SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૬ અહીં વિશેષ એ છે કે, મનુસ્મૃતિમાં “માંસ' અત્યંત હેય છે એ બતાવવા માટે માંસ ખાવાનું ફળ શું પ્રાપ્ત થાય, એ બતાવવા અર્થે ‘માંસ' શબ્દના બે અક્ષરોને ગ્રહણ કરીને કહ્યું કે, માં મને, રક્ત, માંસ મને તે જન્માંતરમાં ભક્ષણ કરશે જેનું માંસ હું ખાઉં છું. તે રીતે ભદ્રબાહુસ્વામીએ, થયેલાં પાપોના નાશ માટે કયા ભાવો જરૂરી છે કે જેથી તે ભાવોમાં યત્ન કરાય તો પાપોનો નાશ થાય, તે બોધ કરાવવા અર્થે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દને ગ્રહણ કર્યો, અને તે અર્થને કહેનાર ‘મિથ્યા મે તુકૃતમ્' ઈત્યાદિ અન્ય પ્રયોગોનો નિષેધ કરીને, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરથી તે તે ભાવોને અભિવ્યક્ત કર્યા, જેથી તે દરેક અક્ષરને અવલંબીને જો કોઈ જીવ ઉપયોગવાળો બને તો “મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરનો અર્થ ગ્રહણ કરતાં ત્રણ શાબ્દબોધ થઈ શકે, અને આખા વાક્યથી એક શાબ્દબોધ થઈ શકે; અને જો કોઈ જીવ તે પ્રકારના શાબ્દબોધમાં ઉપયુક્ત થઈને તે શાબ્દબોધને અનુરૂપ ભાવમાં યત્ન કરી શકે તો “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગકાળમાં પાપ અવશ્ય નાશ પામે. એ પ્રકારના આશયને સામે રાખીને પૂ. ભદ્રબાહુસ્વામી વિશિષ્ટ વ્યુત્પત્તિ દ્વારા “ મિચ્છા મિ દુક્કડમ્' શબ્દના દરેક અક્ષરથી શાબ્દબોધ કરાવે છે, જે અસંગત નથી. ટીકા : स्यादेतत्-पदज्ञानस्यैव शाब्दबोधं प्रति हेतुत्वात् कथमपदादर्थोपस्थिति: ? इति चेत् ? न, एकवर्णस्यापि पदस्य दर्शनेन 'वर्णसमुदाय: पदम्' इति नियमाभावात् । 'शक्तिमत् पदम्' इत्यभ्युपगमे तु न क्षतिः, अभिप्रायविशेषरूपाया अर्थान्तररूपाया वा तस्या वर्णमात्रेऽप्यनपायात् । ટીકાર્ય : ચાવેતત્ .... નિનામાવાન્ ! પૂર્વપક્ષીના મતે આ થાય - પદજ્ઞાન જ શાબ્દબોધ પ્રત્યે હેતુ હોવાના કારણે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર અપદ હોવાથી કેવી રીતે દરેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે એમ ન કહેવું; કેમ કે એક વર્ણવાળા પદનું દર્શન હોવાને કારણે વર્ણનો સમુદાય પદ છે, એ પ્રકારના નિયમનો અભાવ છે. * ‘વસ્થાપિ' અહીં ‘પિ થી સમુદાયનો સમુચ્ચય કરવો. ઉત્થાન : અહીં શંકા થાય કે, એક વર્ણ પદ હોવા છતાં “મિચ્છા મિ દુક્કડમ્ માં વપરાયેલા વર્ષો પદરૂપ નથી, પરંતુ પદના અવયવરૂપ અક્ષરો છે. એથી “મિચ્છા મિ દુક્કડમ્” શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરને પદરૂપે સ્વીકારી શકાય નહિ અને તેથી તેનાથી શાબ્દબોધ થઈ શકે નહીં. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy