________________
૧૨૭
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ઉત્થાન :
આ રીતે બે ગાથાના અર્થનું વર્ણન કર્યા પછી “મિચ્છા મિ દુક્કડમ્” વાક્યપ્રયોગથી ચાર વાક્યો નિષ્પન્ન થાય છે અને તેનાથી ચાર પ્રકારના અર્થનો બોધ થાય છે. તે કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે – ટીકા :
अत्र चतुर्णामक्षराणां संभूयैकवाक्यतयाऽन्वयबोधजनकत्वम् द्वयोस्तु तात्पर्यवशात्स्वातन्त्र्येण મુશ્કેવાવસ્થાપિ પાર્થનેતિ યોધ્યમ્ સર૪ તારી ટીકાર્ય :અહીંયાં=“
મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં, ચાર અક્ષરો સંમૂય=એકઠા થઈને, એકવાક્યપણા વડે ચારે અક્ષરોનું અવયબોધજનકપણું છે. વળી બે અક્ષરોનું તાત્પર્યતા વશથી સ્વતંત્રપણા વડે બોધજનકપણું છે. મુખ્ય વાક્યનું પણ='મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગનું પણ, પૃથફપણા વડે બોધજનકપણું છે, એ પ્રકારે જાણવું. ર૪-૨પા.
* ‘મુથવીવીપ અહીં વિ' થી એ કહેવું છે કે, છ અક્ષરોનો શાબ્દબોધ તો થાય છે, મુખ્ય વાક્યનો પણ પૃથક્ શાબ્દબોધ થાય છે. ભાવાર્થ
(I) “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં ૯ અક્ષરો છે. તેમાં પહેલા ચાર અક્ષરોઃમિ, છા, મિ અને દુ એકઠા થઈને એક વાક્ય બને છે. એથી તે ચાર અક્ષરોના અર્થોનો પરસ્પર સંબંધ જોડીને એક વાક્યનો શાબ્દબોધ થાય છે. તે આ રીતે –
“મૃદુમાદેવતાના ભાવવાળો, દોષોના સ્થગનના ભાવવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું, દુષ્કતને કરનાર એવા મારા આત્માની નિંદા કરું છું.” આ શાબ્દબોધથી, અર્થમાં ઉપયોગ રાખીને જીવ યત્ન કરે તો મૃદુ-માદવતાના પરિણામમાં યત્ન થાય, જેથી જીવ ગુણને અભિમુખ બને છે તથા દોષોના સ્થગનનો પરિણામ થાય ત્યારે ફરી પાપ કરવાનો બીજભૂત પરિણામ જે જીવમાં વિદ્યમાન હોય છે તે સ્થગિત થાય છે, “ચારિત્રની મર્યાદામાં રહેલો હું” એ પ્રકારનો ઉપયોગ આવે ત્યારે સંવરભાવમાં યત્ન ઉત્પન્ન થાય છે, અને આટલો યત્ન કર્યા પછી પૂર્વમાં દુષ્કૃત કરનાર એવા પોતાના આત્મા પ્રત્યે, નિંદા-જુગુપ્સાનો ભાવ પેદા થાય છે, જેથી પૂર્વમાં થયેલા દુષ્કતના સંસ્કારો નાશ પામે છે અથવા તો શિથિલ થાય છે.
જો જુગુપ્સાનો ઉપયોગ તીવ્ર બને તો પાપ નાશ પામી જાય અને એટલો તીવ્ર ઉપયોગ ન હોય તો પણ દોષો પરત્વેની જુગુપ્સાથી દોષોના સંસ્કારો શિથિલ થાય છે. તે આ રીતે – સર્વવિરતિ ગ્રહણ કરેલ સાધુ અનાભોગાદિથી કોઈક સ્કૂલનાને પામેલો હોય ત્યારે મિચ્છા મિ દુક્કડ પ્રયોગ કરે છે, તે વખતે તેણે ફરી ચારિત્રની મર્યાદામાં આવવા માટે યત્ન કરવાનો છે; અને તે યત્ન એ છે કે, “હવે મારા દરેક મન-વચનકાયાના યોગો ભગવાનના વચનના સ્મરણ નીચે સુદઢ પ્રવર્તાવવા છે.” એમ દઢ સંકલ્પ કરી તેના બળથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org