________________
.
સામાચારી પ્રકરણ ભાગ-૧ / પદાર્થોની સંક્ષિપ્ત સંકલના દુક્કડમ્' એ શબ્દપ્રયોગ કરવાની શાસ્ત્રીય મર્યાદા છે, જે મિથ્યાકાર સામાચારીમાં ગ્રંથકારે બતાવેલ છે; અને તે મર્યાદાને જાણીને, ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં જે પ્રકા૨ના ભાવો શાસ્ત્રકારે બતાવ્યા છે તેનું સ્મરણ કરીને, તે અર્થમાં ઉપયુક્ત બનીને ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવામાં આવે તો થયેલું પાપ અવશ્ય નાશ પામે. આ રીતે થયેલા પાપના નાશ માટે ભગવાને આ સામાચારી બતાવેલ છે.
(૩) તથાકાર સામાચારી :
સાધુ, સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરે છે. ગ્રહણશિક્ષા એટલે ગુરુ પાસે નવું નવું શ્રુત ગ્રહણ કરવું, શ્રુત ગ્રહણ કર્યા પછી તેને સ્થિર કરવું, સ્થિર થયેલા શ્રુતના તાત્પર્યાર્થને જાણવા માટે ગુરુ પાસેથી અર્થનો બોધ કરવો તથા તે બોધ કરતી વખતે ભગવાને કહેલા વચનના તાત્પર્યનો નિર્ણય થાય ત્યારે તે વચન તેમ જ છે” તે બતાવવા અર્થે બોધ કરનાર શિષ્ય વડે ‘તથા’ શબ્દનો પ્રયોગ કરાય છે, જે તથાકાર સામાચારી છે. શિષ્યના તે ‘તથા’ શબ્દપ્રયોગથી જે અર્થ ગુરુ બતાવે છે, તે અર્થમાં શિષ્યને તેવા પ્રકારની નિર્મળ રુચિ પ્રગટે છે, જેથી તેને સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે અને સમ્યગ્ રુચિપૂર્વક સ્થિર થયેલું તે શ્રુતજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ દ્વારા ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે. માટે સૂત્ર અને અર્થની ગ્રહણશિક્ષા વખતે સાધુને તથાકાર સામાચારીનું પાલન કરવાનું છે.
સૂત્ર અને અર્થને ગ્રહણ કર્યા પછી તે સૂત્રથી જાણેલા અર્થને જીવનમાં કઈ રીતે ઉતારવો જેથી ચારિત્રની શુદ્ધિ થાય; તેને માટે ગુરુ આસેવનશિક્ષા બતાવતા હોય ત્યારે પણ, “આસેવનશિક્ષા જે પ્રમાણે ગુરુ બતાવે છે, તે પ્રમાણે જ છે”, તે તે પ્રકારની રુચિ ક૨વા અર્થે પણ તથાકાર સામાચારીનું પાલન થાય છે. આથી જો સાધુ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક તથાકાર સામાચા૨ીનું પાલન કરે તો રત્નત્રયીની શુદ્ધિનો પ્રકર્ષ થાય છે. (૪) આવશ્યકી સામાચારી :
સાધુ, ઉપાશ્રય આદિ વસતિમાં ઊતર્યા હોય ત્યાં સંવૃત ગાત્રવાળા, સંવૃત વચનવાળા અને સંવૃત મનવાળા થઈને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે અધ્યયન આદિમાં સુદૃઢ યત્ન કરતા હોય છે, જેથી નિર્લેપદશાની વૃદ્ધિ થાય; પરંતુ જ્યારે સંયમવૃદ્ધિ અર્થે ભિક્ષા આદિ માટે કે કોઈ અન્ય કાર્ય માટે વસતિથી બહાર જવાનું હોય, ત્યારે ‘આવસહી' એ પ્રકારનો શબ્દપ્રયોગ કરીને પ્રતિજ્ઞા કરે છે કે “સંયમવૃદ્ધિ માટે અવશ્ય કર્તવ્ય એવું કાર્ય ક૨વા માટે હું જાઉં છું.” આ પ્રતિજ્ઞાના બળથી સાધુ આવશ્યકી ક્રિયા, પ્રમાદ વગર સંયમની યતનાપૂર્વક સેવીને નિર્જરાફળનો ભાગી થાય છે. વળી વસતિમાંથી બહાર જતી વખતે “આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાને કા૨ણે સાધુને ઉપયોગ ૨હે છે કે “મારાથી સંયમવૃદ્ધિનું અવશ્ય કાર્ય યતનાપૂર્વક થવું જોઈએ, જેથી સંયમની વૃદ્ધિ થાય; અને અવશ્ય કર્તવ્ય એવું પણ આ કાર્ય જો યતનાપૂર્વક હું નહિ કરું તો તે કૃત્ય સંયમવૃદ્ધિનું કારણ નહિ બનવાથી અવશ્ય કર્તવ્ય બનશે નહિ, અને છતાં હું આ કાર્ય કરીશ તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થશે.” આ રીતે પ્રતિજ્ઞાભંગના ભીરુ એવા સાધુ લીધેલી પ્રતિજ્ઞા અનુસાર સંયમની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત સર્વ યતના કરે, તેમાં ‘આવસહી’ એ પ્રકારનો પ્રતિજ્ઞારૂપ વચનપ્રયોગ પ્રબળ કારણ બને છે. માટે અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે વસતિથી બહાર જતી વખતે ભગવાને આવશ્યકી સામાચારી બતાવેલ છે.
(૫) નૈષેધિકી સામાચારી :
વસતિમાંથી અવશ્ય કર્તવ્ય અર્થે બહાર ગયેલ સાધુ જ્યારે ફરી વસતિમાં પ્રવેશ કરે ત્યારે, અથવા ભગવાનનાં દર્શન અર્થે જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે ‘નિસીહિ’ શબ્દપ્રયોગ કરે, તે નૈષધિકી સામાચારી છે. સાધુને ક્ષણભર પણ પ્રમાદ ન થાય તે રીતે સંયમયોગમાં દૃઢ યત્ન કરવાનો છે, તેથી અવશ્ય કાર્ય કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org