________________
૧૩૬
ટીકાર્થ ઃ
शक्तिमत् ન ક્ષતિઃ, શક્તિવાળું પદ છે, એ પ્રમાણે સ્વીકારમાં વળી ક્ષતિ તથી=મિચ્છા મિ દુક્કડમ્ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર તે તે અર્થબોધ કરાવવાની શક્તિવાળા હોવાથી દરેક અક્ષરને પદરૂપે સ્વીકારવામાં ક્ષતિ નથી.
*****
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૬
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ‘મિચ્છા મિ દુક્કડમ્’ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, તે વાત પ્રસિદ્ધ નથી. તેથી દરેક અક્ષ૨માં અર્થબોધ કરાવવાની શક્તિ છે, તેમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી કહે છે –
ટીકાર્થ
अभिप्राय
નપાયાત્, અભિપ્રાય વિશેષરૂપ અથવા અર્થાન્તરરૂપ એવી તેણીનો-શક્તિનો, વર્ણમાત્રમાં પણ=‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક વર્ણમાત્રમાં પણ, અનપાય છે=પ્રત્યેક વર્ણમાત્રમાં પણ તેવા પ્રકારની શક્તિનો અભાવ નથી.
* ‘વર્ણમાત્રેડપ્થનવાયાત્’ અહીં ‘પિ’ થી સમુદાયનો સમુચ્ચય છે.
ભાવાર્થ :
ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે : તારા મતે આ પ્રમાણે થઈ શકે કે, શાબ્દબોધ પ્રત્યે પદજ્ઞાન જ હેતુ છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ; કેમ કે મિચ્છા મિ દુક્કડમૂના પ્રત્યેક અક્ષર પદ નથી, પરંતુ પદના અવયવ છે.
આશય એ છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’માં ‘મિચ્છા’, ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો છે અને જે વ્યક્તિને આ ત્રણે પદોનું જ્ઞાન હોય તેને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી “મારું પાપ મિથ્યા થાઓ,” એ પ્રકારનો શાબ્દબોધ થાય છે. પરંતુ આ ત્રણે પદોના જે અક્ષરો છે, તે પદો નથી. તેથી અપદરૂપ એવા અક્ષરોથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ.
આ પ્રકારના પૂર્વપક્ષીના મતને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, તારે એમ ન કહેવું; કેમ કે એક વર્ણરૂપ પણ પદ દેખાય છે. માટે ‘વર્ણનો સમુદાય તે પદ’ એવા નિયમનો અભાવ છે. ગ્રંથકારનો આશય એ છે કે, બે-ત્રણ અક્ષરોનો સમુદાય હોય એ જ પદ કહેવાય એવો નિયમ નથી, પરંતુ એક વર્ણ પણ પદરૂપ હોય છે. જેમ ‘ખ’ એ પ્રકારનો એક વર્ણ પણ ‘આકાશ’રૂપ અર્થનો બોધ કરાવે છે. તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગમાં વર્તતા દરેક અક્ષર પદરૂપ છે. માટે તે અક્ષરોથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે છે.
Jain Education International
અહીં પૂર્વપક્ષી કહે: ‘ખ’ એ પ્રકારનો એક અક્ષર શબ્દરૂપે પ્રસિદ્ધ છે, તેથી એક અક્ષ૨વાળું પદ અમે પણ સ્વીકારીએ છીએ, તોપણ ‘મિચ્છા મિ દુક્કડમ્'માં વર્તતા પ્રત્યેક અક્ષર પદરૂપ પ્રસિદ્ધ નથી, પરંતુ ‘મિચ્છા’ ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો પ્રસિદ્ધ છે. માટે ‘મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરને પદ કહી
For Personal & Private Use Only
www.jainelibrary.org