________________
૧૩૮
મિથ્યાકાર સામાચારી | ગાથા ૨૬ (૧) અભિપ્રાયવિશેષરૂપ શક્તિ : “મપ્રાથવિશેષરૂપા” “આ પદથી આ બોધ કરવો” તે પ્રકારનો કોઈ વ્યક્તિનો અભિપ્રાયવિશેષ તે તે શબ્દવિષયક હોય, તે અભિપ્રાયવિશેષરૂપ શક્તિ છે.
(૨) અર્થાતરરૂપ શક્તિ : અર્થાન્તરરૂપ” દરેક શબ્દમાં ચોક્કસ અર્થનો બોધ કરાવવાની શક્તિ છે, જે તે શબ્દથી સ્વતંત્ર છે, અને જે શબ્દમાં જે શક્તિ રહેલી છે તે શબ્દથી તે અર્થનો બોધ થાય તેવું તે શક્તિનું સામર્થ્ય છે, તે અર્થાતરરૂપ શક્તિ છે. તે રીતે “
મિચ્છા મિ દુક્કડમ” એ પ્રયોગના દરેક અક્ષરમાં પણ દરેક અક્ષરની સ્વતંત્ર શક્તિ છે, તે પણ અર્થાતરરૂપ શક્તિ છે. ટીકા :
अथ प्रत्येकमक्षराणामर्थवत्त्वे प्रत्येकं स्याद्युत्पत्तिप्रसङ्गः, धातुविभक्तिवाक्यवर्जार्थवत्त्वेन तस्य नामत्वादिति चेत् ? न, तत्रार्थवत्पदस्य योगार्थवत्परत्वादिति, अधिकमस्मत्कृताऽध्यात्ममतपरीक्षायामवसेयम् ।।२६।। ટીકાર્ય :
‘ાથ' થી શંકા કરે છે કે, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરનો અર્થ હોતે છતે પ્રત્યેક અક્ષરને સંસ્કૃતમાં નામને લગાડવામાં આવેલી વિભક્તિઓરૂપ ચઢિ પ્રત્યયોની=પ્રથમા આદિ વિભક્તિઓના “સિ' આદિ પ્રત્યયોની, ઉત્પત્તિનો=પ્રાપ્તિનો, પ્રસંગ આવશે; કેમ કે ધાતુ, વિભક્તિ અને વાક્યોને છોડીને જે અર્થવાળા હોય તેનું નામ પડ્યું છે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે આમ ન કહેવું; કેમ કે ત્યાં=નામમાં, અર્થવત્ પદનું યોગાર્થવર્ધરપણું વ્યુત્પત્તિ અર્થવાળાપણું, છે. “તિ’ શબ્દ શ્લોકની સમાપ્તિ અર્થે છે અને આ વિષયમાં અધિક ગ્રંથકાર વડે કરાયેલ ‘અધ્યાત્મમતપરીક્ષાથી' જાણવું. I૨૬I ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડમ્” વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, માટે શક્તિવાળું પદ સ્વીકારીને દરેક અક્ષરને લઈને વાક્યના ચાર પ્રકારના શાબ્દબોધ થઈ શકે છે. ત્યાં કોઈ ‘ાથ થી શંકા કરે કે, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર જો અર્થને બતાવતા હોય તો પ્રત્યેક અક્ષરને સંસ્કૃતના નિયમ પ્રમાણે વિભક્તિનો પ્રત્યય લાગવો જોઈએ, તો તે અક્ષરથી શાબ્દબોધ થઈ શકે. જેમ પટઉનય’ એ પ્રયોગમાં ‘ઘટ’ શબ્દથી દ્વિતીયા વિભક્તિ લાગીને શાબ્દબોધ થાય છે. પરંતુ ઘટ પદને કોઈ વિભક્તિ લગાડ્યા વિના ઘટ માની એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી શાબ્દબોધ થાય નહિ. તેમ “મિચ્છા મિ દુક્કડમ્માં પ્રથમ ચાર અક્ષર ગ્રહણ કરીને એક શાબ્દબોધ ત્યારે થઈ શકે કે દરેક અક્ષરને વિભક્તિનો કોઈ પ્રત્યય લાગેલો હોય. આ રીતે ‘૩થ’ થી શંકા કરે છે અને તેમાં યુક્તિ આપે છે:
જે ધાતુથી, વિભક્તિથી અને વાક્યથી જુદું હોય અને અર્થવાળું હોય તે હંમેશાં નામ હોય છે અને નામને સંસ્કૃતનાં ‘સિ’ આદિ પ્રત્યય લાગે છે. તે રીતે “
મિચ્છા મિ દુક્કડમ્માં મિ, છા આદિ શબ્દો ધાતુ નથી, વિભક્તિ નથી અને વાક્યો પણ નથી, આમ છતાં તમો તેને અર્થવાળા કહો છો. જો તમે તેને અર્થવાળા કહો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org