________________
૧૪૮
મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૮ અભિનિવેશ વડે યથાવાદ અનુષ્ઠાન હોતે છતે અશ્રદ્ધા થવાને કારણે સમ્યક્ત પરીક્ષયથી મિથ્યાત્વ છે. વળી અનભિનિવેશને કારણે અનાભોગાદિ વડે પ્રતિષિદ્ધ આચરણામાં જ્ઞાનના કાર્યરૂપ પશ્ચાત્તાપાદિતી પ્રાપ્તિ હોવાથી તેનો જ્ઞાનનો, અભાવ નથી.
આ વાતના સમર્થન માટે પંચાશક-૧૧ શ્લોક-૪૭-૪૮ની સાક્ષી આપતાં કહે છે –
તદુત્ત' તે=વ્યવહારનયના મતે અભિનિવેશના કારણે વિપરીત આચરણામાં મિથ્યાત્વ છે અને અભિનિવેશથી વિપરીત આચરણામાં મિથ્યાત્વ નથી, એમ જે પૂર્વમાં કહ્યું કે, પંચાશક ગ્રંથમાં કહેવાયું છે
પંચાશક-૧૧ ગાથા-૪૭-૪૮નો અર્થ આ પ્રમાણે છે : “અને એ રીતે=નિશ્ચયનયના મતે ચારિત્રના ઘાતમાં જેમ જ્ઞાનાદિ નથી હોતાં એ રીતે, અભિનિવેશથી અનંતાનુબંધીના ઉદયથી જન્ય ભગવાનના વચનથી વિરુદ્ધ આચરણામાં રુચિરૂપ અભિનિવેશથી, તેના પ્રતિષિદ્ધનું સેવન, મોહ અજ્ઞાન, અને અશ્રદ્ધાના ભાવ વડે ચરણના વિઘાતમાં, જ્ઞાનાદિ નથી.
અનભિનિવેશથી વળી અવિપર્યાસને કારણે=બોધવા અવિપર્યાસને કારણે, તેના વિઘાતમાં પણ=ચારિત્રના વિઘાતમાં પણ, પશ્ચાત્તાપાદિભાવરૂપ તેના કાર્યનો ઉપલંભ હોવાથી જ્ઞાનાદિના કાર્યની પ્રાપ્તિ હોવાથી, હોય છેજ્ઞાનાદિ હોય છે.
* ‘દુ' વાક્યાલંકારમાં છે અને ‘નવું;' પછી ‘સંતાવારમ્' એ શબ્દ મૂળ ગાથામાં અધ્યાહાર છે. રૂતિ’ પંચાશકના ઉદ્ધરણ પછીનું ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૮ ‘મનામોટિના અહીં તિ' થી સહસાત્કારનું ગ્રહણ કરવું.
* ‘gશ્વાત્તાપઢિ” અહીં ‘ગારિ” થી પ્રતિષિદ્ધ આચરણના નિવર્તનની યતના ગ્રહણ કરવી. ભાવાર્થ :
પૂર્વની ગાથામાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડ દાન આપ્યા પછી આભોગપૂર્વક ફરી તે પાપ કરે તો મિથ્યાત્વ પણ છે. તે કથનમાં સાક્ષીરૂપે પ્રસ્તુત ગાથા છે અને આ પ્રસ્તુત ગાથા નિશ્ચયનયની છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે નિશ્ચયનય તો સમ્યગ્દષ્ટિને પણ જો તેના જ્ઞાનને અનુરૂપ અપ્રમત્તભાવથી ચારિત્રમાં યત્ન ન કરે તો મિથ્યાષ્ટિ કહે છે અને સાતિચારવાળા સાધુને પણ આ નય મિથ્યાદૃષ્ટિ કહે છે, તે નિશ્ચયનયની દૃષ્ટિના મિથ્યાત્વને ગ્રહણ કરીને, અહીં મિથ્યાદૃષ્ટિ કહેવાનું શું પ્રયોજન છે?
પરંતુ આ પ્રકારનું કથન કરવામાં ગ્રંથકારનો આશય એ છે કે, “મિચ્છા મિ દુક્કડ' આપતી વખતે હવે ફરી મારે પાપ કરવું નથી, એવો દઢ સંકલ્પ આવશ્યક છે. પણ જો દઢ સંકલ્પ ન કરવામાં આવે તો મિથ્યાત્વની પ્રાપ્તિની પૂરી સંભાવના છે, અને તેવા સ્થાનમાં નિશ્ચયનયની દૃષ્ટિ વિશેષથી ઉપકારક છે; કેમ કે પ્રતિજ્ઞા કર્યા પછી તે પ્રમાણે આચરણ ન કરવામાં આવે તો મિથ્યાત્વ છે, તેવી બુદ્ધિ થવાથી “મિચ્છા મિ દુક્કડ” દેનાર વ્યક્તિને તે નિશ્ચયનયના અવલંબનથી ફરી મારે પાપ નથી કરવું, તેવો દઢ અધ્યવસાય ઊઠે છે.
જેમ સાધુ સંયમ ગ્રહણ કરતી વખતે વ્યવહારનયનું અવલંબન લે છે, તેથી વ્યવહારનયથી ઉચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org