પાપ કરીને પાપને ધોવું તે તો ન્યાય છે જ, પરંતુ પાપ ન કરવું તે વધારે ઉચિત છે. તેથી ‘પદ' શબ્દથી અપવાદપદ પણ ગ્રહણ કરી શકાય, પરંતુ તેના કરતાં ‘પદ” શબ્દથી પ્રથમ એવું ઉત્સર્ગપદ ગ્રહણ કરવું તે સુતરામ્ ઉચિત છે. આશય એ છે કે ‘પદ' શબ્દ ઉત્સર્ગપદ અને અપવાદપદ એ બંનેનો વાચક છે. છતાં પદ શબ્દથી પ્રથમ એવું ઉત્સર્ગપદ ગ્રહણ કરવું તે જ વધારે યુક્ત છે; કેમ કે કાદવમાં હાથ નાખ્યા પછી પાણીથી હાથને ધોવા તેના કરતાં કાદવમાં હાથ ન નાખવા તે જ શ્રેષ્ઠ છે. તેમ “પાપ કરીને પાપની શુદ્ધિ કરવી” અને “પાપ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy