SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વસતિમાં આવે પછી સાધુને સંવૃત ગાત્રવાળા થઈને સ્વાધ્યાય આદિ ઉચિત કૃત્યોમાં અત્યંત અપ્રમાદભાવથી સંયમની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્ત થવાનું છે. તેથી વસતિમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ' શબ્દપ્રયોગ દ્વારા સાધુ પ્રતિજ્ઞા કરે છે કે “વસતિમાં પ્રવેશ કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ મન, વચન અને કાયાને હું અપ્રમાદભાવથી પ્રવર્તાવીશ અને તેનાથી વિરુદ્ધ એવા મન, વચન અને કાયાના વ્યાપારના “નિષેધ'ની હું પ્રતિજ્ઞા કરું છું” અને તે પ્રતિજ્ઞા અર્થે ‘નિસીહિ' શબ્દપ્રયોગ રાધુ કરે છે, જેથી ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાના બળથી અત્યંત અપ્રમાદભાવ વૃદ્ધિ પામે. વળી, જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે ભગવાનની કોઈ આશાતના ન થાય અને ભગવાનના ગુણની મૃતિથી અન્યત્ર ઉપયોગ ન જાય, તદ્અર્થે સાધુ ‘નિસાહિ” પ્રયોગ કરે છે. તે ‘નિસીહિ' પ્રયોગના બળથી જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી ઈન્દ્રિયો અત્યંત સંવૃત થાય છે અને મન પણ ભગવાનના ગુણગાનમાત્રમાં ઉપયુક્ત રહે છે. વળી, ગુરુના અવગ્રહમાં પ્રવેશ વખતે પણ ગુરુની આશાતનાના પરિવારમાં અત્યંત ઉપયુક્ત થવા અર્થે નિસીહિ'નો પ્રયોગ થાય છે. આ સર્વ નૈષધિથી સામાચારી છે. (૬) આપૃચ્છા સામાચારી - સંયમી સાધુ હંમેશાં ગુણવાનને પરતંત્ર હોય છે, તેથી કોઈપણ કાર્ય કરવું હોય તો ગીતાર્થ ગુરુને પૂછીને કરે છે, તે આપૃચ્છા સામાચારી છે. શિષ્ય હંમેશાં ગુરુને સર્વ કાર્યોમાં ઉચિત કાર્યની પૃચ્છા કરે, જેથી શિષ્યના કલ્યાણના અર્થે ગુરુ તેને કર્તવ્ય કાર્યવિષયક ઉચિત વિધિ બતાવે અને તે કાર્ય તેના માટે અકર્તવ્યરૂપ હોય તો નિષેધ કરે. યોગ્ય શિષ્ય પણ ભગવાને સંયમજીવનની ઉચિત વિધિઓ કેવી યતનાવાળી બતાવી છે, તે ગુરુના વચનથી જાણીને, ભગવાનના વચનના બહુમાનથી ઉલ્લસિત થયેલો શિષ્ય ગુરુએ બતાવેલી વિધિ ધારણ કરીને, ગુરુએ બતાવેલી વિધિ અનુસાર તે ક્રિયા દ્વારા સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરે છે અને આપૃચ્છા સામાચારીના સમ્યક્ પાલનથી નિર્જરાફળનો ભાગી બને છે. કોઈ શિષ્ય વિધિનો જાણકાર હોય તોપણ આપૃચ્છા સામાચારીના પાલન માટે ગુરુને પૂછે છે, અને ગુરુ પણ તેને વિધિપૂર્વક તે ક્રિયા કરવાની અનુજ્ઞા આપે ત્યારે, “ગુરુની અનુજ્ઞાના વચનથી આ કૃત્ય મારી નિર્જરાનું અવશ્ય કારણ થશે,” તેવો તેને નિર્ણય થાય છે, તેથી અતિ ઉત્સાહપૂર્વક તે અનુષ્ઠાન વિધિપૂર્વક કરીને વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરે છે. માટે સાધુને સર્વ કાર્યમાં ગુરુને પૃચ્છા કરીને કાર્ય કરવાની ભગવાનની આજ્ઞા છે. પ્રસ્તુત સામાચારી ગ્રંથમાં દસ પ્રકારની સામાચારીનું વર્ણન છે. તે દસ પ્રકારની સામાચારીમાંથી છ પ્રકારની સામાચારી પ્રથમ ભાગમાં લીધેલ છે, બાકીની ચાર સામાચારીનું વર્ણન હવે પછી પ્રકાશિત થનારા બીજા ભાગમાં ઉપલબ્ધ થશે. છબસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વિતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ' માંગું છું. પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦, - પ્રવીણચંદ્ર ખીમજી મોતા તા. ૧૪-૧-૨૦૦૪ ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસા., પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy