SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ૧૨૯ (૨) જો “મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના દરેક અક્ષરના અર્થમાં ઉપયોગ ન રાખે અને “મિચ્છા મિ દુક્કડ' એ પ્રકારના માત્ર વાક્યપ્રયોગના અર્થમાં ઉપયોગ રાખે તો “મારું પાપ મિથ્યા થાઓ” એટલો શાબ્દબોધ થાય છે. (૩) જો ‘મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના અર્થમાં પણ ઉપયોગ ન હોય તો માત્ર “મિચ્છા મિ દુક્કડ' એટલો વાક્યપ્રયોગ માત્ર થાય છે, પરંતુ કોઈ શાબ્દબોધ થતો નથી. અહીં “ મિચ્છા મિ દુક્કડ' પ્રયોગમાં આ રીતે પ્રથમ ચાર અક્ષરનો અન્વય કરીને શાબ્દબોધ કરવામાં આવે તો એકવાક્યતાથી શાબ્દબોધ થાય છે, પરંતુ તેમાંથી ફક્ત “મિ' અક્ષર લઈને મૃદુમાર્દવતા કરીએ તો કોઈ તાત્પર્ય ગ્રહણ થાય નહિ. તેથી ચાર અક્ષરનો ભેગો અન્વય કરીને એક શાબ્દબોધ કરવો પડે છે અને તે શાબ્દબોધ કરવાથી જીવ માર્દવ-આર્જવના પરિણામવાળો થાય છે, ફરી પાપ નહિ સેવવાના પરિણામવાળો થાય છે, ચારિત્રની મર્યાદા રૂપ સંવરના પરિણામવાળો થાય છે અને તપૂર્વક પાપની જુગુપ્સાના પરિણામવાળો થાય છે, અને જો આ પરિણામ પ્રકર્ષવાળો હોય તો તત્કાળ એ પાપ નાશ પામે; અને તેને અતિશય કરવા માટે ‘વ’ અને ‘” થી બે શાબ્દબોધ કરવામાં આવે છે અર્થાત્ આ પાંચમા અને છઠ્ઠી અક્ષરથી આગળમાં અર્થ કર્યો તેવું તાત્પર્ય ગ્રહણ થતું હોવાથી બંને અક્ષરનો ઉપર મુજબ સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. તેથી જો “મિચ્છા મિ દુક્કડ” પ્રયોગ કરનાર જીવ અર્થ અને પરિણામમાં યત્ન કરતો હોય તો, અહીં સાક્ષાત્ ગુરુ પાસે પાપ સ્વીકારવાની કોઈ ક્રિયા નથી તો પણ, કોઈક જીવ ગુરુ પાસે સાક્ષાત્ પોતાનાં પાપોનો સ્વીકાર કરતો હોય તે વખતે જેવો નિર્મળ અધ્યવસાય તેનો હોય, તેવો નિર્મળ અધ્યવસાય વ્યુત્પન્ન જીવને “મિચ્છા મિ દુક્કડના ‘ક’ અક્ષરના શાબ્દબોધથી થાય છે; કેમ કે પાપ કરાયું છે એ પ્રકારના ગુરુ પાસે સ્વીકારના અર્થને બતાવનાર ‘ત' અર્થમાં ‘' નો પ્રયોગ છે. અને ‘રુ અક્ષરથી થતા શાબ્દબોધમાં ઉપયોગ હોય તો પાપથી વિરુદ્ધ એવા ઉપશમભાવમાં યત્ન કરીને તે પાપના પરિણામનું ઉલ્લંઘન કરી શકે છે, અને “મિચ્છા મિ દુક્કડ' રૂપ મૂળ વાક્યથી “મારું પાપ મિથ્યા છે” એ પ્રકારનો અધ્યવસાય થવાથી પાપ પ્રત્યે ધૃણાનો ભાવ વિશેષરૂપે થાય છે. આ રીતે ચાર શાબ્દબોધને જાણીને ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરવામાં આવે તો ચારેય વાક્યોથી અપેક્ષિત પરિણામો જીવને અવશ્ય થાય છે, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. આમ, “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરનારને – ૧. મૃદુમાર્દવ પરિણામ કેવી રીતે કરવો તેનું જ્ઞાન આવશ્યક છે, ૨. દોષોનું ફરી નહિ સેવવારૂપે સ્થગન કઈ રીતે કરવું તેનો બોધ આવશ્યક છે, ૩. ચારિત્રની મર્યાદામાં કેવી રીતે રહેવું તેનો બોધ આવશ્યક છે, ૪. કરાયેલાં પાપોના પ્રત્યે નિંદાનો પરિણામ કેવી રીતે કરવો તેનો બોધ આવશ્યક છે, ૫. કરાયેલાં પાપોનો યોગ્ય ગુરુ પાસે સ્વીકાર કેવી રીતે કરવો તેનો બોધ આવશ્યક છે અને ૯. ઉપશમમાં કઈ રીતે યત્ન કરીને પાપનું ઉલ્લંઘન થઈ શકે તેનો બોધ આવશ્યક છે. એટલું જ નહીં, પરંતુ શાબ્દબોધ કર્યા પછી “મિચ્છા મિ દુક્કડ” એ પ્રયોગકાળે પરિણામને અનુકૂળ ધૃતિ પણ આવશ્યક છે, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે છે.ર૪રપા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy