SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ રહેવા પણ પ્રયત્ન કરતા હતા. તો પણ જ્યારે ત્યાંથી પસાર થતા નવપરિણીત મિત્રની મશ્કરી કરતા જુવાનિયાઓ જ્યારે ચંડરુદ્રાચાર્યની પાસે આવીને કહે છે કે, “આ દીક્ષા લેવા આવ્યો છે”, ત્યારે તે નિમિત્તને પામીને ફરી તેમની પ્રકૃતિ ચંડ બને છે ગુસ્સાવાળી બને છે. આમ છતાં પોતાની આવી પ્રકૃતિને જાણીને હિંમેશાં તેઓ આવાં નિમિત્તોથી દૂર રહેવા પ્રયત્ન કરતા હતા, તેથી તેઓનો પુનઃ પુનઃ કુપિત થવાનો પરિણામ પૂર્વની જેમ પુનઃ આસેવનરૂપ નથી; પરંતુ જેમ કુંભારના ઘડાને ફોડીને ક્ષુલ્લક સાધુ “મિચ્છા મિ દુક્કડું” આપીને ફરી તે પ્રકારે ઘડાને ફોડે છે, તેમ જે સાધુ મિચ્છા મિ દુક્કડ' આપે છે અને ત્યાર પછી તેવા દોષના નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા નથી, તે સાધુનું મિચ્છા મિ દુક્કડં તે પ્રકારના પુનઃ આસેવનરૂપ છે; અને તેથી તેનું મિચ્છા મિ દુક્કડે બીજાને ઠગવા માટે માયારૂપ છે; કેમ કે ગુરુ આદિના રંજન માટે તે મિથ્યાદુષ્કત આપે છે, પરંતુ અંત:પરિણામમાં પાપથી બચવાનો કોઈ અધ્યવસાયમાત્ર પણ થયો નથી. માટે ફરી તેવાં પાપનાં નિમિત્તોથી દૂર રહેવા પણ તે યત્ન કરતો નથી. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, જે સાધુ પાપના ફળના નાશ અર્થે “મિચ્છા મિ દુક્કડ' આપે છે, આમ છતાં અનાદિ ભવના અભ્યાસને કારણે તેની પાપસેવનની વૃત્તિ પણ ગઈ નથી, તેથી ફરી તે પાપ સેવે પણ છે, તોપણ જે સાધુ પાપ સેવ્યા પછી “મિચ્છા મિ દુક્કડ' ન આપે તેને ભલે કોઈ ફળ ન મળે, પરંતુ જે સાધુ મિચ્છા મિ દુક્કડું આપે છે, તે સાધુને “ મિચ્છામિ દુક્કડ' આપવાનું ફળ મળવું જોઈએ. તેને બદલે તે મિથ્યાદુષ્કતદાન આપે છે તે માયા છે, તેમ શા માટે કહેલ છે ? તેથી કહે છે – ટીકા : ___ न हि ज्ञात्वा प्रतीपाचरणे निःशूकतया प्रतिबद्धः संवेगः समुत्थातुमुत्सहते ? न च तं विना तद्दानं પ્ર ત્યુનું પર્વ ર તત્ર ટુર્નિવારી માયા / ૩ - (ાવ. નિ. ૬૮૬) १"जं दुक्कडं ति मिच्छा तं चेव निसेवए पुणो पावं । पच्चक्खमुसावाई मायानियडीपसंगो य ।।' इति । ટીકાર્ય :જાણીને પ્રતીપ આચરણમાં=પ્રતીપ પ્રતિ પગલે તરત, તે પાપ આચરવામાં (' મિચ્છા મિ દુક્કડં કાળમાં જ) નિઃશૂકપણાથી નિર્બસપણાથી પ્રતિબદ્ધ થયેલો એવો સંવેગતો પરિણામ ઊઠવા માટે ઉત્સાહિત થતો નથી=ઊઠતો નથી, અને તેના વગર તે દાન મિથ્યાદુક્તદાન, ફળવાળું થતું નથી, એ પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે. પૂર્વ ર તત્ર અને એ રીતે ત્યાં=સંવેગ વગર મિથ્યાદુષ્કત આપવામાં, માયા દુર્નિવાર છે-માયા નિવારી શકાતી નથી. “મિચ્છા મિ દુક્કડં આપ્યા પછી ફરી તે પ્રકારે પાપસેવામાં માયાદોષ છે, તે બતાવવા માટે : १. यदुष्कृतमिति मिथ्या तमेव निसेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy