SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ૧૨૫ બીજા પ્રકારના સમાસથી એ અર્થ પ્રાપ્ત થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરતી વખતે મૃદુ એવી માર્દવતા કરવાની છે, અને ત્રીજા પ્રકારના સમાસથી સુકુમાર એવી માર્દવતા પ્રાપ્ત કરવાની છે, એ પ્રકારનો અર્થ ‘મિ' શબ્દથી પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે, બીજા સમાસ પ્રમાણે મૃદુત્વથી વિશિષ્ટ માર્દવતાને અને ત્રીજા સમાસ પ્રમાણે સુકુમાર માર્દવતાને ગ્રહણ કરવાની છે. આ બન્ને અર્થ પ્રમાણે ગુણો તરફ નમાવવારૂપ અત્યંત માર્દવતા કરવાની છે, એ અર્થ સૂચિત થાય છે. ટીકા: छ त्ति छ इत्येतदक्षरं 'दोषाणां' असंयमलक्षणानां स्थगने-अपुनरासेवने भवति । मि त्ति य-मि इत्येतदक्षरं च मेरायां-चारित्रमर्यादायां स्थितोऽहमित्येतदर्थाभिधायकं भवति । दु त्ति-दु इत्येतदक्षरं जुगुप्से= निन्दामि, आत्मानं-दुष्कृतकर्मकारिणमित्येतदर्थकम् । कत्ति (क इत्येतदक्षरं) कृतं मया पापं नान्येनेत्यर्थकम् । ड त्ति-ड इत्येतदक्षरं डीये=लङ्घयामि तत्=पापं उपशमेन करणभूतेनेत्येतदर्थकम् । एषः= अनन्तरोक्तः, मिच्छादुक्कड' इति प्राकृतशैल्या गाथानुलोमेन च 'मिथ्या मे दुष्कृतमि'त्यत्र पदे ये वर्णास्तेषामर्थोऽभिधेयः समासेन-संक्षेपेण । ટીકાર્ય : મિચ્છાકુ' પ્રયોગમાં : “છ” એ પ્રકારનો આ અક્ષર “અસંયમ લક્ષણ દોષોના અપુનઃ આસેવનરૂપ સ્થગન' અર્થમાં છે, “મિ' એ પ્રકારનો આ અક્ષર “ચારિત્રની મર્યાદામાં રહેલો હું એ અર્થને કહેનાર છે, ‘તુ એ પ્રકારનો આ અક્ષર દુષ્કૃત કર્મ કરનાર એવા આત્માની હું નિંદા કરું છું, એ અર્થને કહેનાર છે, ‘' એ પ્રકારનો આ અક્ષર “મારા વડે પાપ કરાયું, અન્ય વડે નહિ,' એ અર્થને કહેનાર છે અને “ એ પ્રકારનો આ અક્ષર ‘કરણભૂત એવા ઉપશમ વડે તેને=પાપને, હું ઉલ્લંઘન કરું છું – એ અર્થને કહેનાર છે. “મિચ્છાકુ' એ પ્રકારનો, પ્રાકૃત શૈલીથી અને ગાથાના અનુલોમથી, મિચ્છા મિ તુવ૬ એ પદમાં જે વર્ષો છે, તેઓનો આ અર્થ અનત્તરમાં કહેવાયેલો અર્થ, સંક્ષેપથી અભિધેય છે. ભાવાર્થ પૂર્વમાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના ‘મિ' અક્ષરનો અર્થ બતાવ્યો, હવે ‘આ’ અક્ષરનો અર્થ બતાવે છે – ‘' અક્ષર અસંયમ લક્ષણ દોષોને અટકાવવાના અર્થમાં છે, અને તે અટકાવવાની ક્રિયા ભૂતકાળમાં કરાયેલા અસંયમરૂપ દોષોમાં સંભવે નહિ. તેથી કરીને કહે છે કે, “દોષોને અટકાવવાની ક્રિયા ફરી નહિ સેવવાના પરિણામરૂપ' અહીં ગ્રહણ કરવાની છે. આશય એ છે કે, “ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરતી વખતે ફક્ત પાપનાશનો અધ્યવસાય હોય, છતાં પાપને અનુરૂપ સામગ્રી મળે તો ફરી એ પાપ સેવવાનો પરિણામ થાય તેવું ચિત્ત જો વિદ્યમાન હોય, તો “મિચ્છા મિ દુક્કડમુના પ્રયોગથી એ પાપ નાશ પામે નહિ. તેથી “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરતી વખતે “હવે પછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy